Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના જુહાપુરામાં 5 જંગલેશ્વર જેટલું દબાણ છે:અમિત ઠાકર:અશાંતધારાની મિલકતના રક્ષણ માટે કલેક્ટરને 'સુઓ મોટો'ની સત્તા, વાંધાજનક કિસ્સામાં કબજો પણ લઈ શકશે

    21 hours ago

    ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પરની ચર્ચા દરમિયાન ભારે ગરમાગરમી જોવા મળી હતી, જેમાં ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન અને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ અમિત ઠાકરે AMCના લેખિત જવાબને ટાંકીને કહ્યું હતું કે, અમદાવાદના જુહાપુરામાં 5 જંગલેશ્વર જેટલું દબાણ છે . અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.જેમાં અશાંતધારાની મિલકતના રક્ષણ માટે કલેક્ટરને 'સુઓ મોટો'ની સત્તા અપાઈ છે અને વાંધાજનક કિસ્સામાં કબજો પણ લઈ શકશે. જેમાં કૌશિક જૈને નિવેદન આપતા કહ્યું કે, 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો', ત્યારે આ સાંભળતા જ ખેડાવાલાની કમાન છટકી હતી અને તેને વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, 'ઓય, આવી વાત ના કર'. આ કારણે ગૃહમાં વાતાવરણ તંગ બની ગયું હતું અને બંને પક્ષના નેતાઓ વચ્ચે તીખી ચર્ચાના દ્રશ્યો સર્જાયા હતાં. જોકે, પ્રશ્નોના જવાબોમાં મંત્રીઓ દ્વારા કરવામાં આવેલા વિષયાંતર અને અપૂરતી માહિતીને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક વલણ અપનાવી મંત્રીઓ સહિત અધિકારીઓને પણ જાહેરમાં ઠપકો આપ્યો હતો. ગૃહમાં ગંભીર ચર્ચાઓ વચ્ચે અધ્યક્ષ દ્વારા ધારાસભ્ય કેશુભાઈ પટેલને ભૂલથી કેશુબાપા સંબોધતા હાસ્યનું મોજું પણ ફરી વળ્યું હતું. મંત્રીઓના અધૂરા જવાબને પગલે અધ્યક્ષનું કડક વલણ પ્રશ્નકાળ દરમિયાન કેટલાક મંત્રીઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હોવાથી અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક ટિપ્પણી કરી. મંત્રીઓને સ્પષ્ટ સૂચના આપી કે પ્રશ્નને સમજીને ચોક્કસ જવાબ આપે. અધિકારીઓને ટકોર કરતા કહ્યું ‘મૂક પ્રેક્ષક બનીને ન બેસો’ અધ્યક્ષે અધિકારીઓને ખખડાવતા જણાવ્યું કે, મંત્રીઓને યોગ્ય રીતે બ્રીફ કરવી તેમની જવાબદારી છે. વિધાનસભામાં અધિકારીઓ માત્ર દર્શક બનીને બેસવા માટે આમંત્રિત નથી કરવામાં આવતા. 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો' કૌશિક જેને કહ્યુંને ખેડાવાલા ગુસ્સે થયા ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત સુધારા વિધેયકની ચર્ચા દરમિયાન કૌશિક જૈનએ ઇમરાન ખેડાવાલાને કહ્યું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જેને લઈને ખેડાવાલા ગુસ્સે થયા અને 'ઓય આવી વાત ના કર' અને ગૃહ ગરમાયું ભાજપના અમદાવાદના ધારાસભ્યોએ હોબાળો કર્યો. રાજ્યમાં કુલ 93 કેદીઓના કસ્ટડીમાં મોત નોંધાયા ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળમાં સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ મામલે ગૃહ ગરમાયું હતું, જેમાં અમદાવાદ અને સુરતમાં છેલ્લા બે વર્ષમાં 201 કરોડથી વધુની સાયબર ઠગાઈ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં સાયબર ફ્રોડના આંકડાથી લઈને સાબરકાંઠા ડ્રગ્સ કેસમાં પોલીસકર્મીઓ સામે થયેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી. વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં કુલ 93 કેદીઓના કસ્ટડીમાં મોત નોંધાયા છે, જેમાંથી 79 મોત જેલ કસ્ટડીમાં અને 14 મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. જે કસ્ટડી સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. હવેથી અશાંત વિસ્તાર નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે રાજ્યમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. આમ, હવેથી અશાંત વિસ્તાર નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. ભાડૂઆતોને ખાલી કરાવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત(સુધારા) વિધેયક-2026 રજૂ કરતી વખતે મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે. આ વિધેયકના મુખ્ય સુધારાઓ અને જોગવાઈઓ વિશે વાત કરતાં સંજયસિંહ મહિડાએ કહ્યું કે, સરકાર દ્વારા આ કાયદાને વધુ મજબૂત બનાવવા માટે નીચે મુજબના મહત્વના સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે:
    Click here to Read More
    Previous Article
    CBSE ने बच्चों के साथ कर दिया मजाक? Rickrolling Prank History क्या है? | Rick Astley | Social List
    Next Article
    સુરેન્દ્રનગરના દીપેન દવેની બાર કાઉન્સિલ ચૂંટણીમાં હેટ્રિક જીત:ભવ્ય વિજય સરઘસ સાથે તેમનું બહુમાન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment