Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય ત્રીજી રથયાત્રા:ઇસ્કોન સોમનાથ દ્વારા સાંજે 5 વાગ્યે ચૈતન્ય હનુમાનજી મંદિરથી પ્રસ્થાન

    3 days ago

    આંતરરાષ્ટ્રીય શ્રીકૃષ્ણ ભાવનામૃત સંઘ (ઇસ્કોન) સોમનાથ દ્વારા આવતીકાલે, ૨૧ જુલાઈએ ભગવાન શ્રી જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રા મહારાણીની ત્રીજી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા સાંજે ૫ વાગ્યે ચૈતન્ય હનુમાનજી મંદિર (ખરવા વંડી) ખાતેથી પ્રસ્થાન કરશે. સોમનાથ-વેરાવળ વિસ્તારમાં ભક્તોમાં આ યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વૈદિક પરંપરા અનુસાર, ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન જગન્નાથજી સ્વયં રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા નગરચર્યા કરે છે અને તેમને આશીર્વાદ આપે છે. આ કારણોસર દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાઈને ભગવાનના દિવ્ય દર્શનનો લાભ મેળવે છે. ઇસ્કોન દ્વારા આયોજિત આ રથયાત્રા ચૈતન્ય હનુમાનજી મંદિરથી શરૂ થઈ હરસિદ્ધિ આઈસ્ક્રીમ, જલારામ ચોક (ટાવર), કાશી વિશ્વનાથ મંદિર, આદિત્ય બિરલા હોસ્પિટલ, નટવર પાન, 80 ફૂટ રોડ, ગોલારા સોસાયટી, વિદ્યુત નગર, શ્રીનાથજીની હવેલી, ગુરુનાનક ચોક અને શ્રીપાલ ચોકડી સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. આ યાત્રા ડભોર રોડ પર આવેલા નગરપાલિકાના નવનિર્મિત કોમ્યુનિટી હોલ ખાતે સમાપ્ત થશે. ઇસ્કોનના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજીએ જણાવ્યું હતું કે, સમગ્ર રથયાત્રા દરમિયાન હરિનામ સંકીર્તન, ભજન-કીર્તન, ભગવાનની આરતી, પુષ્પવર્ષા અને મહાપ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમગ્ર માર્ગ પર વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. વિશ્વવિખ્યાત જગન્નાથ પુરીની પરંપરાને અનુસરીને ઇસ્કોન રાજકોટ દ્વારા આ વર્ષે નવ દિવસીય શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ અંતર્ગત રાજકોટ, સોમનાથ, જૂનાગઢ, જેતપુર સહિત વિવિધ શહેરોમાં કુલ નવ રથયાત્રાઓ યોજાઈ રહી છે. જેના પરિણામે હજારો ભક્તોને પોતાના શહેરમાં જ ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીના દિવ્ય દર્શનનો અવસર મળી રહ્યો છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન સોમનાથ દ્વારા તમામ ધર્મપ્રેમી નાગરિકો, સામાજિક આગેવાનો અને ભક્તજનોને સહપરિવાર રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન, હરિનામ સંકીર્તન અને મહાપ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ઘુમાની પોશ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો, CCTV:ઘુમા-શેલા-બોપલમાં ડરનો માહોલ, વનવિભાગે પાંજરા મૂક્યા, સાંજના સમયે બહાર ન નીકળવા સૂચના
    Next Article
    સોમનાથના હાટ બજારમાં ગંદકીનું સામ્રાજ્ય:આસ્થાના માર્ગે ગટરના ગંદા પાણીથી શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં, વેપારીઓ ત્રાહિમામ; પાલિકા અને સોમનાથ ટ્રસ્ટની એકબીજાને ખો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment