Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:પરિણીતાના બેંક ખાતામાંથી પતિએ જાણ બહાર 4.50 લાખ ઉપાડી લીધા

    3 days ago

    શહેરના ગણેશનગર વિસ્તારમાં રહેતા એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને કાકાજી સસરા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને વિશ્વાસઘાતની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 42 વર્ષીય ઉષાબેન કાનાભાઈ ચાવડાની ફરિયાદ અનુસાર, તેના લગ્ન આશરે 21 વર્ષ પહેલા કુતિયાણા તાલુકાના પસવારી ગામના મનસુખ નાથાભાઈ સોંદરવા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. સાસુ વિરુબેન મેણાટોણા બોલી તેમજ સાથે રહેતા કાકાજી સસરા દુદાભાઈ કાનાભાઈ અમારે તને જોઈતી નથી તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. ઘરે પતિ ચારિત્ર્ય પર શંકા કરી મારકુટ કરતા હતા. પરણિતાએ કારખાનામાં મજૂરી કામ કરીને ઘર ચલાવવામાં મદદ કરતા હતા અને તેમણે પોતાની મહેનતના પૈસા પંજાબ નેશનલ બેંકના ખાતામાં બચત તરીકે જમા કર્યા હતા. આ દરમિયાન પતિએ ઉષાબેનની જાણ બહાર તેમના મોબાઈલ નંબર પર ગુગલ પે ચાલુ કરી દીધું હતું. ત્યારબાદ પતિએ બેંક ખાતામાં રહેલા રૂપિયા 4.50 લાખ અલગ-અલગ સમયે ઉપાડી લીધા હતા. આ બાબતે પૂછતાં પતિએ ઝઘડો કરી મારપીટ કરી હતી. આખરે સાસરીયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ 27 જુનના રોજ ફરિયાદ કરતા મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ખાસ:હવે આધાર કાર્ડનું તમામ કામ એક જ સ્થળે થશે
    Next Article
    OpenAI unveils GPT-5.6 Sol, Terra, and Luna but almost no one can use them yet: Here’s why

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment