Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    47 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે‎:નવસારી જિલ્લામાં આજથી પ્રા.શાળાની પરીક્ષાનો પ્રારંભ

    12 hours ago

    નવસારી જિલ્લામાં શિક્ષણ સમિતિ સંચાલિત 650 પ્રાથમિક શાળાઓ અને 200થી વધુ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2025-26ની વાર્ષિક અને દ્વિતીય સત્રાંત પરીક્ષાઓનો 6 એપ્રિલ, સોમવારથી વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. ચીખલી તાલુકાની 177 શાળાઓ સહિત સમગ્ર જિલ્લામાં ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતા કુલ 47,851 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સામેલ થશે. પ્રાથમિક વિભાગમાં ધોરણ 3 થી 5ની પરીક્ષા 6 એપ્રિલથી 11 એપ્રિલ સુધી ચાલશે, જ્યારે ધોરણ 6 થી 8 ની પરીક્ષા 13 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન યોજાશે. શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાના સુચારુ આયોજન માટે પ્રાથમિક સ્તરે બે અલગ વિભાગો પાડવામાં આવ્યા છે. ધોરણ 3 થી 5નું પ્રશ્નપત્ર 40 ગુણનું રહેશે અને પરીક્ષાનો સમય સવારે 8 થી 10 (2 કલાક) નક્કી કરવામાં આવ્યો છે. ધોરણ 6 થી 8નું પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે અને સમય સવારે 8 થી 11 (3 કલાક) રહેશે. આ વિદ્યાર્થીઓની પરીક્ષા 22 એપ્રિલના રોજ પૂર્ણ થશે. જિલ્લાની 200થી વધુ સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં પણ 6 એપ્રિલથી જ ધોરણ 9 અને ધોરણ 11 (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ પરીક્ષાઓ 20 એપ્રિલના રોજ પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે તમામ શાળાઓએ પરીક્ષા પૂર્ણ થયાના ટૂંકા ગાળામાં જ પરિણામ તૈયાર કરવાનું રહેશે, જેથી ૨ મે ના રોજ વિદ્યાર્થીઓને પરિણામ એનાયત કરી શકાય. ચૂંટણીલક્ષી કામગીરી વચ્ચે શિક્ષકો પર બેવડી જવાબદારી આ વર્ષે પરીક્ષાઓની સાથે સાથે વહીવટી તંત્ર પર ચૂંટણીનો ભાર પણ છે. 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકા)ની ચૂંટણી યોજાનાર હોવાથી, શિક્ષકોએ પરીક્ષા પૂર્ણ થયા બાદ માત્ર 10 દિવસમાં જ ઉત્તરવહી ચકાસણી અને પરિણામ તૈયાર કરવાની કામગીરી આટોપવી પડશે. આ સાથે જ શિક્ષકોએ ચૂંટણી લક્ષી તાલીમ અને અન્ય કામગીરીમાં પણ જોડાવાનું હોવાથી આ સમયગાળો શૈક્ષણિક સ્ટાફ માટે પડકારજનક રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ પાલિકાની બેદરકારી:ભરૂચ પાલિકાનું રૂા.159 કરોડનું બિલ બાકી, વાર્ષિક‎1,100નો વેરો ભરવા છતાં દરેકના માથે 7000નું દેવું‎
    Next Article
    મંડે પોઝિટીવ:ઉનાઈમાં ગ્રામજનોના સહયોગથી બનાવાશે ‘આધુનિક લાઈબ્રેરી’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment