Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારના જામીન નામંજૂર:આરોપી પતિની 45 દિવસની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી

    10 hours ago

    વલસાડ જિલ્લાના વાપીમાં પત્નીના પ્રેમીની હત્યાના ચકચારી કેસમાં સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી રાજુ ઉર્ફે રાજેશ ઠાકુરની 45 દિવસની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. આરોપી પર પોતાની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવતા યુવકનું અપહરણ કરી હત્યા કરવાનો ગંભીર આરોપ છે. વાપીની થર્ડ એડિશનલ સેશન્સ કોર્ટમાં આરોપીએ 45 દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી. સરકારી વકીલ રાકેશ ચાપાનેરીયાની દલીલોને ધ્યાનમાં રાખીને, ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટના જજ પુષ્પાબેન સૈનીએ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો આદેશ આપ્યો છે. કેસની વિગતો મુજબ, આરોપીની પત્ની અને મૃતક અરવિંદભાઈ રાઠવા (ઉંમર 38) વચ્ચે પ્રેમ સંબંધ હતો. શીતલબેન પ્રેમી અરવિંદ સાથે વડોદરાના મકરપુરામાં રહેવા જતી રહી હતી. આ બાબતથી રોષે ભરાયેલા પતિ રાજુ ઉર્ફે રાજેશ ઠાકુરે મિત્રો સાથે મળીને કાવતરું રચ્યું હતું. ભાડું આપવાના બહાને અરવિંદને વાપી બોલાવવામાં આવ્યો હતો. પોલીસ એફિડેવિટ અનુસાર, અરવિંદને એક રૂમમાં બંધ કરી નિર્વસ્ત્ર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લાકડાના ફટકા વડે તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો. આરોપીએ ગુપ્તાંગના ભાગે ઇલેક્ટ્રિક વાયર વડે કરંટ આપ્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું. હત્યા બાદ પુરાવા નાશ કરવા માટે મૃતદેહને રિક્ષામાં ભરી પારડી નજીક નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આરોપીઓએ મૃતકનું ATM કાર્ડ પડાવી લઈ અલગ-અલગ ATMમાંથી અંદાજે રૂ. 70,000 ઉપાડી લીધા હતા અને તેના દસ્તાવેજો પણ સળગાવી દીધા હતા. આરોપીએ પરિવારના ભરણપોષણ માટે 45 દિવસના જામીન માગ્યા હતા. પરંતુ સરકારી વકીલ અને પોલીસની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે નોંધ્યું કે આરોપી સામે IPC કલમ 302 સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એટ્રોસીટી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ થયો છે. કોર્ટે એ પણ અવલોકન કર્યું કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હોવાથી ફરાર થવાની શક્યતા છે અને સાક્ષીઓને ડરાવવાની ભીતિ પણ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કરંટ લાગવાથી મોત થયાની પુષ્ટિ થઈ હતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી ફગાવી આરોપીને જેલમાં જ રાખવાનો આદેશ કર્યો છે. આ કેસમાં મૃતક અરવિંદ રાઠવા (ઉંમર 38) હતા અને મુખ્ય આરોપી રાજુ ઉર્ફે રાજેશ ઠાકુર છે. ગુનાની કલમોમાં IPC 302 (હત્યા), 201 (પુરાવાનો નાશ), 342 (ગેરકાયદેસર અટકાયત), 120(બી) (ગુનાહિત કાવતરું), 323 (સ્વૈચ્છિક ઈજા), 384 (ખંડણી) અને એટ્રોસીટી એક્ટનો સમાવેશ થાય છે. લૂંટની રકમ રૂ. 70,000 અને મોબાઈલ ફોનનો પણ ઉલ્લેખ છે.
    Click here to Read More
    Previous Article
    NMOCONનું બે દિવસીય અધિવેશન બરોડા મેડિકલ કોલેજમાં યોજાશે:દેશના અંતિમ ગામો સુધીમાં આરોગ્ય સેવા પહોંચાડવાનો ઉદ્દેશ્ય, CM અને શિક્ષણમંત્રી ઉપસ્થિત રહેશે
    Next Article
    ચાણસ્માના ઝીલિયામાં ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર:મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈના કબજા વાળી ગૌચર જમીન ખાલી કરાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment