Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખ્યાતનામ તબીબના હત્યારાઓનો આતંક:જેલમાંથી છૂટીને મદદ કરનાર પરિવાર પાસે જામીન ખર્ચના 5 લાખ માંગ્યા; ઘરમાં ઘૂસી મહિલા પર હથિયારથી હુમલો કર્યો

    14 hours ago

    ભાવનગર શહેરમાં બે વર્ષ પહેલાં થયેલી એક તબીબની હત્યાના કેસમાં જામીન પર મુક્ત થયેલા આરોપીઓએ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો વધુ એક ગંભીર ગુનો આચર્યો છે. હત્યા સમયે ઇજાગ્રસ્ત તબીબ અને તેમના પુત્રને કારમાં હોસ્પિટલ સારવારમાં લઈ જઈ મદદ કરનાર વિજયભાઈ ગોહેલ નામના વ્યક્તિ પર આરોપીઓએ દાઝ રાખી હતી. જેલમાંથી બહાર આવીને આરોપીઓએ જામીન મેળવવા થયેલા ખર્ચના રૂ. 4થી 5 લાખની ખંડણી માંગી પરિવારને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા 8 શખસો ઘાતક હથિયારો સાથે વિજયભાઈના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમની પત્ની પર પાઇપ વડે હુમલો કરી બાઇકમાં તોડફોડ મચાવતા ચકચાર મચી ગઈ છે. સારવારમાં મદદ કરવાની અદાવત રાખી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરના એરપોર્ટ રોડ પર આવેલા યોગીનગર વિસ્તારમાં 2024ની દિવાળીની રાત્રે પ્રખ્યાત ડૉ. શિવરાજભાઈ લાખાણીનું ખૂન થયું હતું. આ સમયે ડૉક્ટરના ઘરે ઘરકામ કરતી મહિલા ઈલાબેનના પતિ વિજયભાઈ ગોહેલે માનવતાના ધોરણે ઇજાગ્રસ્ત ડૉક્ટર અને તેમના દીકરાને લોહીલુહાણ હાલતમાં પોતાની કારમાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તબીબની હત્યાના કેસમાં પકડાયેલા આરોપીઓ આ મદદ કરવાના કારણે વિજયભાઈ પર કડવાશ અને અદાવત રાખીને બેઠા હતા. જામીન પર છૂટતાની સાથે જ 4થી 5 લાખની ખંડણી માંગી, 20 હજાર પડાવ્યા આ મર્ડર કેસના મુખ્ય આરોપીઓ પ્રકાશ ઉર્ફે પકો, લાલો ઉર્ફે છત્રી, હિતેષ ડાભી, ચિરાગ ઉર્ફે ભાણો રાઠોડ અને દેવ ઉર્ફે અગુ થોડા સમય પહેલાં જેલમાંથી જામીન પર મુક્ત થયા હતા. બહાર આવતાની સાથે જ તેઓએ વિજયભાઈને અવારનવાર ફોન કરીને ધમકી આપવાનું શરૂ કર્યું હતું કે, અમારે જામીન પર છૂટવા માટે રૂ. 4થી 5 લાખનો ખર્ચ થયો છે, જે તારે ચૂકવવો પડશે. આરોપી હિતેષ ડાભીએ વિજયભાઈ અને તેમના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને આશરે 6 મહિના પહેલાં રૂ. 10,000 અને ગત 7 જૂનના રોજ દીકરા પાસેથી વધુ રૂ. 10,000 બળજબરીથી પડાવી લીધા હતા. વોટ્સએપ કોલથી ધમકી આપી, રાત્રે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો ગત 10 જૂન 2026 ની રાત્રે આરોપી લાલો ઉર્ફે છત્રીએ વિજયભાઈના દીકરાને વોટ્સએપ કોલ કરીને ખેડુતવાસ વિમાના દવાખાને પૈસાની પતાવટ કરવા બોલાવ્યો હતો. ડરી ગયેલા પિતા-પુત્ર તેને મળવા ગયા ત્યારે તકનો લાભ લઈને અન્ય આરોપીઓ એકસંપ થઈને ગીતાનગર સોસાયટીમાં આવેલા વિજયભાઈના ઘરમાં ઘૂસી ગયા હતા. છરી, પાઇપ અને ધારીયા જેવા ઘાતક હથિયારો સાથે આવેલા 8 શખસોએ વિજયભાઈના પત્ની ઈલાબેનને બેફામ ગાળો આપી પાઇપના સપાટા મારી દીધા હતા. ઉપરાંત આંગણામાં પડેલી વિજયભાઈની મોટરસાઇકલના ટાયરમાં છરીઓ ઝીંકી ટાયર ફાડી નાખ્યા હતા અને બાઇકમાં તોડફોડ કરી રૂ. 25,000 નું નુકસાન કર્યું હતું. હુમલાખોરો જતાં-જતાં ધમકી આપી ગયા હતા કે જો હવે પછી પૈસા નહીં મળે તો પિતા-પુત્ર બંનેની લાશ પાડી દઈશું. ઘોઘારોડ પોલીસે 8 શખસો સામે ગુનો નોંધી તપાસ તેજ કરી આ ચકચારી હુમલા બાદ ભયભીત બનેલા ઈલાબેન વિજયભાઈ ગોહીલે 11 જૂનના રોજ હિમ્મત કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે પ્રકાશ ઉર્ફે પકો ખોખર, લાલો છત્રી, પીયુષ ઉર્ફે પીલો બારૈયા, ચિરાગ ઉર્ફે ભાણો રાઠોડ, દેગુ ભીલ (ચિરાગનો મામો), મેહુલ (ચિરાગનો મિત્ર), દેવ ઉર્ફે અગુ ચુડાસમા, હિતેશ બટુકભાઈ ડાભી આ તમામ 8 આરોપીઓ વિરૂદ્ધ નવા કાયદા (BNS)ની કલમ 308(4), 308(5), 191, 115(2), 333, 351 તેમજ જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 'પ્રગતિ પથ યાત્રા'નો શુભારંભ:સુરસાગર ડેરીથી મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું, પ્લાન્ટ નિરીક્ષણ અને વૃક્ષારોપણ કરાયું
    Next Article
    Karuppu OTT Release: Date, Cast, Plot, Where To Watch Suriya's Fantasy Drama

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment