Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર સિવિલમાં ઓપરેશન:સ્વાદુપિંડની પથરી અને સોજાથી પીડાતા તેનીવાડાના યુવકની 5 કલાકની જટિલ સર્જરી કરી સિવિલ હોસ્પિટલે નવજીવન આપ્યું

    10 hours ago

    ભાસ્કર ન્યૂઝ | પાલનપુર પાલનપુર નજીક તેનીવાડાના 38 વર્ષીય યુવકને છેલ્લા સાત વર્ષથી પેટના દુખાવા અને અન્ય ગંભીર તકલીફોથી પીડાતા, સ્વાદુપિંડમાં સોજો અને પથરીની સમસ્યાને કારણે સતત 5 કલાક સુધી સર્જરી કરી એનેસ્થેસિયા ટીમે લેટરલ પેન્ક્રિયાટિકો જેજુનોસ્ટોમિ જેવી અતિ જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. વડગામ તાલુકાના તેનીવાડા ગામના 38 વર્ષીય દિનેશભાઈ છેલ્લા 7 વર્ષથી સતત પેટના દુખાવા, 400થી વધુ ડાયાબિટીસ, પાચન તકલીફ અને કબજિયાત જેવી ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. 23 માર્ચે તેમને બનાસ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયો હતો. જ્યાં તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. CT સ્કેન અને MRI તપાસમાં સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ)માં સોજો અને પથરી હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ સાત દિવસ સુધી દવાઓ દ્વારા સોજો ઘટાડ્યા બાદ સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો. સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ એનેસ્થેસિયા ટીમે મળીને લેટરલ પેન્ક્રિયાટિકો જેજુનોસ્ટોમિ જેવી જટિલ સર્જરી સતત 5 કલાક બાદ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. પેટનો દુખાવો બંધ થયો, પાચનમાં સુધારો થયો અને શરીરની તાકાત વધી હતી. આશરે 20 દિવસની સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતો. પેન્ક્રિયાટિકોજેજુનોસ્ટોમી સર્જરીથી પાચનતંત્રને રાહત પેન્ક્રિયાટિકોજેજુનો સ્ટોમી એક અતિ જટિલ સર્જરી છે, જે સ્વાદુપિંડની નળીમાં અવરોધ, પથરી અથવા ક્રોનિક પેન્ક્રિયાટાઈટિસ જેવી સ્થિતિમાં કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્વાદુપિંડને નાના આંતરડાના જેજુનમ સાથે જોડીને પાચક રસો માટે નવો માર્ગ બનાવે છે, જેથી પાચન સુધરે અને દુખાવો ઘટે. સ્વાદુપિંડ નાજુક અંગ હોવાથી અને આસપાસ મહત્વપૂર્ણ રક્તવાહિનીઓ હોવાને કારણે સર્જરીમાં લીકેજ અને જટિલતાનો જોખમ રહે છે. સફળ સર્જરી બાદ દર્દીને નોંધપાત્ર રાહત મળે છે, પરંતુ આહાર,જીવનશૈલીમાં ફેરફાર જરૂરી બને છે.
    Click here to Read More
    Previous Article
    મતીરાળા-કૃષ્ણગઢ રોડ પર ગંભીર અકસ્માત:મતીરાળા નજીક બાઇક અને મીની ટ્રકની ટક્કરે ત્રણને ઇજા, 1 ગંભીર
    Next Article
    હુમલો:અમરેલી તારવાડીમાં ક્રિકેટ રમવા બાબતે પિતા- પુત્ર પર હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment