Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલો... પરમિશન વગર જ રોડ તોડી નાંખતા વિવાદ:વડોદરામાં 5 કરોડ રૂપિયાના ખર્ચે થયેલ રોડ પરવાનગી વગર મદ્રાસ ભવનના સંચાલકોએ ખોદી નાંખ્યો, સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ, પાલિકા દંડાત્મક કાર્યવાહી કરશે

    9 hours ago

    વડોદરામાં વહીવટી તંત્ર અને પ્રજાના ટેક્સના નાણાંના ઉપયોગ સામે સવાલો ઊભા કરતી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના સેવાસીથી પ્રિયા સિનેમા રોડ પર અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નવા રોડનું મદ્રાસ ભવનના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના મદ્રાસ ભવન ખાતે લાઈન નાખવાના કામના બહાને રોડને વચ્ચેથી તોડી ખોદી નાખવામાં આવ્યો છે. જેના કારણે રસ્તાના આયુષ્ય પર અસર થશે. મુખ્ય માર્ગ પર ખોદકામ બાદ ઉભા થયેલા ખાડાઓને કારણે વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા ભારે વાહનવ્યવહાર દરમિયાન અકસ્માત સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો રોડ ખોદવા માટે સંબંધિત વિભાગની મંજૂરી જરૂરી હોય, તો પછી કોઈપણ પ્રકારની પૂર્વ પરવાનગી વિના આ કામગીરી કેવી રીતે કરવામાં આવી? તેમજ જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે દેખરેખ કેમ રાખવામાં આવી નહીં તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક નાગરિકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત વિભાગોને તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો આ ખોદકામના કારણે કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી નક્કી થવી જોઈએ. સાથે જ જાહેર નાણાંથી બનેલા રસ્તાને નુકસાન પહોંચાડનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે કેટલી ગંભીરતા દાખવે છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કયા પ્રકારના પગલાં ભરે છે. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, આ રોડની કામગીરીમાં આશરે 5 કરોડ જેવો કંઈક ખર્ચ થયો છે. પરંતુ, આ રોડની લાયબિલિટી પૂરી થાય તે પહેલાં જ તેને તોડવામાં આવ્યો છે. તે નિયમ પ્રમાણે ‘મદ્રાસ ભવન’ સામે જે પણ દંડાત્મક કાર્યવાહી થશે તે કરવામાં આવશે. આ રોડ પર પેચવર્ક કરીને તેને સરખો કરી દેવામાં આવશે. પરંતુ, આ નુકસાન માટે જેટલા પણ રૂપિયાની દંડાત્મક કાર્યવાહી બનશે, તે બધી તેમની સામે કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રોડ તોડવા માટે મને આજુબાજુના રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી, એટલે હું અહીં આવીને ચેક કર્યું તો આ ગેરકાયદેસર કામ કરવામાં આવી રહ્યું છે. કોઈ લાઇસન્સ પ્લમ્બર કે કોઈ લાઇસન્સ સર્ટિફિકેટ વગર અને કોઈ જ મંજૂરી વગર આ કામ થઈ રહ્યું છે. ‘મદ્રાસ ભવન’ દ્વારા જ આ કામ થયું છે. એટલે એમને નોટિસ આપવામાં આવશે. સોમવારે નોટિસ મુજબ આગળની દંડાત્મક કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    વાપી પોલીસે ₹2.41 લાખના 13 મોબાઈલ પરત કર્યા:‘તેરા તુજકો અર્પણ’ હેઠળ ગુમ થયેલા ફોન માલિકોને મળ્યા
    Next Article
    ભરૂચમાં CNI ચર્ચ દ્વારા છાશ વિતરણ:કાળઝાળ ગરમીમાં મુસાફરોને રાહત આપવા વિનામૂલ્યે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment