Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 5 વર્ષીય માસૂમને માતા-પિતાએ જ તરછોડ્યો:પહેલા ચોપાટીએ લઈ જઈ રઝળતો મૂક્યો પછી પો.સ્ટેશને ગુમ થયાની ખોટી વાર્તા ઘડી; તપાસમાં દંપતીનો ખેલ ખુલ્લો પડ્યો

    11 hours ago

    સુરત શહેરના વરાછા વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી અને કળિયુગી માતા-પિતાનો ક્રૂર ચહેરો ઉજાગર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોતાના 5 વર્ષના માસૂમ પુત્રને એક બોજ સમજીને 7 મહિના પહેલા ચોપાટી પર બિનવારસી હાલતમાં તરછોડી દેનાર સગી માતા અને સાવકા પિતાએ પોલીસ સમક્ષ બાળક ગુમ થયાની ખોટી વાર્તા રચી હતી. જોકે, વરાછા પોલીસની સતર્કતા અને સીસીટીવી ફૂટેજની સઘન તપાસમાં દંપતીનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસે માસૂમ બાળકને કતારગામના ચિલ્ડ્રન હોમમાંથી સુરક્ષિત રીતે શોધી કાઢીને, ગુનાહિત ષડયંત્ર રચનારા પાપી માતા-પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી લીધી છે. પોલીસ સ્ટેશને આવી રડમસ અવાજે રજૂઆત કરી મળતી માહિતી મુજબ, વરાછાના જગદીશનગર શેરી નંબર-3માં રહેતા 30 વર્ષીય રવિ દ્વારકાપ્રસાદ જાટવ અને તેમની પત્ની દુર્ગાદેવી વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. તેઓએ પોલીસ સમક્ષ રડમસ અવાજે એવી રજૂઆત કરી હતી કે, તેમનો 5 વર્ષનો પુત્ર અમન તા. 16/07/2026ના રોજ સાંજના આશરે 6 વાગ્યાના સુમારે ઘર આંગણે રમતા-રમતા અચાનક ક્યાંક ગુમ થઈ ગયો છે. જોકે, વાલીઓની વાતો અને ચહેરાના હાવભાવ શંકાસ્પદ જણાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. વરાછા પોલીસની સતર્કતા અને 25 CCTV કેમેરાની તપાસ બાળક ગુમ થવાની સંવેદનશીલ ઘટનાને ધ્યાને લઈને વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળા તુરંત એક્શનમાં આવ્યા હતા. તેમણે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ. વી.ડી.માળી અને તેમની ટીમને ઘટનાસ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસવા આદેશ કર્યો હતો. પોલીસે અંદાજે 25 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ કરી અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી હતી. આશ્ચર્યજનક રીતે, સીસીટીવી ફૂટેજમાં ફરિયાદી દંપતીએ જણાવેલી હકીકતને સમર્થન આપતો કોઈ પુરાવો ન મળતા પોલીસનો શંકાનો દાયરો મજબૂત બન્યો હતો. સાવકા અને સગા સંબંધોનું વરવું સત્ય પોલીસની કડકાઈથી થયેલી ઘનિષ્ઠ પૂછપરછમાં અંતે આ દંપતી ભાંગી પડ્યું હતું અને જે સત્ય બહાર આવ્યું તે રૂંવાડા ઊભા કરી દે એવું હતું. ગુમ થયેલો 5 વર્ષનો માસૂમ અમન હકીકતમાં દુર્ગાદેવીના પ્રથમ પતિ રાજકુમાર જેઠુરામ ધનવાનો પુત્ર હતો. દુર્ગાદેવીએ બીજા લગ્ન રવિ જાટવ સાથે કર્યા હતા. સાવકા પિતા રવિ અને સગી માતા દુર્ગાદેવી આ માસૂમ બાળકને પોતાની સાથે રાખવા કે તેનો ઉછેર કરવા બિલકુલ તૈયાર ન હતા. પોતાના સ્વાર્થ માટે તેઓએ આ બાળકને એક બોજ સમજીને કાયમ માટે દૂર કરવાનું ક્રૂર ષડયંત્ર રચ્યું હતું. વરાછા પોલીસના જણાવ્યા મુજબ બીજા લગ્ન બાદ દંપતી આ બાળકને બોજ ગણતું હતું. લોકો દ્વારા બાળકની પૂછપરછ શરૂ થતાં કાયદાના ડરથી બચવા માટે તેમણે ગુમ થયાનું નાટક રચ્યું હતું. 7 મહિના પહેલા ચોપાટી પર ત્યજી દીધો હતો આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓએ આજથી લગભગ 7 મહિના પહેલા એટલે કે તા. 01/12/2025ના રોજ જ માસૂમ અમનને વરાછા જગદીશનગર ચોપાટી ખાતે બિનવારસી હાલતમાં એકલો રઝળતો છોડી દીધો હતો. તાજેતરમાં કેટલાક લોકો દ્વારા દુર્ગાદેવીને બાળકની ભાળ અંગે વારંવાર પૂછપરછ કરવામાં આવી રહી હોવાથી, પોતાની પોલ ખુલી જવાના ડરથી બચવા માટે આ શાતિર દંપતીએ બાળક હાલમાં જ ગુમ થયો હોવાની ખોટી વાર્તા ઘડી કાઢી હતી. અમન કતારગામ ચિલ્ડ્રન હોમમાંથી સુરક્ષિત મળી આવ્યો કળિયુગી માતા-પિતાની આ ભયાનક કબૂલાત બાદ વરાછા પોલીસે તાત્કાલિક સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સામાજિક સંસ્થાઓ અને ચિલ્ડ્રન હોમ્સમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ સઘન શોધખોળ દરમિયાન વરાછા પોલીસને મોટી સફળતા મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, ચોપાટી પરથી બિનવારસી હાલતમાં મળી આવેલો માસૂમ અમન સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા 'વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમ કેર' ખાતે એકદમ સુરક્ષિત હાલતમાં આશ્રય મેળવી રહ્યો છે. પોતાના માસૂમ બાળકને અસુરક્ષિત રીતે ત્યજી દેવા બદલ અને પોલીસને ગેરમાર્ગે દોરી ખોટી માહિતી આપવા બદલ વરાછા પોલીસે આરોપી રવિ દ્વારકાપ્રસાદ જાટવ અને તેની પત્ની દુર્ગાદેવી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 93 અને 61(2) મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં કુપોષણ ઘટાડવા આરોગ્ય વિભાગના કાર્યક્રમો:આશાવર્કરો અને આંગણવાડી કાર્યકરો માટે વિશેષ તાલીમ શિબિરો યોજાઈ
    Next Article
    ઉચ્છલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ:સ્થળાંતરિત બાળકોને શિક્ષણ સાથે જોડવા અનોખી પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment