Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતલપુરના પીપરાળામાં ઘર બહાર સૂતેલા દંપતીને તસ્કરોએ નિશાન બનાવ્યાં:45 હજાર રોકડ તેમજ 60 હજારની કિંમતની સોનાની ચેન લૂંટી ફરાર

    14 hours ago

    સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે ઘરની બહાર સૂતેલા એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો કુલ રૂ. 1,05,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીમાં રૂ. 45,000 રોકડા અને રૂ. 60,000ની સોનાની ચેનનો સમાવેશ થાય છે. સાંતલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીપરાળા ગામના 67 વર્ષીય દાનસંગજી પાંચાજી સમા તેમના પત્ની રત્નાબાઈ સાથે રાત્રિના સમયે ઘરની બહાર ખુલ્લામાં સૂતા હતા. રાત્રિના 10:00 વાગ્યાથી વહેલી સવારના 02:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. ચોરોએ દાનસંગજીના શર્ટના ખિસ્સામાં રાખેલા રૂ. 45,000 રોકડા અને તેમના પત્ની રત્નાબાઈના ગળામાં પહેરેલી આશરે રૂ. 60,000ની કિંમતની સોનાની ચેનની ચોરી કરી હતી. રાત્રિના આશરે બે વાગ્યે દંપતી જાગી જતાં તેમણે બે અજાણ્યા શખ્સોને ખેતરો તરફ ભાગતા જોયા હતા. વૃદ્ધ હોવાને કારણે દંપતી ચોરોનો પીછો કરી શક્યું ન હતું. સવારે તપાસ કરતાં ઘરની પાછળના રણ વિસ્તારમાં મોટરસાયકલના ટાયરના નિશાન મળી આવ્યા હતા. આ બનાવ અંગે દાનસંગજીએ મુંબઈ રહેતા તેમના પુત્રને જાણ કરી હતી. પુત્ર પીપરાળા આવી પિતા સાથે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાંતલપુર પોલીસે બી.એન.એસ. કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર નકુલકુમાર પંચાલને વધુ તપાસ સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં પ્રિ-મોન્સુન સમારકામ:આવતીકાલે સવારે 8થી બપોરે 2 સુધી વીજ પુરવઠો બંધ રહેશે
    Next Article
    Masked Man Who Breached Delhi Assembly, Kept Bouquet Inside, Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment