Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર:બપોર બાદ રસ્તાઓ સુમસામ, લોકો ત્રસ્ત

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બપોરના સમયે શહેરના રસ્તાઓ અને બજારો સુમસામ ભાસી રહ્યા છે, જાણે કર્ફ્યુ જેવો માહોલ હોય. જિલ્લામાં ગરમીની શરૂઆતથી જ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં તે 45 ડિગ્રીને પણ વટાવે તેવી શક્યતા છે. ખાસ કરીને રણકાંઠાના ગામો જેવા કે નિમકનગર, નરાળી, કુડા, જેસડા, સતાપર, કોપરણી અને પાટડીના રણકાંઠાના વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. સવારના 11 વાગ્યાથી જ રોડ પર આગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આકરી ગરમીના કારણે વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓને બિનજરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ગરમીની અસર માનવજીવનની સાથે પશુ-પક્ષીઓ પર પણ જોવા મળી રહી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાં, લીંબુ સરબત, શેરડીનો રસ અને જ્યુસ જેવા પીણાંનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે લોકોની અવરજવર નહિવત્ રહેતા બજારોમાં સન્નાટો છવાઈ જાય છે. તંત્ર દ્વારા પણ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, વધુ પાણી, લીંબુ સરબત અને ORS પીવા, તેમજ ડીહાઇડ્રેશનથી બચવા માટે સુતરાઉ અને શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા વસ્ત્રો પહેરવાની સલાહ આપવામાં આવી છે. સામાન્ય હીટવેવની અસર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા પણ તાકીદ કરાઈ છે. આ કાળઝાળ ગરમીમાં સેવાભાવી સંસ્થાઓ પણ મદદે આવી છે. ધ્રાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 21 દિવસ સુધી આ સેવા ચાલુ રહેશે, જેમાં દરરોજ અંદાજે 150 લીટર છાશનું વિતરણ કરીને 800 થી 1000 જેટલા લોકોને રાહત પૂરી પાડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    HTAT શિક્ષકો માટે મોટી તક:મદદનીશ કેળવણી નિરીક્ષકની 169 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા જાહેર, 18થી 30 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
    Next Article
    Ranveer Singh as Lord Shiva? Amish Tripathi breaks silence on The Immortals of Meluha movie rights

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment