Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરિબાલા અને સમર્થના 5-5 દિવસના રિમાન્ડ મંજુર:CBI સામ-સામે બેસાડીને પૂછપરછ કરશે; ટ્વિશાના 20 લાખના શેર ટ્રાન્સફર કરવા માતા-પુત્ર દબાણ કરતા હતા

    2 days ago

    એક્ટ્રેસ-મોડેલ ટ્વિશા શર્માના મોતના કેસમાં, સીબીઆઈએ તેના સાસુ, નિવૃત્ત જજ ગિરિબાલા સિંહ અને તેમના પતિ સમર્થને કોર્ટમાં હાજર કર્યા હતા. તપાસ એજન્સીના વકીલે બંને માટે 5-5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આ અંગે આરોપી પક્ષના વકીલે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં, ત્યારબાદ સ્પેશિયલ કોર્ટના જજ શોભના ભાલવેએ સીબીઆઈ રિમાન્ડ મંજૂર કર્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અભિનેત્રી-મોડેલ ટ્વિશા શર્માના સાસુ, નિવૃત્ત જજ ગિરિબાલા સિંહની મૃત્યુ કેસમાં ધરપકડ કરી છે. તેમના પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ છે. CBIએ ત્રણ દિવસની પૂછપરછ, સ્થળ ચકાસણી અને પુરાવા તપાસ પછી આ કાર્યવાહી કરી. સીબીઆઈએ 25 મેની રાત્રે આ કેસમાં ઔપચારિક એફઆઈઆર દાખલ કરી હતી. 26 મેના રોજ, સીબીઆઈ ટીમે સૌપ્રથમ બાગ મુગલિયા એક્સટેન્શનમાં ગિરિબાલા સિંહના ઘરની મુલાકાત લીધી હતી. ત્યાં, અધિકારીઓએ લગભગ બે કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. ટીમે ટ્વિશા શર્માના મૃત્યુની રાતના સંજોગો, ઘરમાં હાજર લોકોની પ્રવૃત્તિઓ અને ઘટના પછી લેવામાં આવેલા પગલાં વિશે પણ માહિતી ભેગી કરી હતી. ટ્વિશાના પતિ સમર્થ સિંહને સીબીઆઈ દ્વારા પહેલાથી જ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. સૂત્રો કહે છે કે સમર્થ અને ગિરીબાલાની હવે રૂબરૂ પૂછપરછ કરવામાં આવશે. સીબીઆઈ હવે ટનલ વ્યૂ તપાસ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. એજન્સી ટ્વિશાના અંતિમ કલાકોનું વર્ચ્યુઅલ રિક્રિએશન બનાવી રહી છે, જેથી ઘટના પહેલા અને પછીની દરેક મિનિટ-દર-મિનિટની પ્રવૃત્તિને સમજી શકાય. 20 લાખ રૂપિયાના શેર તેમના નામે ટ્રાન્સફર કરવા માતા-પુત્ર દબાણ કરતા હતા તપાસમાં જાણવા મળ્યું કે ટ્વિશાએ ​​ઘણી કંપનીઓમાં આશરે 20 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હતા. તેના પતિ સમર્થ અને સાસુ ગિરિબાલા સિંહે તેના પર આ શેર તેમના નામે ટ્રાન્સફર કરવા દબાણ કરતા હતા. ટ્વિશાના વકીલ અંકુર પાંડેના જણાવ્યા અનુસાર, તેમના લગ્ન સમયે આ શેરની કિંમત આશરે 20 લાખ રૂપિયા હતી. લગ્ન પછી, ટ્વિશા વિયેતનામ ગઈ. પાછા ફર્યા પછી, સમર્થ અને ગિરિબાલાને ખબર પડી કે શેર તેના નામે છે. તપાસમાં એ પણ બહાર આવ્યું કે ટ્વિશાએ ​​તેની માતાને ફોન પર કહ્યું હતું કે સમર્થ અને ગિરિબાલાએ દહેજની માંગણીને લઈને તેની સાથા મારામારી કરે છે. તેઓએ બાળક અંગે પણ તેને માનસિક રીતે પણ હેરાન કરી હતી. CBI ડિજિટલ એવિડન્સનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે 28 મેની સવારે 10:30 વાગ્યે સીબીઆઈની ટીમ ફરી એકવાર ગિરિબાલા સિંહના ઘરે પહોંચી. 7 કલાકથી વધુ સમય સુધી સતત પૂછપરછ કરવામાં આવી. આ રીતે ત્રણ દિવસમાં લગભગ 10 કલાક ચાલેલી પૂછપરછમાં સીબીઆઈએ સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કર્યો. સ્થળ તપાસ દરમિયાન તપાસ એજન્સીને એવા સંકેતો મળ્યા, જેનાથી પુરાવાઓ સાથે ચેડાં થવાની આશંકા મજબૂત થઈ. આ જ આધારે ગિરિબાલા સિંહની ધરપકડ કરવામાં આવી. CBI હવે કોલ ડિટેલ રેકોર્ડ, ટાવર લોકેશન અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે. તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘટનાની રાત્રે કયા લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મૃત્યુ પછી ઘટનાસ્થળે શું ફેરફારો કરવામાં આવ્યા હતા?
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં એબ્સોલ્યુટ વોડકા-શિવાસ રીગલના વેચાણ પર પ્રતિબંધ યથાવત:પેરનોડ રિકાર્ડ પર ₹3,000 કરોડનો ટેક્સ બાકી; EDના આરોપો પછી લાઇસન્સ રદ
    Next Article
    દુકાન ખોલતા જ ધુમાડાના ગોટેગોટા બહાર આવ્યા:અમરોલીમાં મોબાઈલની દુકાન આગથી ભડકે બળી, અફરાતફરી વચ્ચે લાખોની એસેસરીઝ ખાક

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment