Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ભાજપનો 47મો સ્થાપના દિવસ ઉજવાયો:જનસંઘના કાર્યકરોના બલિદાનને યાદ કરાયું, વિકાસની રાજનીતિ પર ભાર

    4 days ago

    હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જનસંઘના કાર્યકરોએ દેશ માટે આપેલા યોગદાન અને બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, જનસંઘની સ્થાપના બાદ કાર્યકરોએ દેશના હિત માટે અનેક બલિદાનો આપ્યા છે, જેને ભૂલી શકાય નહીં. તેમણે કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને સત્તા પર લાવવા માટે એકજૂટ થઈ મતદારોનો સંપર્ક કરવા અને પક્ષની વિચારસરણી તથા વિકાસની વાતો લોકો સુધી પહોંચાડવા હાકલ કરી હતી. પંડ્યાએ ઈન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન લાદવામાં આવેલી કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે જનસંઘના અનેક કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, શરૂઆતના તબક્કામાં ભાજપને મળેલી બેઠકો દર્શાવતી હતી કે પ્રજા પરિવર્તન ઈચ્છે છે. ત્યારબાદ અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા, પરંતુ દેશના સિદ્ધાંતો માટે તેમણે રાજીનામું આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વિકાસની રાજનીતિ અપનાવીને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. જેમાં કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવી, ઓપરેશન સિંદૂર અને દેશહિત માટે લીધેલા અન્ય નિર્ણયોનો સમાવેશ થાય છે, જેને દેશવાસીઓ આજે પણ યાદ કરે છે. ભૂતકાળમાં કોંગ્રેસે આ નિર્ણયો સામે કરેલા અપપ્રચારથી નાગરિકો ભ્રમિત થયા ન હતા, જે ભાજપની લોકપ્રિયતા દર્શાવે છે. આ ઉજવણીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, જિલ્લા પ્રમુખ કનુ પટેલ, સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, મહામંત્રી બિપિન ઓઝા, ગણપતસિંહ ઝાલા, પ્રેમલ દેસાઈ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં યુવતી સાથે એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ:'હું તારી સાથે જ લગ્ન કરીશ' કહીં 3 દિવસ પહેલા યુવક ભગાડી ગયો, કુકર્મ બાદ "હું પરણેલો છું" કહી છોડી દીધી
    Next Article
    ભ્રષ્ટાચાર અને અણઘડ આયોજનનું પર્યાય બન્યું જુનાગઢ !:​‘રોડમાં ઢાળ રહી ગયો છે’ કહી ખુદ બાંધકામ સમિતિના ચેરમેને ભૂલ સ્વીકારી નવો રોડ તોડાવ્યો;વિપક્ષી નેતાનો ભાજપ પર પ્રહાર - ‘યાદશક્તિ વધારવા નેતાઓને કાજુ-બદામ ખવડાવો’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment