Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેપર લીક કેસ- નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ:કાયદાકીય કાર્યવાહી પણ થશે; એક દિવસ પહેલાં બે સેક્રેટરીને હટાવાયા હતા

    8 hours ago

    NEET પેપર લીક મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 47 અધિકારીઓને બરતરફ કરી દીધા છે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલેથી આ સમાચાર આપ્યા. બરતરફ કરાયેલા અધિકારીઓ વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલું NTAમાં મોટા પાયે થઈ રહેલા ફેરફારો હેઠળ લેવામાં આવ્યું છે. NTAમાં સુધારા માટે ટૂંક સમયમાં જ વધુ એક્શન લેવામાં આવશે. એક દિવસ પહેલાં સરકારે ગુરુવારે શિક્ષણ મંત્રાલયના બે સચિવોની બદલી કરી હતી. છેલ્લા 4 દિવસમાં પેપર લીક પર સરકારના 3 નિવેદનો: 24 જુલાઈ: PM મોદીએ- કડક કાયદો લાવીશું: PM મોદીએ પેપર લીકને લઈને અધડીરાતે અઢી મિનિટનો એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. PMએ જાહેરાત કરી કે પેપર લીકમાં સજાના પ્રોગામ/જોગવાઈ સાથે જોડાયેલું બિલ સંસદમાં લાવવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો… 21 જુલાઈ: પેપર લીક ઘોર પાપ છે: NDA સંસદીય દળની બેઠક દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે પેપર લીક ઘોર પાપ છે. સરકારને જેવી માહિતી મળી, તેમણે તરત જ કાર્યવાહી કરી. અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. દોષિતોને કડક સજા અપાવાશે. ભવિષ્યમાં પેપર લીક રોકી શકાય તે માટે રાજ્યોને પણ સહયોગ આપવા અપીલ કરી. 23 જુલાઈ: પેપર લીક કેસની તપાસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીશું: વડાપ્રધાને X (ટ્વિટર) પર લખ્યું હતું- "દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને ઝડપથી સજા આપવા અને કેસના નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. આ અંગે સંબંધિત વિભાગ જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરે તેવા નિર્દેશ આપી દેવાયા છે. યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારાઓને બક્ષવામાં નહીં આવે." સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    ‘Mad respect’: From Colombo to Karachi, South Asia cheers the Indian Gen Z many had written off
    Next Article
    રાતના 10 વાગ્યા સુધી 10 જિલ્લામાં રેડ એલર્ટ:અમરેલીમાંથી બે મતૃદેહ મળ્યા, સુરત-નવસારીમાં 6ના મોત; શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલાયા; 250 તાલુકામાં વરસાદી આફત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment