Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોર ઈકોનોમી:45 લાખ મોત, 8 લાખ કરોડથી વધારે ખર્ચ

    1 week ago

    ટ્ર મ્પ દાવો કરે છે કે ઇરાન સાથેનું યુદ્ધ પૂરું થવામાં છે. ઈરાન કહે છે કે અમે નક્કી કરીશું ક્યારે પૂરું થશે એ. હકીકત એ છે કે યુદ્ધ કાગળ પર પૂરું થાય તો પણ જમીન પર તેની અસર વર્ષો, દાયકાઓ સુધી ચાલતી રહે છે. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીએ કોસ્ટ ઓફ વૉર (યુદ્ધની કિંમત) નામે અહેવાલ તૈયાર કર્યો છે. અમેરિકા પર 2001માં આતંકી હુમલો થયો એ પછી આખા જગતમાં અમેરિકાના હુમલા વધ્યા છે. 2001થી લઈને 2023 સુધી અમેરિકાએ આતંકવાદીઓને ખતમ કરવા કયા દેશોમાં કેવા હુમલા કર્યા, કેવી તૈયારી કરી, કેવી અસર થઈ એ બધું રિપોર્ટનાં પાનાં પર પથરાયેલું છે અને જમીન પરની હકીકતને બયાં કરે છે. અફઘાનિસ્તાનમાંથી લાદેનને ખતમ કરવા અમેરિકાએ ધડબડાટી બોલાવી એ જાણીતી વાત છે. ઓછી જાણીતી વાત એ છે કે અફઘાન ધરતી પર ઠેર ઠેર ન ફૂટેલી લેન્ડમાઈન્સ (જમીનમાં છુપાવાયેલી સુરંગો, જેના પર પગ આવે એટલે આપોઆપ ફૂટે) સંતાયેલી છે. તેના પર જાણે અજાણે પગ આવે એટલે પગ દેનારનું શરીર અનેક અંગોમાં વિભાજિત થાય. અફઘાનિસ્તામાં આવા સુરંગ વિસ્ફોટોથી 14,693 નાગરિકો ઘાયલ થયા અને 5,442 લોકોએ જીવ ગુમાવ્યા છે. યુદ્ધને કારણે આવું તો ઘણુંય થયું છે. યુદ્ધ એટલે મૃત્યું 2001થી 2023 દરમિયાન ઇરાક, અફઘાનિસ્તાન, સીરિયા, યમન અને પાકિસ્તાનમાં સીધી હિંસાને કારણે અંદાજે 9,40,000 લોકો માર્યાં ગયાં, જેમાંથી 4,32,000થી વધુ તો માત્ર સામાન્ય નાગરિકો હતા. અંદાજે 36થી 38 લાખ લોકો યુદ્ધની આડઅસરો અને પાયાની સુવિધાઓ ખોરવાતાં મૃત્યુ પામ્યાં અને કુલ મૃત્યુઆંક 45થી 47 લાખ સુધી પહોંચી ગયો. અંદાજે 3.8 કરોડ લોકો પોતાનાં ઘર છોડવા મજબૂર બન્યાં. અફઘાનિસ્તાન અને ઇરાકમાંથી વિસ્થાપિત થયેલા લોકો પાકિસ્તાન, ઈરાન અને તુર્કી જેવા દેશોમાં આશરો લઈ રહ્યા છે. મે 2023 સુધીના આંકડા મુજબ, યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં 76 લાખથી વધુ બાળકો ગંભીર કુપોષણથી પીડાઈ રહ્યાં છે. યુદ્ધ એટલે વિસ્થાપન અને ગરીબી અફઘાનિસ્તાન, ઇરાક, પાકિસ્તાન, યમન, સોમાલિયા અને સીરિયા જેવા યુદ્ધગ્રસ્ત દેશોમાંથી અંદાજે 3.8 કરોડ લોકો વિસ્થાપિત થયા છે. આ આંકડો માનવ ઇતિહાસમાં સૌથી મોટા વિસ્થાપનમાંથી એક છે. એકલા અફઘાનિસ્તાનમાં જ 59 લાખ લોકોએ ક્યાં તો દેશ છોડ્યો અથવા તો દેશની અંદર જ આશ્રય લેવો પડ્યો છે. એ દરેકે સમજવું જોઈએ કે વિસ્થાપિત થવું એ માત્ર રહેઠાણ ગુમાવવું માત્ર નથી, પણ તે રોગચાળા અને ગરીબીને કારણે થતા મૃત્યુદરમાં પણ વધારો કરે છે. યુદ્ધ એટલે તિજોરીમાં ખાડો 2022 સુધીમાં, અમેરિકાએ અંદાજે $8 ટ્રિલિયન (આશરે 660 લાખ કરોડ રૂપિયા) ખર્ચ્યા છે. આ યુદ્ધો સંપૂર્ણપણે દેવું કરીને લડવામાં આવ્યાં હોવાથી, અત્યાર સુધીમાં અમેરિકાએ $1 ટ્રિલિયન (લગભગ 83 લાખ કરોડ રૂપિયા) માત્ર વ્યાજ પેટે જ ચૂકવ્યા છે. એવો પણ અંદાજ છે કે 2030 સુધીમાં વ્યાજની આ રકમ $2 ટ્રિલિયન (લગભગ 166 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી જશે. આ ઉપરાંત, 2002થી અત્યાર સુધીમાં અમેરિકાની આંતરિક સુરક્ષા માટે પણ $1.1 ટ્રિલિયન એટલે કે 91.3 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. યુદ્ધ એટલે સૈનિકોની શહાદત 7,053થી વધુ અમેરિકી સૈનિકો અને 8,189 કોન્ટ્રાક્ટરોએ આ સંઘર્ષોમાં પોતાનો જીવ ગુમાવ્યો. જોકે, સૌથી ચોંકાવનારી વિગત એ છે કે યુદ્ધના મેદાનમાં શહીદ થયેલા સૈનિકો કરતાં ચાર ગણા વધુ સૈનિકો અને નિવૃત્ત સૈનિકોએ યુદ્ધના માનસિક આઘાતને કારણે આત્મહત્યા કરી, જે એક ગંભીર માનસિક સ્વાસ્થ્ય સંકટ તરફ ઈશારો કરે છે. આ ઉપરાંત, 18 લાખથી વધુ નિવૃત્ત સૈનિકો યુદ્ધને કારણે શારીરિક કે માનસિક રીતે વિકલાંગ બન્યા છે. આ વિકલાંગ સૈનિકોની આજીવન સારવાર અને પેન્શનનો ખર્ચ અમેરિકી સરકાર માટે એક મોટો આર્થિક બોજ બની રહ્યો છે, જે 2050 સુધીમાં $2.2થી $2.5 ટ્રિલિયન (182 લાખ કરોડ રૂપિયાથી 207 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચવાની ધારણા છે. યુદ્ધ એટલે પર્યાવરણનું નિકંદન અમેરિકી સંરક્ષણ વિભાગ તેલનો વિશ્વનો સૌથી મોટો ગ્રાહક હોવાને કારણે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં મોટો ભાગ ભજવે છે, જે આબોહવા પરિવર્તનને વેગ આપે છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ઝેરી કચરો અને પ્રદૂષણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ નોતરી રહ્યું છે. જેમકે, ઇરાકના ફાલુજામાં થયેલા ભારે બોમ્બમારાને કારણે નવજાત બાળકોમાં જન્મજાત ખામીઓના પ્રમાણમાં 17 ગણો વધારો જોવા મળ્યો છે. તો અફઘાનિસ્તાન આજે પણ અસંખ્ય લેન્ડમાઇન્સ અને ન ફૂટેલા બોમ્બથી ભરેલું છે, જે ત્યાંનાં બાળકો અને સામાન્ય જનતા માટે જીવલેણ ખતરો છે. એટલું જ નહીં, સૈનિકો અને સ્થાનિકોમાં કેન્સર અને શ્વાસની બીમારીઓ પણ વધી છે. ગાઝાની વર્તમાન સ્થિતિ: એક માનવીય સંકટ ઓક્ટોબર 2023થી શરૂ થયેલા ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષે 21મી સદીની સૌથી ગંભીર માનવીય દુર્ઘટનાઓમાંથી એકને જન્મ આપ્યો છે. હોસ્પિટલો પરના હુમલા અને પાયાની સુવિધાઓના વિનાશને પરિણામે સીધી હિંસા કરતા પણ પરોક્ષ કારણોસર થતા મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ઓક્ટોબર 2024 સુધીના અહેવાલો મુજબ, ગાઝાની અંદાજે 96% વસ્તી (21.5 લાખ લોકો) ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહી છે, જેમાં હજારો નિર્દોષ લોકો માત્ર ભૂખમરાને કારણે જીવ ગુમાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આજ-કાલ:શસ્ત્રવિહોણો સૈનિક
    Next Article
    વસુંધરાના વહાલાં દવલાં:બ્લૂ ગોલ્ડ: પાણી માટે 2000 ટકા વધુ કિંમત ચૂકવતું આફ્રિકા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment