Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાટા સન્સમાં ટાટા પરિવારનું પણ ન ચાલ્યું:ચંદ્રશેખરન 5 વર્ષ સુધી ચેરમેન રહેશે, 66% હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સે નિર્ણયને પડકાર્યો

    21 hours ago

    દેશના સૌથી મોટા વેપારી જૂથોમાં સામેલ ટાટા જૂથમાં બોર્ડરૂમની લડાઈ ખુલ્લેઆમ સામે આવી ગઈ છે. ગુરુવારે ટાટા સન્સના બોર્ડે 3 કલાક ચાલેલી બેઠકમાં બે મોટા નિર્ણયો લીધા. પહેલો, એન. ચંદ્રશેખરનને ત્રીજી વખત 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવાની મંજૂરી આપી. બીજો, ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. જોકે ટાટા સન્સમાં 66% હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સે તેને કાયદેસર રીતે અમાન્ય ગણાવ્યું છે. ટ્રસ્ટ્સે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે બોર્ડની બેઠકમાં ચંદ્રશેખરનની પુનર્નિયુક્તિના પક્ષમાં ચાર ડિરેક્ટર હતા અને વિરોધમાં નોએલ ટાટા (રતન ટાટાના સાવકા ભાઈ) હતા. તેમ છતાં ટાટા ટ્રસ્ટ્સ 4-1ની બહુમતીને પૂરતી માનતું નથી. તેથી તે આ નિમણૂક સ્વીકારતું નથી. એક મહિનામાં સમગ્ર મામલો આ રીતે પલટાયો 63 વર્ષના ચંદ્રશેખરનનો કાર્યકાળ 20 ફેબ્રુઆરી 2027 સુધી છે. તેમણે 12 ઑગસ્ટે કહ્યું હતું કે તેઓ આગામી કાર્યકાળ નહીં લે, પરંતુ 3 સપ્ટેમ્બરે નોમિનેશન કમિટીએ ફરી વિચાર કરવા અપીલ કરી. ગુરુવારે ચંદ્રશેખરન તૈયાર થઈ ગયા. મામલો 1-1 પર અટક્યો, તો કાનૂની સલાહ બાદ કાસ્ટિંગ વોટ આવ્યો ગુરુવારે ટાટા સન્સની બોર્ડ બેઠકમાં ચંદ્રશેખરનની ફરીથી નિમણૂકનો પ્રસ્તાવ આવ્યો ત્યારે ટાટા ટ્રસ્ટ્સના બંને નૉમિની ડિરેક્ટર સામસામે આવી ગયા. નોએલ ટાટાએ પ્રસ્તાવની વિરુદ્ધમાં, જ્યારે વેણુ શ્રીનિવાસને પક્ષમાં મત આપ્યો. એટલે કે નૉમિની ડિરેક્ટરો વચ્ચેનો મુકાબલો 1-1થી બરાબર થઈ ગયો. બેઠકમાં હાજર એક ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, અહીં કંપની સેક્રેટરીએ કાનૂની અભિપ્રાય રજૂ કર્યો કે મત સમાન રહેવાની સ્થિતિમાં ચેરમેન કાસ્ટિંગ એટલે કે નિર્ણાયક મત આપી શકે છે. ત્યારબાદ ચંદ્રશેખરને પોતાની જ પુનઃનિયુક્તિના પક્ષમાં નિર્ણાયક મત આપ્યો અને ઠરાવ આગળ વધ્યો. નોએલે વિરોધ કરતાં પૂર્વ સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડનો કાનૂની અભિપ્રાય રજૂ કર્યો, પરંતુ ટાટા ટ્રસ્ટ્સનો દાવો છે કે બોર્ડે તેને સ્વીકાર્યો નહોતો. વિવાદનું મૂળ અનુચ્છેદ 121એ: નોએલનો વિરોધ ટાટા સન્સના આર્ટિકલ્સ ઑફ એસોસિએશનના અનુચ્છેદ 121એ પર આધારિત હતો. તેના મુજબ, ચેરમેનની પુનઃનિયુક્તિ માટે નોમિની ડિરેક્ટર્સના બહુમતી સમર્થનની જરૂરિયાત છે. નોએલની વિરુદ્ધ મત પડતાં આ શરત પૂર્ણ થઈ નહોતી અને ઠરાવ ‘કાયદેસર રીતે શૂન્ય’ બની ગયો. ટ્રસ્ટ્સનો તર્ક છે કે આ વિશેષ શરત ચેરમેનના કાસ્ટિંગ વોટથી પૂર્ણ કરી શકાતી નથી. આગળ શું... AGM મહત્વપૂર્ણ: બોર્ડનો નિર્ણય અંતિમ પડાવ નથી. હવે જનરલ બોડી મીટિંગમાં શેરધારકોની મંજૂરી લેવામાં આવશે. અહીં ટાટા ટ્રસ્ટ્સ 66% હિસ્સેદારીના કારણે મજબૂત સ્થિતિમાં છે. તેથી ત્યાં નવો વિવાદ સામે આવી શકે છે. નિર્ણયને કાનૂની પડકાર પણ આપવામાં આવી શકે છે. ટાટામાં ચંદ્રશેખરન તેથી મહત્વપૂર્ણ
    Click here to Read More
    Previous Article
    Leo Aaj Ka Rashifal: संपत्ति और वाहन के मामलों में सावधानी जरूरी, परिवार में मतभेद संभव
    Next Article
    સેન્સેક્સમાં 200 પોઈન્ટની તેજી:74,500 પર કારોબાર કરી રહ્યો, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઉછાળો; મેટલ અને ફાર્મા શેરોમાં વધુ ખરીદી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment