Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની વિરાણી હાઇસ્કૂલની રૂ.1 હજાર કરોડની જમીનનો વિવાદ:જમીનનું વેચાણ ન થાય તે માટે પક્ષકાર તરીકે જોડાવાની પીપળીયાની અરજી કલેક્ટરે નામંજૂર કરી, ટ્રસ્ટે રૂ.2 કરોડનો માનહાનિનો દાવો કર્યો

    14 hours ago

    રાજકોટમાં આઝાદી કાળની સૌરાષ્ટ્રની પ્રખ્યાત વિરાણી હાઇસ્કૂલ ફરી વિવાદમાં આવી છે. રૂ.1000 કરોડની જમીનમાં કોમર્શિયલ ઉપયોગ સ્વરૂપે ખાણીપીણીની બજાર ઊભી થઈ ગઈ છે ત્યારે આ જમીનનો એક ભાગ વેચવાની ચેરિટી કમિશનર સમક્ષ અરજીથી વિવાદ શરૂ થયો હતો. આ જ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પરસોતમ પીપળીયા દ્વારા વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો સમિતિના નેજા હેઠળ લડત ચલાવવામાં આવી હતી. આ જમીનનું વેચાણ ન થાય તે માટે પક્ષકાર તરીકે જોડાવવા માટે કલેક્ટર સમક્ષ અરજી કરી હતી. જોકે આ રિવિઝન અરજી હાલના કલેક્ટર દ્વારા નામંજૂર કરવામાં આવી છે ત્યારે વિરાણી હાઇસ્કૂલ ટ્રસ્ટના એડવોકેટે કહ્યું કે, ત્રાહિત વ્યક્તિ પીપળીયાનો ફુગ્ગો ફૂટી ગયો છે અને આ જમીનનું વેચાણની કોઈ વાત નથી. જ્યારે સામા પક્ષે પીપળીયાએ કહ્યું કે, સરકારે આપેલી જમીન હોવાથી કલેક્ટર અને ટ્રસ્ટ વચ્ચેનો મામલો છે પરંતુ કઈ કાચું ન કપાય તે માટે અમે શરૂઆતથી પક્ષકાર તરીકે જોડાવવા અરજીઓ કરીએ છીએ. અમે હાઈકોર્ટમાં પણ અરજી કરેલી છે. સામે પક્ષ દ્વારા રૂ.2 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ આ બાબતના વધુ ખુલાસાઓ આવતીકાલે કરીશ. શામજી વેલજી વિરાણી ટ્રસ્ટના એડવોકેટ પરેશ ઠાકરે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી આ ટ્રસ્ટને વિવાદ માટે ઢસેડવાના ક્યાંક ને ક્યાંક પ્રયત્નો ચાલુ થયા હતા. પરસોતમ પીપળીયા દ્વારા ગ્રાઉન્ડ બચાવો સમિતિ અને વિરાણી બચાવો સમિતિ ચલાવવામાં આવતી હતી. જેને કાયદાકીય સમર્થન ન હતું. જે બાદ આંદોલનત્મક કાર્યક્રમો શરૂ થયા હતા જેના અનુસંધાને ટ્રસ્ટે ચેરિટી કમિશનર ઓફિસમાંથી એક પાર્ટ વેચવાની મંજૂરી મેળવી હતી. જે મંજૂરી મળતા આંદોલનો ચાલુ થયા હતા. ચેરિટી કમિશનરની ઓફિસમાં પરસોતમ પીપળીયાએ પોતે પક્ષકાર તરીકે જોડાવાની અરજી કરી હતી. જે અરજી કાઢી નાખવામાં આવી હતી. જેને અંદાજે ચાર વર્ષ થયા ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલતો હતો. જે મેટરમાં પણ પરસોતમભાઈની અરજી કાઢી નાખવામાં આવી હતી. જેની સામે પરસોતમભાઈએ કલેકટરની કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણીના અંતે કલેકટર દ્વારા તેમની અરજી કાઢી નાખવામાં આવી છે. વહીવટી તંત્ર અને શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ સાથેના જે કઈ કેસો છે તેના માટે જવાબ આપવા માટે ટ્રસ્ટ બંધાયેલું છે પરંતુ કોઈ ત્રાહિત વ્યક્તિ કે જે સગીરાના વાલી અથવા તો અમે અહીં ભણ્યા હતા એટલે અમારે આ કરવું જોઈએ તેવી જે વાતો હતી એ વાતોનો ફુગ્ગો ફૂટી ગયો છે. રાજકોટ કલેકટર દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે સૌરાષ્ટ્રમાં લાંબાગાળાની અસર જન્માવશે. કોઈપણ જાતના નામ, ઠામ કે ઠેકાણા વિના અરજી કરવામાં આવતી હતી અને સામેવાળાને હેરાન કરવામાં આવતા હતા. જોકે કલેકટરના હુકમથી આવી બધી બાબતો પર રોક લાગશે. હાલના તબક્કે આ ટ્રસ્ટ દ્વારા અધ્યતન બિલ્ડીંગ ઊભું કરવા માંગે છે. જુદી જુદી ફેકલ્ટીઓ અહીં ચાલુ થઈ ગઈ છે. અહીં પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ અહીં ચાલુ છે. શિક્ષણના હેતુ માટે જે કંઈ પણ કરવું પડશે તે આ ટ્રસ્ટ કરશે પણ કોઈ વેચવાની વાત હાલના તબક્કે નથી. અમે પ્રથમ દિવસે જ કહીએ છીએ કે પરસોતમભાઈનો કોઈ અધિકાર જ નથી. તંત્ર જેમને પૂછશે તે જવાબ આપવા માટે અમે બંધાયેલા છીએ. હવે શું કરવું એ પરસોતમભાઈ એ જોવાનું છે અને કંઈ ઓથોરિટીમાં જશે જોકે આ મામલે માનહાનિનો દાવો કરવામાં આવશે. જ્યારે આ મામલે પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઇસ્કૂલનો હું ભૂતપૂર્વ વિદ્યાર્થી છું અને આ જમીનનું વેચાણ ન થાય તે માટે વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો સમિતિ દ્વારા વિરાણી ટ્રસ્ટ અને વહીવટી તંત્ર વચ્ચેના કેસમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજી નામંજૂર થઈ છે. જોકે અમે આ મામલે હાઇકોર્ટમાં ગયા છીએ અને ત્યાં કેસ પેન્ડિંગ છે. વિરાણી ટ્રસ્ટ દ્વારા મારી સામે રૂ.2 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. જેનો જવાબ પણ હું આપીશ. આ બાબતે વધુ ખુલાસા આવતીકાલે કરવામાં આવશે. રાજકોટમાં આઝાદીકાળની સરકારે આપેલી અંદાજિત રૂ.1000 કરોડની વિરાણી હાઈસ્કૂલની જમીનનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનો વિવાદ વકર્યો છે ત્યારે અગાઉ પીપળીયાની આગેવાનીમાં વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો સમિતિ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે રાખી આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં આ મેદાનમાં ખાણીપીણી તેમજ ક્રિકેટ બોક્સનું મેદાન કોમર્શિયલ સ્વરૂપે ઊભું થઈ ગયું છે. વિરાણી હાઇસ્કુલ તેમાંથી નફો રડી રહી છે. આ મેદાન રમતવીરોને રમવા માટે છે. સરકારે જે હેતુ માટે જમીન આપેલી હતી તે હેતુ જળવાતો નથી. ટ્રસ્ટ દ્વારા જે રીતે શરત ભંગ કરવામાં આવી રહી છે તેની સામે લડત ચલાવવામાં આવી હતી. સમિતિએ અગાઉ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અંદાજે રૂ.1000 કરોડની 49720 ચોરસ વાર જમીન વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટને આપી હતી. જેનો શૈક્ષણિક ને બદલે કોમર્શિયલ ઉપયોગ થતો હોવાથી વિદ્યાર્થીઓને ખેલાડીઓ માટેનુ આ મેદાન છીનવાઈ ગયુ છે. તમામ જગ્યા સરકારે જ આપેલી છે જેથી આ જમીનનો કોમર્શિયલ ઉપયોગ ન થઈ શકે અને વેચાણ પણ ન થઈ શકે. જ્યારે શામજી વેલજી વિરાણી ટ્રસ્ટના એડવોકેટ દ્વારા અગાઉ જણાવવામાં આવ્યું હતું કે, 5050.24 ચોરસ મીટર જમીન સરકારે શૈક્ષણિક હેતુ માટે આપેલી છે આ ઉપરાંત 1547.4 ચોરસ મીટર જમીન સરકારી શૈક્ષણિક હેતુ માટે કબજેદાર વિરાણી ટ્રસ્ટ છે. જ્યારે 34191.87 જમીન ટ્રસ્ટની ખાનગી માલિકીની છે. જેથી આમાં અમુક જમીન સરકારી છે બાકીની ટ્રસ્ટની ખાનગી માલિકીની છે. સરકારી જમીન પર કોઈ પણ પ્રકારનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો નથી અને તેના વેચાણની પણ કોઈ વાત નથી. નોંધનીય છે કે, રાજકોટમાં આઝાદી કાળથી એટ્લે કે વર્ષ 1946 માં સદર વિસ્તારમા વિરાણી હાઈસ્કૂલ કાર્યરત હતી બાદમા 1951 માં શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલય માટે સરકાર દ્વારા શહેરના ટાગોર રોડ ઉપર હેમુ ગઢવી હૉલની પાછળ રામકૃષ્ણનગરમાં 41,529 ચોરસ મીટરની અંદાજિત 1000 કરોડની જમીન શૈક્ષણિક હેતુ માટે આપવામા આવી હતી. જેમાંથી 1200 સ્ક્વેર મીટર જગ્યામાં ખાણીપીણીની બજાર ઊભી થઈ ગઈ છે તો ક્રિકેટ અને ફૂટબોલ માટે મેદાન ભાડે આપવામા આવેલું છે. એટ્લે કે કોમર્શિયલ હેતુ માટે આ મેદાનનો ઉપયોગ થાય છે. વર્ષ 2020 માં અહીં આવેલી 5,733.69 ચોરસ મીટર જમીન વેચવા માટે નવા ટ્રસ્ટીઓ દ્વારા ચેરિટી કમિશનરમાં અરજી કરવામાં આવી હતી. જોકે ભૂતપૂર્વ વિદ્યાર્થી પરસોતમ પીપળીયા સહિતનાઓ દ્વારા ચલાવવામાં આવેલી કાયદાકીય લડતને પગલે વહીવટી તંત્રએ આ જમીનને વહેંચી નહી શકાય તેવો ચુકાદો આપ્યો. જે બાદ પશ્ચિમ મામલતદાર અને પ્રાંત અધિકારીએ કરેલી તપાસમાં સામે આવ્યું કે, શૈક્ષણિક હેતુ માટે આપેલી જમીનનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે જેથી તેમાં શરત ભંગની કાર્યવાહી થઈ શકે. આ રિપોર્ટ માર્ચ, 2025 માં કલેકટર કચેરી ખાતે મોકલવામાં આવેલો હતો. દરમિયાન હાલના કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે આપેલા ચુકાદા મુજબ આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવાની પીપળીયાની રિવિઝન અરજી નામંજૂર કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’:વેરાવળમાં પરિસંવાદ, ખેડૂતોને અપાયો સ્વસ્થ કૃષિનો સંદેશ, પ્રાકૃતિક ખેતી જ વિકસિત ભારતનો આધાર
    Next Article
    Gujarat Farmers Protest LIVE | કોંગ્રેસના પાપે ખેડૂત આંદોલન ફેલ?? | Tractor rally | AAP | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment