Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ખેડૂતોના ઘઉંના ટેકાના ભાવ કરતાં ભંગારની કિંમત વધુ':વંથલી યાર્ડમાં બારદાનની અછતથી ઘઉંની ખરીદી ખોરવાઈ, 48 કલાકથી લાઈનમાં ઊભેલા ખેડૂતોનો આક્રોશ

    11 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચાલી રહેલી ઘઉંની ખરીદીમાં વહીવટી અણઘડતા સામે આવતા ખેડૂતોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું છે. યાર્ડમાં છેલ્લા બે મહિનાથી ખૂબ જ ધીમી ગતિએ ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આગામી 15 જૂન સુધીમાં ખરીદી પૂર્ણ કરવાનું આયોજન હતું. પરંતુ અચાનક બારદાનની અછત ઊભી થતાં ખરીદી બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે છેલ્લા 24થી 48 કલાકથી ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ યાર્ડ પરિસરમાં 'અમારી માંગણીઓ પૂરી કરો, વહેલી તકે ખરીદી શરૂ કરો'ના નારા લગાવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. 2 મહિનામાં માત્ર 400 ખેડૂતોના જણસીની ખરીદી થઈ બોડકા ગામના ખેડૂત નટવરલાલ ચાવડાએ જણાવ્યું હતું કે, હું વંથલી યાર્ડમાં છેલ્લા બે દિવસથી ઘઉં લઈને ઊભો છું. ગઈકાલે વારો ન આવતા મારે વાહનમાં જ રાત વિતાવવી પડી હતી. હાલ ચોમાસા જેવું વાતાવરણ હોવાથી માલ પલળી જવાની સતત ચિંતા સતાવે છે. યાર્ડમાં 1592 ખેડૂતોનું રજીસ્ટ્રેશન હોવા છતાં બે મહિનામાં માત્ર 400 ખેડૂતોની જ ખરીદી થઈ છે, તો બાકીના ખેડૂતોનું શું? અહીં બારદાનની અછત છે, મજૂરો સમયસર કામ નથી કરતા અને તંત્રની કોઈ વ્યવસ્થા નથી. 'ઘઉં વેચીને પૈસા આવશે તો ઘર ચાલશે' નટવરલાલ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ​ખેતરમાં વાવણીની સીઝન હોવા છતાં, ઘરનું ટ્રેક્ટર મૂકીને મારે બીજું વાહન ભાડે કરવું પડ્યું છે અને વારો ન આવતા રોજનું પડતર ભાડું ચૂકવવું પડે છે. ઘરમાં પત્ની અને બાળકો આશા રાખે છે કે ઘઉં વેચીને પૈસા આવશે તો ઘર ચાલશે, પણ ખેડૂતોની કોઈ કિંમત જ નથી. બજારમાં ભંગારના 30-35 રૂપિયા મળે છે, જ્યારે ખેડૂતના ઘઉંના ટેકાના ભાવ માત્ર 25 રૂપિયા અને વેપારી પાસે 22 રૂપિયા જ મળે છે, આ ક્યાંનો ન્યાય છે? 'શોષણ વચ્ચે અમારે ખેતી કેમ કરવી' ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે, બીજી તરફ ડીએપી ખાતરના 2200-2500 રૂપિયા થઈ ગયા છે અને ડીઝલ મેળવવા માટે પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. પેટ્રોલ પંપવાળા કેરબામાં ડીઝલ નથી આપતા અને ટ્રેક્ટર લઈને 4 કિલોમીટર દૂર જઈએ તો આવવા-જવામાં જ દોઢ લીટર ડીઝલ વપરાઈ જાય છે. આવા શોષણ વચ્ચે અમારે ખેતી કેમ કરવી અને જાવું તો જાવું ક્યાં ?. 'રોજ 50થી 60 ખેડૂતો ટ્રેક્ટરો લાંબી લાઈન લગાવે છે' અન્ય એક ખેડૂત ચનાભાઈ ડાકીએ જણાવ્યું હતું કે છેલ્લા 48 કલાકથી વંથલી યાર્ડમાં પોતાના ઘઉંનો તોલ કરાવવા માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજી સુધી ઘઉં તોલાયા નથી. હાલમાં માર્કેટિંગ યાર્ડના શેડમાં ઘઉંના બાચકા તોલ્યા વગરના એમનેમ પડ્યા છે, જ્યારે રોડ પર અંદાજે 50 થી 60 જેટલાં ખેડૂતોના ટ્રેક્ટરો લાંબી લાઈનો લગાવીને ઊભા છે. તંત્ર પાસે આ ઘઉં ઝડપથી તોલવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. જો આવા વાતાવરણમાં અચાનક વરસાદ આવી જાય અને ખુલ્લામાં પડેલો ખેડૂતોનો કિંમતી પાક પલળીને બગડી જાય, તો તેની આર્થિક જવાબદારી કોણ લેશે ? ખેડૂતોએ તંત્ર પાસે માંગ કરી છે કે ઘઉંની તોલણી પ્રક્રિયા વહેલી તકે સુચારુ રૂપે શરૂ કરવામાં આવે જેથી તેમને આ હાડમારીમાંથી મુક્તિ મળે.
    Click here to Read More
    Previous Article
    પૈસા ફેંકો એટલે ધો.10-12 અને કોલેજમાં પાસ થવાની ફુલ ગેરન્ટી:22 હજારથી 65 હજાર ફી, શિક્ષણમંત્રીના સોરઠમાં ચાલતા કાળા કારોબારનો ભાસ્કર સ્ટિંગમાં ખુલાસો
    Next Article
    Gujarat Weather Update Live | હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી | News18 Gujarati | Rain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment