Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ 5 એપ્રિલે મનપાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે:50% યુવા ઉમેદવારને મેદાનમાં ઉતારશે: અમિત ચાવડા, રાજકોટના ખાનગી રિસોર્ટમાં બેઠક મળી

    5 days ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે રાજકોટમાં સૌરાષ્ટ્રના જિલ્લા-શહેર કોંગ્રેસ પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠક યોજી ચૂંટણી લક્ષી ચર્ચા કરી હતી. આજે (2 એપ્રિલ) ગોંડલ ચોક નજીક ખાનગી રિસોર્ટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર-જિલ્લા, જામનગર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરના આગેવાનો સાથે ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી હતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમિત ચાવડાએ જીતના દાવા સાથે ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રસ્ત જનતા પરિવર્તનની શરૂઆત સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એ સાથે આગામી 5 એપ્રિલે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, જેમાં મહાનગર પાલિકાના ઉમેદવારો જાહેર કરવામાં આવશે. અમિત ચાવડાએ દોઢ કલાક માર્ગદર્શન આપ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ગોંડલ ચોક નજીક ખાનગી રિસોર્ટમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના પ્રમુખ, પ્રભારીઓ નિરીક્ષકો સાથે બપોરના 3 વાગ્યાથી શરૂ થયેલી આ બેઠક 4.30 વાગ્યા સુધી ચાલી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ દ્વારા તમામ આગેવાનોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પાર્ટીની રણનીતિ સ્પષ્ટ કરી વધુને વધુ લોકો સુધી પહોંચવા સૂચના આપી હતી. 50 ટકા યુવા ઉમેદવારોને મેદાને ઉતારાશે: અમિત ચાવડા અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં જયારે 10,000 બેઠક પર ચૂંટણી યોજાવાની છે, ત્યારે અગાઉથી જ આ વખતે કોંગ્રેસ દ્વારા લોકો સુધી પહોંચી તેમની વ્યથા અને પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઉમેદવારો અંગે અને લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસની ચૂંટણી સમિતિ પણ આગામી બે દિવસમાં પોતાની કાર્યવાહી શરૂ કરશે અને આ વખતે યુવાનોને પ્રાધાન્ય આપી 50 ટકા યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા નિર્ણય કરાયો છે. ‘જનતા ભાજપના શાસનથી ત્રસ્ત’ અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે લોકોના મત જાણ્યા છે, લોકોમાં નારાજગી અને રોષ છે. ગુજરાતની જનતા ભાજપના ભ્રષ્ટાચારી શાસન અને મોંઘવારીથી ત્રસ્ત છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે. યુવાનો દારૂ અને ડ્રગ્સના દુષણમાં ફસાયા છે, માટે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અમે આ વખતે પ્રજાના મુદ્દાઓને ધ્યાનમાં રાખી લોકો વચ્ચે મત માંગવા જવાના છીએ.અમારી સરકાર બનતા તમામ સમસ્યાઓ હલ કરવા પ્રયત્ન કરશે. ફોર્મ ભરવામાં ભૂલ ન થાય તે માટે લીગલ ટીમ સજ્જ આ બેઠકમાં અત્યાર સુધીમાં નિરીક્ષકો દ્વારા કરવામાં આવેલા પ્રવાસ અંગે ચર્ચા કરી ઉમેદવારોની સ્થિતિ શું છે તેની ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત તમામ બેઠક પર ઉમેદવારો પસંદગી અંગે કોઈ પ્રશ્ન હોય કે કોઈ જગ્યાએ પ્રભારીઓ સમક્ષ કોઈ રજુઆત કરવામાં આવી છે કે કેમ તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન રહે તે માટે અગાઉથી લીગલ ટીમને બોલાવી ફોર્મ ભરવા તાલીમ આપી દેવામાં આવી છે. ચૂંટણીમાં કોઈ પણ કચાસ ન રહે તે માટે ઝીણવટભરી કાળજી રાખવા તમામને સૂચના પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવી છે. આજની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય વિમલ ચુડાસમા, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, વિક્રમભાઈ માડમ, મહમદ પીરઝાદા, પ્રવિણભાઈ મૂછડીયા, હીરાભાઈ જોટવા, લલિત વસોયા, ઋત્વિક મકવાણા, ભીખાભાઈ જોશી, પ્રતાપ દુધાત હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    The sacred geography they bulldozed: How Modi’s vision erased Kashi
    Next Article
    સુરત ડાયમંડ બુર્સ બનશે રફ હીરાનું વૈશ્વિક હબ:વેપારીઓનો ઐતિહાસિક નિર્ણય, હવે એક જ છત નીચે થશે ટ્રેડિંગ, બુર્સમાં જ થશે રફનું ઈમ્પોર્ટ અને ટ્રેડિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment