Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 42 લેઉવા પાટીદાર સમાજની જાહેર સભા યોજાઈ:ધારાસભ્ય કિરીટ પટેલે સામાજિક એકતા જાળવવા અપીલ કરી

    9 hours ago

    પાટણના સિંધવાઈ માતાજી મંદિર ખાતે 42 લેઉવા પાટીદાર સમાજની એક મહત્વપૂર્ણ જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સમાજમાં સામાજિક એકતા જાળવી રાખવા અને ચૂંટણી દરમિયાન કોઈ વિવાદ ન થાય તે માટે અપીલ કરી હતી. આ બેઠક પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના ઉમેદવારો પટેલ વર્ષાબેન, પટેલ વિષ્ણુભાઈ, દરબાર વંદનાબેન અને વર્મા હર્ષદકુમારના સમર્થનમાં યોજાઈ હતી. સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કિરીટ પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ભલે 2 થી 5 વોટ ઓછા મળે, પરંતુ સમાજમાં કોઈ વિગ્રહ કે વિવાદ થવો જોઈએ નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે સામાજિક સંગઠન એ પાયાની જરૂરિયાત છે અને ચૂંટણીઓ તો આવતી-જતી રહેશે, પરંતુ જો એકવાર સંગઠન તૂટશે તો સમાજને મોટું નુકસાન વેઠવું પડશે. તેમણે કાર્યકરોને સાવચેત કરતા કહ્યું કે, ચૂંટણીના છેલ્લા દિવસોમાં વિવિધ પ્રકારની લાલચો આપવામાં આવશે અને લોકોમાં ભ્રમ પેદા કરવાના પ્રયાસો થશે. તેમણે અફવાઓથી દૂર રહીને પેનલ ટુ પેનલ મતદાન કરવા પર ભાર મૂક્યો હતો. આ મીટિંગમાં પાટીદાર સમાજના અન્ય આગેવાનોએ પણ વોર્ડ નંબર 4 ના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું હતું. સભાના અંતે સામાજિક એકતા અને સંગઠિત મતદાન માટેનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પોલીસની ગાડીમાં ચોરીની પ્લેટને લઈને ડ્રાઈવર રવાના, CCTV:ગણતરીની મિનિટોમાં સફેદ કારની વ્હીલ પ્લેટ કાઢી, આરોપીને પકડવા તંત્રમાં દોડધામ
    Next Article
    ‘I will never ask her’: Abhishek Bachchan on daughter Aaradhya Bachchan’s opinion on his films

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment