Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપા ચૂંટણી પહેલા એક્શન મોડમાં:આવક વધારવા 5 ટાઉનશીપની કુલ 52 દુકાનોની જાહેર હરાજીનો તંત્ર દ્વારા તખ્તો ઘડાયો, મનપાની તિજોરીમાં કરોડો ઠલવાશે

    19 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. માર્ચ મહિનાના અંત સુધી આચારસંહિતા લાગુ થવાની શક્યતા છે, ત્યારે પણ મનપાનાં તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાંચ ટાઉનશીપની ખાલી પડેલી 52 દુકાનોની હરાજી કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આવક વધારવાના હેતુથી આ આવાસ યોજનાઓની દુકાનો વેચવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પૈકી વકિલ ઈમાનદાર ટાઉનશીપ અને લાલુભાઈ પારેખ ટાઉનશીપની કુલ 19 દુકાનોની હરાજી માટે કમિશનર તુષાર સુમેરા દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, જેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. તો અન્ય 3 ટાઉનશીપની 33 દુકાનો માટે હાલ મ્યુ કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરીની રાહ જોવાઈ રહી છે. એસ્ટેટ વિભાગમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ શિવ ટાઉનશીપ સામે આવેલ વકિલ ઇમાનદાર ટાઉનશીપની 9 દુકાનો અને લાલુભાઈ પારેખ ટાઉનશીપ ખાતે 10 દુકાનો માટે મંજૂરી મળી ચુકી છે. આ ઉપરાંત, સ્માર્ટઘર યોજના-2 અંતર્ગત સિતાજી ટાઉનશીપની 20 દુકાનોની હરાજી પણ કરવામાં આવશે. જેમાં સેકન્ડ ફ્લોર પર આવેલી 19 દુકાનોનો સમાવેશ થાય છે. આ દુકાનોનો કાર્પેટ એરિયા 17.94 ચોરસ મીટરથી 21.21 ચોરસ મીટર સુધીનો છે, જ્યારે તેની અપસેટ કિંમત રૂ. 15,10,000 થી રૂ. 15,30,000 સુધી નિયત કરવામાં આવી છે. આ હરાજી દ્વારા મહાનગરપાલિકાને મોટા પ્રમાણમાં આવક થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેવી જ રીતે, કવિ કલાપી ટાઉનશીપના શોપિંગ સેન્ટરમાં ફર્સ્ટ ફ્લોર પર આવેલી 10 દુકાનોની હરાજી માટે પણ દરખાસ્ત તૈયાર છે. આ દુકાનોનો એરિયા 10 ચોરસ મીટરથી 26.02 ચોરસ મીટર સુધીનો છે, જેની લઘુત્તમ અપસેટ કિંમત રૂ. 10,00,000 અને મહત્તમ રૂ. 11,60,000 રાખવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં. 1 માં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી શહિદ સુખદેવસિંહ ટાઉનશીપની 3 દુકાનોનો પણ સમાવેશ થાય છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાન (14.19 ચોરસ મીટર) ની કિંમત રૂ. 18,30,000 અને સેકન્ડ ફ્લોરની બે મોટી દુકાનો (53.04 અને 50.29 ચોરસ મીટર) ની અપસેટ પ્રાઇઝ અનુક્રમે રૂ. 46,90,000 અને રૂ. 48,90,000 નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે મનપા દ્વારા જ્યારે પણ નવી ટાઉનશીપ બનાવવામાં આવે છે, ત્યારે તેના નિભાવ ખર્ચ અને આવકના સ્ત્રોત ઊભા કરવા માટે કોમર્શિયલ દુકાનો અને ઓફિસોની હરાજી કરવામાં આવતી હોય છે. અગાઉ ઘણી વખત અપસેટ પ્રાઇઝ કરતા ઊંચા ભાવ નહીં મળવાને કારણે હરાજી રદ કરવી પડી હતી, પરંતુ તાજેતરમાં થયેલી હરાજીમાં તંત્રને સારો પ્રતિસાદ અને આવક મળી હતી. આ સફળતાને ધ્યાને રાખીને એસ્ટેટ વિભાગે ચૂંટણી પૂર્વે આ તમામ 52 મિલકતોનો નિકાલ કરવા માટે કમર કસી છે. જો કમિશનર તરફથી બાકીની ટાઉનશીપ માટે ત્વરિત મંજૂરી મળશે, તો ટૂંક સમયમાં આ તમામ મિલકતો માટે જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં કાર ચાલકનો આતંક, VIDEO:ભરચક બજારમાં બેફામ રીતે ગાડી ચલાવી 4થી 5 વાહનને અડફેટે લીધા, 3થી 4 લોકોને ફંગોળ્યા; લોકોએ કાચ તોડી રોકવાનો પ્રયાસ કર્યો
    Next Article
    BCCI Accused Of Illegally Using 'Indian Premier League' Name In Bizarre Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment