Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:નવપ્રવેશી બાળકોનું સ્વાગત, 5 હજાર વૃક્ષો વાવવાની અપીલ

    8 hours ago

    મોરબીની મહેન્દ્રનગર પ્રાથમિક શાળામાં ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026’ યોજાયો હતો. રાજ્યના શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમમાં નવપ્રવેશી બાળકોનું સ્વાગત કરાયું હતું. મોરબીના નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સંબોધન કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારના પ્રયાસોથી સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે. તેમણે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાથમિક શિક્ષણથી જ સકારાત્મક માહોલ સર્જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મંત્રીશ્રીએ મોરબીના વધતા ઔદ્યોગિક વિકાસ વચ્ચે પર્યાવરણીય સંતુલન જાળવવા માટે દર વર્ષે 5 હજાર વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરીને આગળ વધવા સ્થાનિક નાગરિકોને અનુરોધ કર્યો હતો. તેમણે વાલીઓને બાળકોના અભ્યાસ પ્રત્યે વધુ જાગૃત રહેવા પણ અપીલ કરી હતી. નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલે જણાવ્યું કે, મોરબી ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણ ક્ષેત્રે પણ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. તેમણે 'નમો વન' પ્રોજેક્ટને મોરબીની આગવી ઓળખ ગણાવ્યો અને પ્રધાનમંત્રીના 'એક પેડ મા કે નામ' અભિયાનમાં સહભાગી બની વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રથમવાર પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ તેમજ શાળાના વિકાસમાં યોગદાન આપનારા દાતાઓનું સન્માન પણ કરાયું હતું. અંતમાં માર્ગ સલામતી અંગે શપથવિધિ યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી મનીષા સાવનિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન બોડા, બીઆરસી કોઓર્ડિનેટર ઉમેશભાઈ બોપલિયા, સ્થાનિક કોર્પોરેટરો, આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જંગલેશ્વર ડિમોલિશનમાં કાજુકતરીનો વિવાદ:મનપા કચેરીએ કોંગ્રેસનો કાજુકતરી સાથે વિરોધ, પત્રકારો માટે ચા-નાસ્તા સાથે મીઠાઈ રાખવામાં આવ્યાની ડો.જયેશ વાંકાણીની સ્પષ્ટતા
    Next Article
    नगीना थाने में लड़की के भाई ने कार्रवाई रिपोर्ट दर्ज, आरोपी घूम रहा है खुलेआम

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment