Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવારની નજર સામે આણંદપુર ડેમમાં ડૂબ્યો યુવક:જૂનાગઢના આણંદપુરમાં કપડાં ધોવા ગયેલા પરિવારનો મોભી ડૂબ્યો; નહાવા પડેલા 42 વર્ષીય યુવકનો પગ લપસતા ડેમમાં ગરકાવ, ડૂબેલા યુવકની શોધખોળ ચાલુ

    1 week ago

    ​જૂનાગઢ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઉનાળાની બપોરે આણંદપુર ડેમ ખાતે ફરવા અને કપડાં ધોવા ગયેલા પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. ડુંગરપુર ગામનો એક પરિવાર પોતાની ઇકો કાર લઈને આણંદપુર ડેમ ખાતે પહોંચ્યો હતો. પરિવારની મહિલાઓ જ્યારે ડેમના કાંઠે કપડાં ધોવામાં વ્યસ્ત હતી, ત્યારે પરિવારના પુરુષ સભ્યો નહાવા માટે પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન 42 વર્ષીય મહેશભાઈ લખમણભાઈ ધોરીયાનો અચાનક પગ લપસી ગયો હતો. જોતજોતામાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિવારના સભ્યોની નજર સામે જ મહેશભાઈ પાણીમાં ગુમ થઈ જતાં પરિવારમાં ચીસાચીસ મચી ગઈ હતી. ​ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ડેમ પર દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને તાત્કાલિક ધોરણે સરકારી તંત્ર તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જૂનાગઢ ફાયર વિભાગની ટીમ અત્યાધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પાણીમાં ગરકાવ થયેલા મહેશભાઈના મૃતદેહને શોધવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે. જોકે, હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટનાને પગલે ડુંગરપુર અને આણંદપુર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ​આ દુર્ઘટનાની સાથે એક મહત્વની બાબત એ પણ છે કે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા હાલમાં જ ઓજત-2 ડેમની મરામત અંગે ખાસ સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. તંત્ર દ્વારા જાહેર કરાયેલા પત્ર મુજબ બાદલપુર ખાતેના ઓજત-૨ ડેમના 25 પૈકી 6 દરવાજાની રિપેરિંગ કામગીરી હાથ ધરવાની હોવાથી 30મી એપ્રિલથી ડેમમાંથી ધીમા પ્રવાહે પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ મરામત કાર્યને કારણે નદીના પટમાં પાણીનો પ્રવાહ અનિશ્ચિત હોઈ શકે છે, જેના કારણે અગાઉથી જ લોકોને નદીકાંઠે ન જવા ચેતવણી આપવામાં આવી હતી. ​તંત્ર દ્વારા અગાઉ જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આશરે 318 એમ.સી.એફ.ટી. જેટલું પાણી ધીમે ધીમે છોડવામાં આવશે, જેનાથી જૂનાગઢના 38 અને પોરબંદરના 11 ગામોને સીધી અસર થઈ શકે છે. ખાસ કરીને આણંદપુર, શાપુર, વંથલી અને ટીકર વીયર જેવા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા જણાવાયું હતું. લોકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ ખાતરી આપવામાં આવી હતી અને નદીના પટમાં કોઈપણ સંજોગોમાં પ્રવેશ ન કરવા અપીલ કરવામાં આવી હતી. ​આમ એક તરફ તંત્ર દ્વારા ડેમની મરામતને લઈને સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ આણંદપુર ડેમમાં બનેલી આ દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. પરિવાર સાથે ગયેલા યુવકનો પગ લપસતા તે કાળના મુખમાં હોમાયો હોય તેવી આશંકા સેવાઈ રહી છે. હાલ તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને આ અંગેનો પ્રાથમિક અહેવાલ મોકલી દેવામાં આવ્યો છે અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. પંથકમાં આ ઘટનાને લઈને ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં ભાજપનો વિજયોત્સવ:પશ્ચિમ બંગાળ, આસામ અને પોડિચેરીમાં પાર્ટીની જીત થતાં ટાવર ચોક પર આતશબાજી, કાર્યકરોમાં ખુશી
    Next Article
    રાજકોટ આરપીએફ ડિવિઝનની મોટી સિદ્ધિ:એપ્રિલમાં મુસાફરોનો રૂ.5.38 લાખનો ખોવાયેલો સામાન પરત કર્યો, ચેન પુલિંગ અને ચોરીના ગુનામાં 27 આરોપીઓ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment