Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:મિશન ઘર વાપસી: વડોદરા નારી સંરક્ષણગૃહમાં રહેતી 43 બાંગ્લાદેશી મહિલાને પરત મોકલાશે

    4 days ago

    વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાં ‘મિશન ઘર વાપસી’ કવાયત હાથ ધરવામાં આવી છે. નારી સંરક્ષણગૃહમાં રહેતી મહિલાઓને તેમના ઘરે પહોંચાડવા આ મિશનની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં નારી સંરક્ષણ ગૃહમાં 43 બાંગ્લાદેશી મહિલાઓ છે. આ તમામ મહિલાઓને પરત તેમના દેશ-ઘરે પહોંચાડવા માટેની ચર્ચા સરકારમાં ચાલી રહી છે. દોઢ મહિના અગાઉ ભરૂચ ખાતે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી પરિવારો વિરુદ્ધમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને 72 બાંગ્લાદેશી મહિલાઓ મળી હતી. જેથી જ્યાં સુધી મહિલાઓને બાંગ્લાદેશ ડિપોટ ન કરવામાં આવે ત્યા સુધી પોલીસ દ્વારા તમામ બાંગ્લાદેશી મહિલાઓને નારી સંરક્ષણ ગૃહમાં રાખવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. તમામ મહિલાનોને ભરૂચના નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલવામાં આવી હતી. જોકે ગૃહની ક્ષમતા ન હોવાને કારણે 43 મૂળ બાંગ્લાદેશની મહિલાઓને વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. આ તમામ મહિલાઓ છેલ્લા દોઢ મહિનાથી નારી સંરક્ષણગૃહમાં રહે છે. આ તમામ મહિલાઓના પરિવાર છે. વડોદરા નારી સંરક્ષણગૃહની ક્ષમતા 80ની છે અને ગૃહમાં 88 મહિલાઓ રહે છે. જેના કારણે ગૃહમાં ક્ષમતા કરતા વધુ મહિલાઓ છે. હાલમાં વડોદરા નારી અને બાળ સુરક્ષા દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગૃહમાં રહેતી તમામ મહિલાઓ અને બાંગ્લાદેશી મહિલાઓને તેમના ઘરે પરત મોકલવામાં આવશે. જેથી તેઓ પોતાના પરિવાર સાથે રહી શકે. ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે નિરાશ્રિત મહિલાઓને નારી સંરક્ષણ ગૃહમાં આશરો આપવામાં આવતો હોય છે અને પોતે પરત પગભર બની શકે તે માટે તાલિમ પણ આપવામાં આવતી હોય છે. 7 ભારતીય મહિલાઓને ટૂંક સમયમાં તેમના ઘરે પરત મોકલી દેવામાં આવશે નારી સંરક્ષણગૃહમાં બાંગ્લાદેશી મહિલાઓ સાથે ભારતીય મહિલાઓ પણ રહે છે. આ ઝુંબેશ હેઠળ મહિલાઓનુ કાઉન્સેલિંગ કરીને તેમના ઘરના સરનામા મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી 7 મહિલાઓના ઘરના સરનામા મેળવી લેવાયા છે અને તેમના પરિવાર સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. આ તમામ મહિલાઓને તેમનો પરિવાર રાખવા માટે તૈયાર હોવાથી ટૂંક જ સમયમાં મહિલાઓને તેમના ઘરે મોકલી દેવામા આવશે. મહિલાઓ બાંગ્લાદેશી હોવાના પુરાવા મળ્યા હતા ભરૂચ પોલીસના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ એવા પરિવારો હતો જેમની પાસે બાંગ્લાદેશના કોઈને કોઈ પુરાવા મળી આવ્યા હતા. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે એવી ઘણી જગ્યા છે જ્યાં ફેન્સીંગ કરવામાં આવી નથી. જેથી આ બોર્ડરનો લાભ લઈને પરિવારો ભારતમાં પ્રવેશે અને દેશના અલગ-અલગ રાજ્યોમાં રહે છે. મહિલા પોતાના પરિવાર-સમાજમાં પાછી પહોંચી માનભેર રહે તે ‘મિશન ઘર વાપસી’નો આશય છે સરકારના કોઈ નિર્દેશ નથી પણ મિશન શરૂ કરવાનો આશય એટલો જ હતો કે, મહિલા ઘરે, પોતાના સમાજમાં પહોંચી શકે અને માનભેર આજીવિકા મેળવીને આનંદથી રહે. મહિલાઓના ઘરે સંપર્ક કરવામાં આવી રહ્યા છે અને જો ઘરના સભ્યો મહિલાને સ્વીકારવા તૈયાર હોય તો મોકલવામાં આવશે. અમે મહિલાઓને રોજગારલક્ષી તાલીમ આપીએ છીએ. બાંગ્લાદેશી મહિલાઓ માટે પણ સરકાર સાથે વાતચીત ચાલુ છે. » શૈલેષ અંબારિયા, અધિકારી, બાળ-મહિલા વિભાગ
    Click here to Read More
    Previous Article
    હુમલો:કાગવદર સોલાર પ્રોજેક્ટ સાઇટ પર માર મારતા સુપરવાઇઝરને ઇજા
    Next Article
    સ્માર્ટ મીટર મુદ્દે ગૂંચવણ:92,682 જોડાણ સામે માત્ર 22,490 સ્માર્ટ મીટર લાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment