Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:ટ્રાફિક પોલીસને તડકામાં હીટસ્ટ્રોકથી બચાવવા ‘કૂલ જેકેટ’ અપાયા, આ જેકેટથી ગરમી 5થી 7 ડિગ્રી ઓછી લાગશે

    1 week ago

    ટ્રાફિક નિયમનું પાલન કરાવતા પોલીસ કર્મચારીઓને હીટસ્ટ્રોક અને શારિરીક તણાવથી બચવા માટે ‘કૂલ જેકેટ’ આપવામાં આવ્યા છે. જો ગરમીનો પારો 45 ડિગ્રી હશે તો આ જેકેટથી ગરમી 5થી 7 ડિગ્રી ઓછી લાગશે. આ પાયલોટ પ્રોજેક્ટ પકવાન ચાર રસ્તાથી શરૂ કરાયો છે. રિવ્યુ પછી બીજા પોલીસકર્મીને પણ જેકેટ આપવામાં આવશે. હીટવેવ જેવી આ સ્થિતિમાં કલાકો સુધી રસ્તા પર ઊભા રહી ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડતી હોય છે. જેથી વધતા હીટ સ્ટ્રેસને ઘટાડવા માટે મહિલા હાઉસિંગ ટ્રસ્ટ અને અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એક ખાસ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રયોગ સફળ રહેશે તો અન્ય પોલીસ કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ કુલ જેકેટ આપવામાં આવશે. જે પોલીસ કર્મચારીઓને હીટ સ્ટ્રેસ, હીટ સ્ટ્રોક અને શારીરિક તણાવથી બચાવી કાર્યક્ષમતામાં વધારો કરે છે. ગરમ હવા જેકેટના સંપર્કમાં આવતાં જ તેમાં રહેલા ભેજનું બાષ્પીભવન થાય છે તાપમાનમાં રાહત : આ જેકેટ આસપાસના વાતાવરણ કરતા શરીરનું તાપમાન 5થી 7 ડિગ્રી ઓછું રાખે છે. (દા.ત. જો બહાર 45° ડિગ્રી ગરમી હોય તો જેકેટ પહેરનારને 38° ડિગ્રીનો અનુભવ થશે). ઈવેપોરેશન ટેકનોલોજી : ગરમ હવા જેકેટના સંપર્કમાં આવતા તેમાં રહેલા ભેજનું બાષ્પીભવન થાય છે, જે શરીરની ગરમી શોષી લઈને ઠંડક આપે છે. લાઈટ વેઈટ ડિઝાઇન : ખાસ ફેબ્રિકથી બનેલું આ જેકેટ અત્યંત હલકું અને મજબૂત છે, લાંબો સમય પહેરી રાખવામાં મુશ્કેલી પડતી નથી. યુટિલિટી ફીચર્સ : આઉટડોર ડ્યુટીને ધ્યાનમાં રાખીને જરૂરી સામાન રાખવા માટે તેમાં મોટા ખિસ્સા આપવામાં આવ્યા છે. હેલ્થ બેનિફિટ : તે પોલીસ કર્મીઓને હીટ સ્ટ્રેસ, હીટ સ્ટ્રોક અને શારીરિક તણાવથી બચાવી કાર્યક્ષમતામાં વધારો કરે છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:રિટર્ન બાકી હોય તેવા વેપારીઓના બેન્ક ખાતાં GSTએ રાતોરાત સીઝ કરી દીધાં
    Next Article
    ટ્રાફિક સિગ્નલનો નવો સમય અમલમાં મુકાયો:રાધનપુર ચોકડી ખાતે સવારે 9થી 12:30 અને સાંજે ‎4:30થી 8 સુધી સિગ્નલ ચાલુ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment