Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો:પાટણમાં દીકરીઓને જન્મ આપનાર 44 માતાઓનું સન્માન,જરૂરિયાતની કીટ ભેટ

    11 hours ago

    પાટણના ભગિની સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દીકરી જન્મને ઉત્સવ બનાવી નારી સશક્તિકરણનું સન્માન કરવાના ઉદ્દેશથી પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને મહિલા-બાળ કલ્યાણ કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શહેરમાં છેલ્લા 6 માસમાં જન્મેલ 44 નવજાત દીકરીઓ અને માતાઓનું વિશેષ સન્માન કરી સમાજમાં સકારાત્મક સંદેશ વહેતો કરાયો હતો. સાથેસાથે 6 માસ સુધીની વયની 44 બાળકીઓને સંસ્થા તરફથી સુંદર કીટ ભેટમાં આપી હતી. જેમાં રમકડાં, કપડાં અને બેબી કેર પ્રોડક્ટ્સ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ થતો હતો. મહિલા અને બાળ વિકાસ અધિકારી મેઘાબેન ગોસ્વામીએ ઉપસ્થિત માતાઓને સંબોધતા જણાવ્યું હતું કે, દીકરી એ માત્ર ઘરની લક્ષ્મી નથી, પણ આત્મનિર્ભર બની સમાજનું નેતૃત્વ કરવાની શક્તિ ધરાવે છે. તેમણે બાળ ઉછેર અને મહિલા અધિકારો અંગે સમજણ આપી દરેક માતાને પોતાની દીકરીને શિક્ષિત અને સશક્ત બનાવવા આહવાન કર્યું હતું. ઉદ્યોગપતિ રમેશભાઈ પટેલે આ પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ 25,000નું દાન આપી સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પાટણના નગરસેવકો અને અગ્રણીઓની હાજરીમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી નહીં, પરંતુ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક મક્કમ નિર્ધાર બની રહ્યો હતો. અંધશ્રદ્ધા દૂર કરવા પ્રયોગ કર્યા કાર્યક્રમમાં માત્ર સન્માન જ નહીં, પરંતુ નારીને માનસિક રીતે મજબૂત બનાવવા માટે અહીં અંધશ્રદ્ધા દૂર કરવા માટે પ્રયોગ સાથે માર્ગદર્શન અપાયું હતું.જેમાં કાર્યક્રમમાં સૌથી આકર્ષક પાસું અંધશ્રદ્ધા વિરુદ્ધની જાગૃતિનું રહ્યું હતું. પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્રના દર્શનભાઈ ચૌધરીએ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સમજાવ્યું હતું કે કેવી રીતે ધુતારાઓ અને ભુવાઓ ભોળી મહિલાઓને છેતરે છે. તેમણે નાળિયેરમાંથી ચૂંદડી કાઢવી, લોટામાંથી વિવિધ નદીઓના નીર કાઢવા અને કંકુના પગલાં પાડવા જેવા પ્રયોગો પાછળના રાસાયણિક રહસ્યો ખુલ્લા પાડી મહિલાઓને સતર્ક રહેવા અપીલ કરી હતી. વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતોએ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સમજાવ્યું હતું કે, સાચું સશક્તિકરણ ત્યારે જ આવશે જ્યારે મહિલાઓ અંધશ્રદ્ધા અને છેતરપિંડીના જાળમાંથી મુક્ત થશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલનો ચુકાદો‎:મૃતકના વારસદારને 1.05 લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ
    Next Article
    ગાય આડી આવતાં અકસ્માત‎ સર્જાયો:બાઈક સ્લીપ ખાતા યુવાનનો પગ ટાયરમાં ફસાતાં ફ્રેક્ચર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment