Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગાઈનો મામલો આવ્યો સામે:નખત્રાણામાં વ્યાજના રૂપિયા મુદ્દે સાટાકરારમાં 5 લાખની ઠગાઈ

    11 hours ago

    નાના અંગીયાના ખેડૂતને રૂપિયા 10 લાખ 4 ટકા વ્યાજે આપી સાટાકરાર કરી રૂપિયા 5 લાખની ઠગાઈ કરવામાં આવી હતી અને ઠગાઈના રૂપિયાનું પણ આરોપીઓએ વ્યાજ વસુલ્યો હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મોહનભાઈ અરજણભાઈ પટેલે નખત્રાણા પોલીસ મથકે આરોપી ગૌતમ સામજી ભાદાણી,બળવંતસિંહ ઉર્ફે બળુભા તગજી સોઢા અને કિશોરસિંહ કારુભા જાડેજા સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 9 એપ્રિલ 2025 થી 11 ફ્રેબ્રુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.આરોપી ગૌતમે ફરિયાદીને રૂપિયા 10 લાખ 4 ટકા વ્યાજે આરોપી બળવંતસિંહ પાસેથી લઇ દીધા હતા.જે માટે આરોપીઓએ સાટાકરાર કરાવ્યો હતો. જેમાં આરોપીઓએ રૂપિયા 5 લાખની રકમ વધુ લઇને ઠગાઈ આચરી હતી.તેમજ આરોપી ગૌતમે રૂપિયા 5 લાખનું વ્યાજ 20 હજાર વસુલ કર્યો હતો. આરોપીઓએ ઠગાઈના રૂપિયા 5 લાખ ફરિયાદીને પરત ન આપી ફરિયાદી પાસેથી રૂપિયા 7 લાખની પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી રૂબરૂ અને ફોન પર આપી વાડી પર બેસી જવા કહ્યું હતું.સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મામલતદારે જમીન પર શ્રી સરકાર કરતા ફફડાટ:અંજારમાં ‘બોગસ ખેડૂત’ બની કિંમતી જમીન પચાવી પાડનારને રૂપિયા 10.56 કરોડનો દંડ
    Next Article
    ‘દ્રશ્યમ’ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના બની:ખાંભલામાં હિચકારું ઓનર કિલિંગ, પિતાએ જ દીકરી-પ્રેમીને પતાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment