Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીપુરા વાયરસે પાટણના 5 વર્ષના બાળકનો જીવ લીધો:બે દિવસની સારવાર બાદ પણ બચી ના શક્યો, જિલ્લાનો પ્રથમ કિસ્સો; સમીનું વધુ એક બાળક સારવાર હેઠળ, કુલ 15 મોત

    1 day ago

    પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના પાંચ વર્ષના બાળકનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા બે દિવસથી સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે, 30 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કુલ 15 બાળકના મોત થયા છે. ધારપુર હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ પણ જીવ ન બચ્યો મળતી માહિતી મુજબ, સાણોદરડા ગામના પાંચ વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બે દિવસની સઘન સારવાર છતાં બાળકનું જીવન બચાવી શકાયું ન હતું અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી જિલ્લા આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે. સમી તાલુકાનું વધુ એક બાળક સારવાર હેઠળ ધારપુર હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકનું મૃત્યુ થયું હોવાનો આ પાટણ જિલ્લાનો પ્રથમ કિસ્સો છે. આગામી સમયમાં આવા કેસ ન નોંધાય તે માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર દવા છંટકાવ સહિતની જરૂરી કામગીરી હાથ ધરે તેવી માગ ઉઠી છે. આ ઉપરાંત, સમી તાલુકાનું વધુ એક બાળક ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ સારવાર હેઠળ હોવાનું પણ જાણવા મળ્યું છે. સંક્રમિત વિસ્તારોના 50 ઘરની આજુબાજુ ડસ્ટિંગ, સ્પ્રે અને સર્વેલન્સની કામગીરી પૂર્ણ જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત 27મી તારીખે સમી તાલુકાના તારોરા ગામ અને સરસ્વતી તાલુકાના સાંતલપુર ગામમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા. આ પૈકી સાંતલપુરના દર્દીને ધારપુર મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન તેનું અવસાન થયું છે; જ્યારે તારોરા ગામના દર્દીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની તબિયતમાં હાલ સુધારો આવી રહ્યો છે. ‘સર્વે દરમિયાન અન્ય કોઈ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી’ : જિલ્લા આરોગ્ય અધિકારી મુખ્યત્વે જૂના કાચા ઘરોમાં રહેતી ‘સેન્ડફ્લાય’ માખી દ્વારા નાના બાળકોમાં ફેલાતા આ વાયરસના મુખ્ય લક્ષણોમાં તીવ્ર તાવ, ઊલટી, ઉબકા, પેટમાં દુખાવો અને બેચેનીનો સમાવેશ થાય છે. આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અટકાયતી પગલાં ભરતાં ગાઇડલાઇન મુજબ સંક્રમિત વિસ્તારોના 50 ઘરની આજુબાજુ ડસ્ટિંગ, સ્પ્રે અને સઘન સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સર્વે દરમિયાન અન્ય કોઈ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી, પરંતુ તંત્ર દ્વારા લોકોને ગભરાયા વિના બાળકોમાં આવાં કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક નિદાન અને સારવાર કરાવવા અપીલ કરવામાં આવી છે. ------ આ પણ વાંચો બહુચરાજીના દેલવાડાની 4 વર્ષની બાળકીનું પણ ચાંદીપુરા વાયરસથી મોત મળતી માહિતી મુજબ દેલવાડા (ખાંટ) ગામની દ્વારિકા જીગરગીરી ગોસાઈ નામની બાળકીને 26 જુલાઈ અચાનક તીવ્ર તાવ અને ઉલટીની ફરિયાદ શરૂ થતાં પરિવારે તેને તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાળકીના લક્ષણો શંકાસ્પદ જણાતાં આરોગ્ય વિભાગે તેના બ્લડ સેમ્પલ ચકાસણી અર્થે ગાંધીનગર લેબમાં મોકલ્યા હતા. સોમવારે આવેલા લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં જ બાળકીને વધુ સઘન સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં મોડી રાત્રે સારવાર દરમિયાન બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો… બંદૂકની ગોળી જેવો ખતરનાક વાયરસ, ગુજરાતમાં ચાંદીપુરાની ડરામણી પેટર્ન 2024માં ગુજરાતમાં 82 બાળકોને ભરખી જનારો ચાંદીપુરા વાયરસ આ વખતે પણ કેટલાક બાળકોનો ભોગ લઈ ચૂક્યો છે. જેના કારણે આ વાયરસ શરીરમાં ઘૂસે છે તે સેન્ડ ફ્લાય (ભૂરા રંગની જીણી માખી) ગુજરાતના ગામડાંમાં જ છે? શું આ માખી શહેરમાં હોઈ શકે? ગુજરાતમાં ચાંદીપુરાની પેટર્ન ગોથે ચડાવનારી કેમ છે? વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    દીપડાના હુમલામાં 4 વર્ષની બાળકીનું મોત:રાત્રે આંગણામાં રમતી માસૂમને 100 મીટર દૂર ખેંચી ગયો; હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો, 5 દિવસમાં બીજો હુમલો
    Next Article
    One Ajinkya Rahane Record That Even Kohli, Dhoni, Rohit Couldn't Match

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment