Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસારામ આશ્રમ ટ્રસ્ટને 'આદત મુજબ ગુનો કરનાર' ગણાવ્યું:વચગાળાની રાહત આપવાનો હાઇકોર્ટનો ઇન્કાર, 45,000 ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરી

    1 week ago

    ગુજરાત હાઇકોર્ટમાં આજે(16 એપ્રિલ) ડબલ જજની બેંચે આસારામ આશ્રમ દ્વારા દાખલ કરવામાં આવેલ અપીલને ફગાવી દીધી છે. આ સાથે જ અમદાવાદના મોટેરા વિસ્તારમાં 45,000 ચોરસ મીટરથી વધુની મુખ્ય જમીન પરત લેવાનો રાજ્ય સરકારનો માર્ગ મોકળો થયો છે. જેને પરત લેવાના અમદાવાદ જિલ્લા કલેકટરના હુકમ સામે આશ્રમે કાનૂની રાહ અપનાવી હતી. આ જમીન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બિલકુલ બાજુમાં આવેલી છે. આ જમીન કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિકના આયોજન માટે ઉપયોગી સાબિત થાય તેમ છે. આ ચુકાદો મહેસૂલ સત્તાધિકારીઓ અને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ સહિતના બહુવિધ સ્તરો પર લાંબી કાનૂની લડાઈ બાદ આવ્યો છે. નોંધનીય છે કે ડિવિઝન બેન્ચનો આ નિર્ણય આ વર્ષે ફેબ્રુઆરીમાં સિંગલ જજ દ્વારા આપવામાં આવેલા અગાઉના ચુકાદા પર આધારિત છે, જેમાં સિંગલ જજે કલેક્ટર, અમદાવાદ દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહીને માન્ય રાખી હતી અને પુષ્ટિ કરી હતી કે શરતોના ભંગ અને દબાણ દૂર કરવાની પ્રક્રિયા કાયદેસર રીતે યોગ્ય છે. સરકારી રેકોર્ડ મુજબ અંદાજે 33,980 ચો.મી જમીન ફાળવી હતી વિવાદના કેન્દ્રમાં રહેલી જમીન દાયકાઓ પહેલા મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે કડક શરતો સાથે ફાળવવામાં આવી હતી. જો કે સમય જતાં રાજ્ય સત્તાધિકારીઓને માલૂમ પડ્યું કે આશ્રમે તેની મર્યાદા કરતા વધુ વિસ્તારમાં પગપેસારો કર્યો છે. સરકારી રેકોર્ડ મુજબ અંદાજે 33,980 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક કબજો લગભગ 50,000 ચોરસ મીટર સુધી વિસ્તરેલો હતો, જે મોટા પાયે અતિક્રમણ દર્શાવે છે. GPS આધારિત સેટેલાઇટ માપણી રજૂ કરાઈ હતી આ કેસમાં દાયકાઓ જૂના જમીન રેકોર્ડ્સ, સર્વે શીટ્સ અને નકશાઓ દ્વારા દલીલો કરવામાં આવી હતી. કોર્ટરૂમમાં પરંપરાગત પુરાવાઓ અને અદ્યતન ટેકનોલોજીનું મિશ્રણ જોવા મળ્યું હતું. કારણ કે સરકારી સત્તાધિકારીઓએ GPS આધારિત સેટેલાઇટ માપણી રજૂ કરી હતી, જેણે ચોકસાઈ સાથે દર્શાવ્યું હતું કે સમય જતાં કેવી રીતે દબાણ વધ્યું છે. ‘રાજ્યની કાર્યવાહી નિષ્પક્ષતા, પારદર્શિતા અને કાયદાના કડક પાલન પર આધારિત’ રાજ્ય તરફથી હાજર રહેલા સરકારી વકીલ જી. એચ. વિર્કે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યની કાર્યવાહી નિષ્પક્ષતા, પારદર્શિતા અને કાયદાના કડક પાલન પર આધારિત છે. તેમણે ધ્યાન દોર્યું કે આ કાર્યવાહી રાતોરાત કરવામાં આવી ન હતી, પરંતુ નોટિસો, નિરીક્ષણો અને 20થી વધુ સુનવણીઓ સહિતની સખત પ્રક્રિયાને અનુસરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે તેમણે હાઈલાઈટ કર્યું કે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી-સંચાલિત માપણી પરના ભરોસાને કારણે તારણો વ્યક્તિગત મૂલ્યાંકનને બદલે ચકાસી શકાય તેવા ડેટા પર આધારિત હતા. ‘બાંધકામો કાયદેસરની મંજૂરી વિના કરવામાં આવ્યા’ સરકારી વકીલે આશ્રમના પોતાના વર્તન તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે દલીલ કરી હતી કે અનધિકૃત બાંધકામોના રેગ્યુલરાઇઝેશન માટેની અનેક અરજીઓએ એક સ્પષ્ટ સ્વીકાર છે કે આવા બાંધકામો કાયદેસરની મંજૂરી વિના કરવામાં આવ્યા હતા. રાજ્યનું વલણ છે કે કોઈ વ્યક્તિ ગેરકાયદેસરતાને નકારીને તેને નિયમિત કરવાની માગ કરી શકે નહીં. હાઈકોર્ટને વાસ્તવિક વૈજ્ઞાનિક સાધનો અને મેપિંગ આઉટપુટ બતાવાયા હતા દલીલો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટને વાસ્તવિક વૈજ્ઞાનિક સાધનો અને મેપિંગ આઉટપુટ બતાવવામાં આવ્યા હતા, જે દર્શાવતા હતા કે જમીન પર સર્વે કેવી રીતે હાથ ધરવામાં આવ્યો હતો. રજૂઆત કરવામાં આવી હતી કે આ પદ્ધતિ વાસ્તવિક કબજાનું વૈજ્ઞાનિક, છેડછાડ-મુક્ત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પૂરું પાડે છે, માનવીય ભૂલને દૂર કરે છે અને તેથી અતિક્રમણ નક્કી કરવા માટે સૌથી વિશ્વસનીય આધાર આપે છે. કોર્ટે અરજીઓ ફગાવી દીધી આશ્રમની અપીલને ફગાવી દેતા બેન્ચે નોંધ્યું હતું કે આસારામ આશ્રમે આદત મુજબ ગુનો કરનાર તરીકે કામ કર્યું છે, વારંવાર શરતોનો ભંગ કર્યો છે અને જાહેર જમીન પર દબાણ કર્યું છે. કોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી અને કેસની હકીકતો મુજબ અરજદારની તરફેણમાં કોઈ ન્યાયિક હિત જણાતું નથી. સંજોગોની સંપૂર્ણતાને જોતા કોર્ટે અરજીઓ ફગાવી દીધી હતી. 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે! અમદાવાદમાં આગામી કોમનવેલ્થને લઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ શરૂ થયું છે. ત્યારે મોદી સ્ટેડિયમની બાજુમાં સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જગ્યામાં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. 500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલાં છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યારે 21 જાન્યુઆરી, 2026એ AMCએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી છે, અને એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી છે. તેથી આગામી સમયમાં 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે! વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    સામે જોવા બાબતે જાનથી મારવાની ધમકી:આકાશ નામના શખસે યુવક સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
    Next Article
    Banasknatha Sthanik Swaraj Election | ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment