Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યા:ઘરના ઓટલા પરથી ત્રણ દિવસ પહેલા ઉઠાવી હતી, વડોદરાના સતીષાણા ગામે નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો, આરોપી ઝડપાયો

    2 days ago

    વડોદરા જિલ્લાના શિનોરના સતીષાણા ગામના શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની નિર્દોષ બાળકીનું અપહરણ થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. ત્રણ દિવસ પછી બુધવારે(17 જૂન) બાળકીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવતાં અપહરણ બાદ હત્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. ઘરના ઓટલા પરથી બાળકીનું અપહરણ કર્યું સતીષાણા ગામમાં રહેતા શ્રમિક પરિવારની પાંચ વર્ષની દીકરી 14 જૂનની રાત્રે ઘરના ઓટલા ઉપર ખાટલામાં સૂતી હતી. રાત્રિના સમય અને વહેલી સવાર દરમિયાન અજાણ્યા વ્યક્તિએ છળકપટ અથવા લોભ આપીને બાળકીનું અપહરણ કરી લીધું હતું. ત્રણ દિવસની તપાસ બાદ બુધવારે બપોરે વણીયાદ પાસે આવેલી નર્મદા કેનાલમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાલ ચાલુ છે. બાળકીનું પોસ્ટમોર્ટમ કરાયું બાળકીની શોધખોળ માટે સ્થાનિક પોલીસ સાથે LCB, અન્ય ટીમોને સક્રિય કરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી હતી. શિનોર અને જિલ્લા પોલીસ ટીમે અપહરણ અને હત્યાના આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડીયા (ઉંમર 26 વર્ષ) ને ઝડપી લીધો હતો. આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકી સાથે કોઈ છેડછાડ થઈ હતી કે કેમ અને હત્યાનું કારણ શું હતું તેની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે.
    Click here to Read More
    Previous Article
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે:અજય રાયે કહ્યું- ચોરીમાં મોટા માથાની સંડોવણી; SIT ચોથા દિવસે પણ તપાસ માટે પહોંચી
    Next Article
    કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ:નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment