Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજનું 450 વર્ષ જૂનું રઘુનાથજી મંદિર:રઘુનાથજી મંદિર શહેરની સ્થાપના સમય જેટલું જ જૂનું

    23 hours ago

    ભુજના હૃદય સમા હમીરસર તળાવના કાંઠે આવેલું પૌરાણિક રઘુનાથજી મંદિર આશરે 450 વર્ષ જૂનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ઈ.સ. 1548-49 (વિક્રમ સવંત 1605) દરમિયાન, ભુજ શહેરની સ્થાપના સાથે આ મંદિરનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ભગવાન શ્રીરામને સમર્પિત છે અને કચ્છના પ્રાચીન મંદિરોમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભુજના પૌરાણિક રઘુનાથજી મંદિરમાં દાયકાઓથી અમારા વ્યાસ પરિવારની 12મી પેઢી સેવા બજાવી રહી છે. વર્ષ 1962માં પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજારી તરીકે અમે હરેશભાઈ અને સુનિલ વ્યાસને મંદિરની જવાબદારી સોંપવામાં આવી છે. પૌરાણિક ધાર્મિક સ્થળ વિશે પુસ્તકમાંથી મળેલી જાણકારી અને ઇતિહાસ મુજબ, આ મંદિરનો સંબંધ કચ્છના રાજાશાહી સમય સાથે જોડાયેલો છે. ખાસ કરીને રાવ રાયધણજીના સમયમાં આ મંદિરને મહત્વ મળ્યું હતું. રાજાશાહી સમયમાં તહેવારો દરમિયાન રાજ પરિવાર દ્વારા મંદિર માટે સહાય આપવામાં આવતી હતી, જે પરંપરા આજે પણ કેટલીક રીતે યથાવત્ છે. ખાસ કરીને રામનવમીના પાવન અવસરે અહીં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. રામનવમીના દિવસે ભુજ સહિત સમગ્ર કચ્છમાં ઉજવણીનો માહોલ રહે છે, ત્યારે રઘુનાથજી મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મંદિર ખાતે શોભાયાત્રા, ભજન-કીર્તન અને પૂજા વિધિઓનું આયોજન કરવામાં આવે છે. રાજાશાહી સમયથી ચાલતી આવતી પરંપરા મુજબ, કેટલાક ધાર્મિક વિધિઓમાં આજે પણ રાજપરિવારની પ્રતીકાત્મક ભાગીદારી જોવા મળે છે. સાંસ્કૃતિક રીતે પણ આ મંદિરનું મહત્વ અતિ વિશાળ છે. હમીરસર તળાવની બાજુમાં આવેલું આ મંદિર ભુજના ઐતિહાસિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. દરરોજ અનેક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને શહેરના ધાર્મિક જીવનમાં આ મંદિર કેન્દ્રસ્થાને છે. આ રીતે, રઘુનાથજી મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ કચ્છના ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત સાક્ષી છે. 74 વર્ષ અગાઉ રામ ભગવાનનો સુવર્ણ ફોટો આજે પણ મંદિરમાં શોભે છે વર્ષ 1952માં એલ.એમ. પોમલ જાણીતા તેમજ અનેક સીમા ચિન્હરૂપી ફોટોગ્રાફી કરનાર ચિત્રકાર અને ફોટોગ્રાફરે સોનાના વરખ લગાવીને પેન્ટિંગ કરેલા ભગવાન શ્રીરામનો સુવર્ણ ફોટો આજે પણ મંદિર પરિસરમાં સ્થાપિત છે અને દર વર્ષે રામનવમીની શોભાયાત્રામાં સામેલ થાય છે. રામનવમીના દિવસે સવારે મંગળા આરતીથી કાર્યક્રમોની શરૂઆત થાય છે, ત્યારબાદ પૂજન, રવાડી અને બપોરે મહાઆરતી સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરનો ઉલ્લેખ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજના ગુરુ રામાનંદ સ્વામી અને ઘનશ્યામ મહારાજ રઘુનાથજી મંદિર પાસે આવેલી રામવાડીમાં આવેલ ધર્મશાળામાં જ્યારે ભુજમાં પ્રથમ વખત આવ્યા ત્યારે રોકાયા હતા. અહીં એક કૂવો આવેલો છે તેના પાણીથી તેઓ સ્નાન કરતા હતા અને અહીં રઘુનાથજીની પૂજા કરતા હતા. સ્વામિ. સંપ્રદાયમાં રઘુનાથજીના મંદિરનો ઉલ્લેખ પ્રસાદી મંદિર તરીકે કરાયો છે, જેના પગલાં પણ મંદિર પરિસરમાં જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    બસ મુસાફરોની સુવિધામાં વધારો:ભુજથી પાલીતાણા વાયા રાજકોટ નવી સ્લીપર બસ સેવાનો આરંભ
    Next Article
    કરૂણાંતિકા:જામનગર-રાજકોટ ધોરીમાર્ગ રક્તરંજીત થયા અકસ્માતના ત્રણ બનાવમાં 4ના મોત, 2ને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment