Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂપિયા 5 કરોડની ખંડણીનો મામલો:ગુજરાતીને ફસાવવાની ધમકી આપી ખંડણી માગતી મહિલાની ધરપકડ

    1 day ago

    પુણેમાં ઈઝી પે પ્રા. લિ. નામે આઈટી કંપની ચલાવતા વેપારી નિલય જશભાઈ પટેલ પાસે રૂ. 5 કરોડની ખંડણી માગવાના કેસમાં પોલીસે વેપારીની પરિચિત દિલ્હીની રહેવાસી નિવેદિતા અપુલ શર્મા (31) અને તેના વકીલ રાહિત્યરાજ રાજીવકુમાર મિશ્રા (27)ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ખંડણી તરીકે લીધેલા રૂ. 45 લાખ, ત્રણ મોબાઈલ ફોન અને તેમની બલેનો કાર જપ્ત કરવામાં આવી છે. મુંબઈ પોલીસે એન્ટી એક્સટોર્શન સેલના અધિકારીએ જણાવ્યું હતું કે નિલય અને નિવેદિતા એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં. તેઓ કામ નિમિત્તે દેશનાં વિવિધ શહેરમાં એકત્ર પ્રવાસ કરતાં હતાં અને એક જ હોટેલમાં મુકામ કરતાં હતાં. નિલયે અનેક વાર નિવેદિતાને આર્થિક મદદ કરી હતી. આ પછી નિવેદિતાએ ધંધા માટે રૂ. 5 કરોડની માગણી કરતી હતી. જોકે આ માગણી નહીં સંતોષાથાં નિલય વિરુદ્ધ મુંબઈમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નિલય વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મામલો ગંભીર બનતાં નિલયે પોતાના પરિચિતને નિવેદિતા પાસે મોકલ્યો હતો. નિવેદિતાએ નિલય પૈસા માટે ગલ્લાંતલ્લાં કરી રહ્યો છે. મારા વકીલે રેપ કેસમાં તેને ફસાવવાની સલાહ આપી છે. જો વધુ નાટક કરશે તો બાસીત નામે ગુંડા પાસેથી હત્યા કરાવીશ એવી ધમકી આપી હતી. જો આ બધાથી બચવું હોય તો રૂ. 4 કરોડ આપવાની માગણી કરી હતી. આખરે તડજોડ બાદ રૂ. 2 કરોડ આપશે તો જ કેસ પાછો ખેંચીશ એમ કહ્યું હતું. નિલયના પરિચિતે આ વાર્તાલાપ ફોન પર રેકોર્ડ કરી લીધો હતો. આ પછી પરિચિત 29 જુલાઈએ તાજ સાંતાક્રુઝ ખાતે નિવેદિતાને મળવા માટે ગયો હતો, જ્યાં બાસીત અને તેનો વકીલ પણ હતા. હવે તેમણે રૂ. 2.50 કરોડની ખંડણીની માગણી કરી હતી. જો પૈસા નહીં મળે તો સુપ્રીમ કોર્ટના વકીલો થકી જીવનભર નિલયને જેલમાં સડાવવાની ધમકી આપી હતી. 11 ઓગસ્ટે ફરી નિવેદિતાએ નિલયના પરિચિતને ફોન કોલ કરીને રૂ. 2.50 કરોડ માગ્યા હતા. આ પછી નિવેદિતા વિરુદ્ધ એન્ટી એક્સટોર્શન સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 14 ઓગસ્ટે બપોરે નિવેદિતા જુહુ ખાતે હોટેલ નોવોટેલ ખાતે પૈસા લેવા માટે આવી હતી. તે સમયે રૂ. 45 લાખની રોકડ લેતાં નિવેદિતાને રંગેહાથ ઝડપી લેવાઈ હતી. આ સાથે નિવેદિતાની વકીલને પણ ધરપકડ કરાઈ છે. હવે બંનેને રિમાંડ પર લઈને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કોલાબા નેવી નગરમાં બનેલી ચોંકાવનારી ઘટના:નૌકાદળના જવાન દ્વારા પત્ની, બે બાળકોની હત્યા બાદ આત્મહત્યા
    Next Article
    એફડીએ કમિશનરના નિશાન પર હવે બોલીવૂડના કલાકારો:પાન મસાલાની ‘પરોક્ષ' જાહેરાત કરવા માટે શાહરુખ, અજય દેવગન અને ટાઈગરને નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment