Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીપુરા વાયરસ સામે તંત્ર સજ્જ:રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 5 બેડનો અલાયદો વોર્ડ ઉભો કરાયો, તબીબો અને નર્સિંગ સ્ટાફ તૈનાત રહેશે

    1 day ago

    ગુજરાતમાં ધીમેધીમે ચાંદીપુરા વાયરસ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ બાળકોના આ વાયરસથી દુઃખદ મૃત્યુ નિપજ્યા છે. ત્યારે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં એલર્ટ રહેવા અને અગમચેતીના પગલા ભરવા સૂચના આપી છે. જેના પગલે રાજકોટની સરકારી જનાના હોસ્પિટલમાં છઠ્ઠા માળે 5 બેડનો એક ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જયાં ખાસ તબીબો અને નર્સિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાનાં જણાવ્યા મુજબ હાલ રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ અગમચેતીના પગલા રૂપે જનાના હોસ્પિટલમાં 5 બેડનો ખાસ વોર્ડ શરૂ કરાયો છે. જેમાં 10 ડોક્ટર અને 20 નર્સિંગ સ્ટાફને ત્રણ શિફ્ટમાં ડ્યુટી સોંપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ 14 વર્ષથી નાના બાળકોમાં થતો હોવાથી લોકોને બાળકો પ્રત્યે સાવચેતી રાખવાની અપીલ પણ તેમણે કરી છે. ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ એન્ટિવાયરલ દવા ઉપલબ્ધ નથી, જરૂર પડે તો ઓક્સિજન અને આંચકી આવે તો તેની દવા આપવામાં આવે છે. તેથી સતત તાવ, ઊલટી, આંચકી, બેભાન થવા જેવા લક્ષણો બાળકોમાં દેખાય તો તુરંત જ સારવાર લેવા સલાહ પણ તેમણે આપી છે. મનપાના પ્લોટમાં બિલ્ડરોનાં દબાણ અંગે મેયરે ઇન્ચાર્જ ટીપીઓનો કલાસ લીધો રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ હેઠળના અનામત પ્લોટમાં ભૂમાફિયાઓ દ્વારા થતા આડેધડ દબાણોનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેસ્ટ ઝોનમાં નાના મવા પાસે અંબિકા ટાઉનશિપ નજીક આવેલા મનપાના ટીપી પ્લોટમાં બિલ્ડરો દ્વારા 3 જેટલી હંગામી સાઈટ ઓફિસ બનાવીને દબાણ કરી દેવાયું છે. આ દબાણના કારણે ગત તારીખ 12 ના રોજ યોજાયેલા ધનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત આ પ્લોટમાં વૃક્ષારોપણ કરી શકાયું નહોતું, જે બાબત મેયર નેહલ શુક્લના ધ્યાનમાં આવી હતી. આ બેદરકારી બદલ મેયર નેહલ શુકલે ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર પરમારને બોલાવીને આકરો ક્લાસ લીધો હતો. જ્યારે મેયરે આ સાઈટ ઓફિસ કોની પરવાનગીથી બની તેનો ખુલાસો પૂછ્યો, ત્યારે ટીપીઓ પરમારે ‘મને કંઈ ખબર જ નથી’ તેવો લૂલો બચાવ કર્યો હતો. મેયરે આ જવાબ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ જણાવ્યું હતું કે મનપાના પ્લોટમાં જ દબાણના કારણે સરકારી કાર્યક્રમો અટકે તે ચલાવી લેવાય નહીં. તેમણે આ પ્લોટ પરથી તાત્કાલિક અસરથી દબાણ હટાવવાનો કડક આદેશ આપ્યો છે. વરસાદ ખેંચાતા મનપાનો નિર્ણય, બાંધકામમાં સુએજ વોટરનો ઉપયોગ ફરજિયાત કરાશે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતાં હાલ પીવાના પાણીની ચિંતા વધી છે. રાજ્ય સરકારે સંભવિત કટોકટીને પહોંચી વળવા તમામ મહાનગરપાલિકાઓની પાસે પાણી બચાવના આગોતરા આયોજનની વિગતો માંગી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પીવાના શુદ્ધ પાણીનો બગાડ અટકાવવા ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે, જેમાં તમામ બાંધકામ સાઇટો, ઉદ્યોગો અને બાગ-બગીચાઓમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીનો ઉપયોગ ફરજિયાત કરાશે. હાલ રાજકોટમાં દૈનિક 20 મિનિટ પાણી આપવામાં આવે છે, પરંતુ આજી અને ન્યારી ડેમમાં આગામી 31 જુલાઈ સુધી ચાલે તેટલો જ જથ્થો ઉપલબ્ધ છે. જો આગામી 15 દિવસમાં સારો વરસાદ નહીં થાય તો નર્મદાના પાણી પર નિર્ભરતા વધશે. મહાનગરપાલિકા પાસે 23થી વધુ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જેનું પાણી અત્યાર સુધી વણવપરાયેલું રહેતું હતું. બીજી તરફ, નર્મદાનીર માટે મહાનગરપાલિકા પ્રતિ 1000 લીટરે રૂ. 6થી વધુનો ખર્ચ ચૂકવે છે, જેથી વરસાદ ખેંચાવાની સ્થિતિમાં પડનારા વધારાના આર્થિક બોજનું આંકડાકીય ગણિત પણ મનપા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. મનપાનાં આરોગ્ય કેન્દ્રો બનશે પેપરલેસ, દર્દીઓની ડિજીટલ મેડીકલ હિસ્ટ્રીનો પ્રયોગ સફળ રાજકોટ મહાપાલિકાના 31 અર્બન હેલ્થ સેન્ટરોને વધુ સુવિધાજનક અને ડિજીટલ બનાવવા માટે મનપાના આઇટી અને આરોગ્ય વિભાગ દ્વારા નવું ઓનલાઇન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. વોર્ડ નં.2ના બજરંગવાડી આરોગ્ય કેન્દ્રમાં આ સિસ્ટમનો ટ્રાયલ પ્રોજેક્ટ સફળ રહ્યો છે. આ ઇનહાઉસ સોફ્ટવેરની મદદથી હવે દર્દીઓએ દર વખતે ફિઝીકલ કેસ કઢાવવા કે ફાઇલ સાચવવાની જરૂર રહેશે નહીં. દર્દીના મોબાઇલ નંબર કે અન્ય વિગતોના આધારે તેનો સંપૂર્ણ ડિજીટલ રેકોર્ડ જનરેટ થશે, જેનાથી ડોક્ટર, લેબોરેટરી અને મેડીકલ સ્ટોર વચ્ચે ઓનલાઇન સંકલન થતાં પેપરલેસ પ્રક્રિયાથી વિનામૂલ્યે સારવાર અને દવા મળી શકશે. ના.કમિશનર સમીર ધડુક અને આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીના જણાવ્યા મુજબ, આગામી સમયમાં આ સિસ્ટમ તમામ કેન્દ્રોમાં લાગુ કરાશે. આ ઉપરાંત, મનપાના આઇટી વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા માટે વધુ બે મહત્વની સેવાઓ ઓનલાઇન કરવાની તૈયારી હાથ ધરાઇ છે. હવેથી નવા નળ જોડાણ મેળવવાની અરજી તેમજ વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરાવવાની પ્રક્રિયા પણ સંપૂર્ણપણે ડિજીટલ બનશે. અરજદારો ઘરે બેઠા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને અરજી કરી શકશે, જેનાથી લોકોને વોર્ડ કે ઝોન ઓફિસના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
    Click here to Read More
    Previous Article
    રોજગારની શોધમાં UAE ગયેલા 60 ભારતીયોને ડિપોર્ટ કરાયા:દુબઈથી સુરત એરપોર્ટ પહોંચ્યા, સ્થાનિક કાયદાના ઉલ્લંઘનનો આરોપ; મૂળ પાસપોર્ટ અને મોબાઈલ પણ જપ્ત કરાયા
    Next Article
    પીએમ મોદી તરફથી મંદિરમાં પ્રસાદી મોકલવામાં આવી:રિવાબા જાડેજાએ જગન્નાથજીના કર્યા દર્શન, વિપક્ષ નેતાઓ દ્વારા કરાયું રથનું પૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment