Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં મહાકાલી કુંડ મંદિરનો 44મો પાટોત્સવ:નવચંડી હવન પ્રારંભ, શોભાયાત્રા યોજાઈ; સાંજે મહાપ્રસાદ વિતરણ

    13 hours ago

    હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં હાથમતી નદી કિનારે આવેલા મહાકાલી કુંડ મંદિરમાં આજે 44મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે સવારે નવચંડી હવનનો પ્રારંભ થયો હતો અને માતાજીની શોભાયાત્રા પણ યોજાઈ હતી. પાટોત્સવ નિમિત્તે સવારે 9 વાગ્યે યજમાનોના હસ્તે મંત્રોચ્ચાર સાથે મહાનવચંડી હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંજે 4 કલાકે શ્રીફળ હોમ સાથે હવનની પૂર્ણાહુતિ થશે. મંદિર અને માતાજીના ગર્ભગૃહને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા અને મહાકાલી માતાજીને અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. મંદિરેથી વાજતે-ગાજતે મહાકાલી માતાજીની ફોટો પ્રતિમાને બગીમાં બિરાજમાન કરીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના સથવારે નીકળેલી આ શોભાયાત્રા અલકાપુરી નવરાત્રી ચોક, હનુમાનજી મંદિર, ઋષભદેવ સોસાયટી અને અંબર સિનેમા થઈને પરત નિજ મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, સ્થાનિકો અને યુવક-યુવતીઓ જોડાયા હતા. સાંજે 4:45 વાગ્યે નિવેદ અર્પણ કરાશે અને 5 કલાકે મહાઆરતી થશે. ત્યારબાદ સાંજે 6 થી રાત્રે 9 કલાક સુધી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રડવાનો અવાજ સાંભળી પરિવારમાં ગભરાટ:સુરતના કોસાડમાં ચોથા માળે 1 વર્ષીય ભાઈ અને 2 વર્ષીય બહેન દરવાજો લોક થઇ જતા રૂમમાં ફસાયા, ફાયરના લાશ્કરોએ દરવાજો તોડીને બંનેને સુરક્ષિત બહાર કાઢયા
    Next Article
    Iran - Israel US War LIVE | યુદ્ધ લાંબું ચાલશે તો ભારતને શું થશે અસર? | India | PM Modi | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment