Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ':45.5ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ

    3 days ago

    ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) ના તાજેતરના અહેવાલ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે હાલ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. આગામી બે દિવસ, એટલે કે 13 અને 14 મે દરમિયાન, જિલ્લામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની પ્રબળ શક્યતા છે. આથી, વહીવટી તંત્ર દ્વારા 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે અને નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. તીવ્ર ગરમી અને લૂના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી શકે છે. સીધા સૂર્યપ્રકાશમાં રહેવાથી સ્નાયુઓમાં ખેંચાણ, ભારે નબળાઈ, ચક્કર આવવા, અસહ્ય માથાનો દુખાવો અને ઉબકા જેવા લક્ષણો જોવા મળી શકે છે. જો આવા કોઈ પણ શારીરિક તકલીફ અનુભવાય, તો જરા પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકના સરકારી દવાખાના કે નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો અત્યંત આવશ્યક છે. હીટવેવથી રક્ષણ મેળવવા માટે તરસ ન લાગી હોય તો પણ દિવસ દરમિયાન વારંવાર પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ. શરીરમાં પ્રવાહી અને ક્ષારની માત્રા જાળવી રાખવા માટે ઓ.આર.એસ. (ORS), ઘરે બનાવેલી મોળી છાશ, લસ્સી, લીંબુ પાણી અથવા નારિયેળ પાણી જેવા કુદરતી પેય પદાર્થોનું સેવન કરવું હિતાવહ છે. બહાર નીકળતી વખતે હળવા રંગના, સુતરાઉ અને શરીરને ઢાંકી શકે તેવા ખુલ્લા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો. સૂર્યના સીધા તાપથી બચવા માટે માથા પર રૂમાલ કે સફેદ કપડું બાંધવું અથવા ટોપી અને છત્રીનો અનિવાર્યપણે ઉપયોગ કરવો. કામના સ્થળ પાસે ઠંડા પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ. કામદારો સૂર્યના સીધા તાપમાં કામ ન કરે તેની સાવધાની રાખવી. વધારે શ્રમવાળું કામ કરનારાઓએ ઠંડા પહોરમાં કામ કરવાનું સમયપત્રક બનાવવું અને વારેવારે લાંબો આરામ લેવો. સગર્ભા કામદારો પર વિશેષ ધ્યાન આપવું. નવજાત શિશુઓ, નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોની ખાસ સંભાળ રાખવી, કારણ કે તેઓ ગરમીના પ્રકોપ સામે વધુ સંવેદનશીલ હોય છે. હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે રેડિયો સાંભળવો, ટીવી જોવું અને વર્તમાનપત્રો વાંચવા. હીટવેવ દરમિયાન શું ન કરવું ? • બપોરના સમયે એટલે કે 12થી 5 વાગ્યાના ગાળામાં જ્યારે તડકો સૌથી વધુ તીવ્ર હોય ત્યારે બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. • દિવસ દરમિયાન ઘરની બારીઓ અને પડદા બંધ રાખવા જેથી બહારની ગરમ હવા અંદર ન પ્રવેશે, જ્યારે રાત્રિના સમયે બારીઓ ખુલ્લી રાખી ઘરને ઠંડું થવા દેવું. • જેમના ઘરે એરકન્ડિશનની સુવિધા નથી તેમણે પંખા અથવા કુલરનો ઉપયોગ કરવો અને વારંવાર ઠંડા પાણીથી સ્નાન કરવું. • વધુ પડતી ચા, કોફી, આલ્કોહોલ કે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક્સ પીવાનું ટાળવું જોઈએ, કારણ કે આ પીણાં શરીરને અંદરથી ડિહાઇડ્રેટ કરે છે. • ખોરાકમાં પણ વધુ પ્રોટીનયુક્ત, તેલવાળો કે વાસી ખોરાક લેવાને બદલે હળવો અને તાજો ખોરાક લેવો હિતાવહ છે. • શ્રમિકો અને બહાર કામ કરતા લોકોએ શક્ય હોય ત્યાં સુધી ઠંડા પહોરમાં કામ કરવાનું આયોજન કરવું અને કામના સ્થળે ઠંડા પાણી તેમજ છાંયડાની વ્યવસ્થા રાખવી. • સખત પરિશ્રમ વાળા કાર્યો દરમિયાન સમયાંતરે લાંબો આરામ લેવો અને સગર્ભા મહિલા કામદારોની તબિયત પર વિશેષ ધ્યાન આપવું. • બાળકો કે પાલતુ પ્રાણીઓને ક્યારેય પણ પાર્ક કરેલા વાહનોમાં એકલા છોડવા નહીં, કારણ કે બંધ વાહનમાં તાપમાન ખૂબ જ ઝડપથી વધી શકે છે જે જીવલેણ સાબિત થઈ શકે છે. મૂંગા પશુ-પંખીઓ પ્રત્યે પણ સંવેદનશીલતા દાખવી તેમને શેડની નીચે છાંયડામાં રાખવા અને પીવા માટે પૂરતા પ્રમાણમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. ઘરને ઠંડુ રાખવા માટે પડદા અને શટરનો ઉપયોગ કરવો. પશુઓ માટેના પાણીના પાત્રો વારંવાર ભરતા રહેવા જેથી તેમને તાજું પાણી મળી રહે. પાળેલા પ્રાણીઓને પાર્કિંગ કરેલા વાહનોમાં અથવા પાસે રાખવા નહિ.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં AAPનું સંગઠન વિસ્તરણ:3 નવા પ્રદેશ સહ પ્રભારીઓની નિમણૂક, વિનય મિશ્રા, દિનેશ મોહનિયા અને ગૌરવ શર્માને સોંપાઈ જવાબદારી
    Next Article
    સગીરા સાથે કાકાએ અડપલાં કર્યા:વાયરલ વીડિયો બાદ ડુંગરા પોલીસે આરોપીની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment