Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ દ્વારા 5 થી 21 જૂન સુધી જનલક્ષી કાર્યક્રમોનું આયોજન:ગોધરામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ, પ્રદેશ નેતાઓએ માર્ગદર્શન આપ્યું

    6 दिन पहले

    ગુજરાત ભાજપ સંગઠન દ્વારા 5 જૂનથી 21 જૂન સુધી રાજ્યભરમાં વિવિધ જનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ અંગે માર્ગદર્શન આપવા માટે એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ બેઠક ગોધરાના ગદૂકપુર ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાંથી ડૉ. સંજય જયસ્વાલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, કાર્યક્રમ ઇન્ચાર્જ ભરત પંડ્યા, પ્રદેશ મહામંત્રીઓ અને પ્રદેશ હોદ્દેદારોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગોધરા ખાતેની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, પ્રભારી હર્ષદ વસાવા, રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ જયદ્રથસિંહ પરમાર, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, મહામંત્રીઓ કુલદીપસિંહ અને નરેન્દ્રસિંહ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી કાર્યક્રમોમાં 5 જૂને પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ, જનસંપર્ક અભિયાન, જિલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સંપર્ક અભિયાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્યના વિકાસના પ્રગતિના આયામો દર્શાવતી પ્રગતિ પથ યાત્રા અને વિકસિત ભારત સંમેલન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનો પણ યોજાશે. વધુમાં, મોદી સરકારની સિદ્ધિઓ દર્શાવતું પ્રદર્શન, જનકલ્યાણ શિબિરો (જ્યાં સંગઠનના કાર્યકર્તાઓ પ્રજાના જરૂરી કામોમાં મદદરૂપ થશે) અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા માટે પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમો દરમિયાન ગુજરાત ભાજપ અને પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા, તાલુકા અને પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપ સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો:કલ્પનાબેન પુવાર પ્રમુખ, પ્રો. હંસરાજ વસાવા ઉપપ્રમુખ બન્યા
    Next Article
    હાંસલપુર સબસ્ટેશનમાં મંગળવારે 8 કલાક વીજ પુરવઠો બંધ:જેટકો દ્વારા 66 KV લાઈનના સમારકામ માટે શટડાઉન કરાશે; જ્યોતિગ્રામ, ખેતીવાડી અને ઉદ્યોગો પ્રભાવિત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment