Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનનો શેડ અચાનક તૂટ્યો, 5 લોકોનાં મોત:15 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા, 20નું રેસ્ક્યુ; બે ICUમાં દાખલ

    1 day ago

    દક્ષિણ કોલકાતાના તારતલા ટ્રાન્સપોર્ટ ડેપો પાસે બુધવારે બપોરે 12:07 વાગ્યે નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે દટાયેલા 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી બે ICUમાં છે. અન્ય 18ની હાલત ખતરાની બહાર છે. સીએમ શુભેન્દુએ જણાવ્યું કે હજુ પણ કાટમાળ નીચે 10 થી 15 લોકો દટાયેલા હોવાની આશંકા છે. દુર્ઘટના સમયે ગોડાઉનમાં કેટલા લોકો હાજર હતા તેની માહિતી સામે આવી નથી. પોલીસ સાથે NDRF અને સેનાના જવાનો પણ બચાવ કાર્ય કરી રહ્યા છે. ગેસ કટર વડે લોખંડના થાંભલા કાપવામાં આવી રહ્યા છે. કાટમાળ અને લોખંડના સળિયા હટાવવા માટે ક્રેન મંગાવવામાં આવી છે. સ્થાનિક લોકોના મતે, દુર્ઘટના સમયે ગોડાઉનમાં કોંક્રિટ ઢાળવાનું કામ ચાલી રહ્યું હતું. ઘટના પછીની તસવીરો… કાટમાળમાં ફસાયેલા મજૂરે કહ્યું- મારો પગ કાપી નાખો પણ મને બચાવો અકસ્માત બાદ બચાવ કાર્ય દરમિયાન એક યુવક અંકિત સિંહે કાટમાળમાં ફસાયેલા એક મજૂરને શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ઘાયલ મજૂરનો પગ પકડીને બચાવ દળને તેની સાચી જગ્યાએ પહોંચવામાં મદદ કરી, ત્યારબાદ બચાવ ટીમે તેને બહાર કાઢવાના પ્રયાસો તેજ કર્યા. કાટમાળમાં ફસાયેલો મજૂર પીડાથી કણસતો વારંવાર કહી રહ્યો હતો- ‘મેં મારો પગ ગુમાવી દીધો છે, જો જરૂર હોય તો બાકીનો ભાગ કાપીને મને બહાર કાઢો, બસ મારો જીવ બચાવો.’ સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા. મુખ્યમંત્રી સાથે મંત્રી અગ્નિમિત્રા પોલ અને કૌશિક ચૌધરી સહિત અનેક મંત્રીઓ પણ હાજર રહ્યા. રાજ્ય સરકારે લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર 1070, 8697981070 અને 033-22143526/22535185 જાહેર કર્યા છે. માહિતી અનુસાર, ગોડાઉનની જમીન ઓડિશાના એક વેપારીની હતી જેમણે તેને કોઈ ખાનગી ફર્મને લીઝ પર આપી હતી. છેલ્લા 10 વર્ષમાં થયેલા નિર્માણ અકસ્માતો ------------------------------------ 20 જૂન: મહારાષ્ટ્રમાં હનુમાન મંદિરની છત પડવાથી 7 લોકોનાં મોત થયા હતા મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં યશવાડી દેવસ્થાનમાં આવેલા હનુમાન મંદિરના હોલની નિર્માણાધીન છત તૂટી પડતાં 20 જૂને 7 લોકોનાં મોત થયા હતા. 25 લોકો ઘાયલ થયા હતા. મંદિરની બરાબર સામે સભામંડપ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. બપોરના સમયે લોકો પ્રસાદ લઈ રહ્યા હતા. અચાનક મંદિરનું સ્ટ્રક્ચર અને પથ્થરો ધડાકાભેર નીચે પડ્યા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળ્યું કે બપોરે 3 વાગ્યે ઘણા લોકો લાઈનમાં ઉભા રહીને પ્રસાદ દર્શન-પૂજા કરી રહ્યા હતા. ત્યારે જ વાંસ અને લોખંડના સળિયાથી બનેલું સેન્ટરિંગ સ્ટ્રક્ચર તૂટી ગયું. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Stree Film पर बोले Abhishek Banerjee, Share किए कई दिलचस्प किस्से | Uttarakhand Samwad 2026
    Next Article
    સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી પત્નીથી ત્રસ્ત થઈ પતિએ છુટાછેટા લીધા:સાથે રહેતા હોવા છતા તમામ પ્રકારના વૈવાહિક સંબંધોનો અંત આણી દીધો હતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment