Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીંછે ઘરમાં ઘૂસી હુમલો કર્યો, 5 લોકો લોહીલુહાણ:પાલનપુર પાસેના ગામમાં રીંછનો આતંક, રસ્તામાં જે મળ્યું તેના પર તૂટી પડ્યું, ભયનો માહોલ

    18 hours ago

    પાલનપુરના હસનપુર ગામમાં રીંછે આંતક મચાવી 5 લોકોને લોહીલુહાણ કર્યાં હતા. ઘરમાં ઘૂસી વૃદ્ધા પર હુમલો કર્યાં બાદ બચાવવા ગયેલા તેના પુત્રને પણ છોડ્યો ન હતો. ગામલોકોએ રીંછને ભગાડવાનો પ્રયાસ કરતાં રસ્તામાં જે પણ મળ્યું તેના પર તૂટી પડ્યો હતો. જેને પગલે ગામમાં ભયનો માહોલ છવાયો છે. બચાવ કામગીરી અને વધુ લોકો પર આક્રમણ આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ગામ લોકો જ્યારે રીંછને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં સામને મળેલા અન્ય 2 થી 4 લોકોને પણ રીંછે અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અને વન વિભાગની કામગીરી આ હિંસક હુમલામાં કુલ 5 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 5 લોકોને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રીંછને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સાવચેતી રાખવા વનવિભાગની અપીલ વન વિભાગ દ્વારા ગ્રામજનોને સુરક્ષિત રહેવા, સાવચેતી રાખવા અને રીંછની નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે અને હજુ સુધી રીંછ પકડાઈ શક્યું નથી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર અંગે સ્પષ્ટતા આ ઘટના અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. સુનિલભાઈ જોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રીંછના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા કુલ 5 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા. જેમાં વહેલી સવારે 2 અને બપોરના સમયે વધુ 3 દર્દીઓને લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબો દ્વારા તમામ 5 દર્દીઓની યોગ્ય પ્રાથમિક સારવાર પૂર્ણ કર્યા બાદ પરિસ્થિતિ સામાન્ય જણાતાં તેઓને રજા આપી દેવામાં આવી છે. આ પણ વાંચો સિંહે માલધારીને દબોચ્યો, પગ પર આંટી મારી બેઠો, VIDEO:પાલિતાણાના ગામમાં સાવજના પંજામાંથી જીવતા આવનારે ભાસ્કરને કહ્યું-'હાથ જડબામાં લીધો, અડધો કલાક છોડ્યો નહીં' ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે ગત 6 જુલાઈ સવારે સિંહે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેનો લાઈવ વીડિયો વાઇરલ થયો હતો. ગાયને ઘાસચારો નાખવા માટે જતા હતા તે સમયે સિંહે માલધારીને દબોચ્યો હતો. વનરાજ માલધારીના પગ પર આંટી મારી બેસી ગયો. હાથ જડબામાં લીધો અને અડધો કલાક છોડ્યો નહતો. (સંપૂર્ણ અહેવાલ વાંચો) .
    Click here to Read More
    Previous Article
    કચ્છના 535 સખી મંડળોને રૂ. 14.05 કરોડની લોન મંજૂર:મહિલાઓ આર્થિક રીતે સશક્ત બનશે, ગ્રામ્ય અર્થતંત્રને ગતિ મળશે
    Next Article
    "Bar Councils Have Become Men's Clubs": Supreme Court Says Co-Opt Women Members

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment