Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ:રથયાત્રાના રૂટ પર લગાવાતી કેસરિયા ધ્વજા બનાવવા સહિતની કામગીરી શરુ, વૈશાખ સુદ ત્રીજે રથનું પૂજન

    10 hours ago

    ભાવનગર શહેરમાં દર વર્ષે આષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજના દિવસે દેશની ત્રીજા ક્રમની રથયાત્રા છેલ્લા 40 વર્ષથી યોજાય છે. ત્યારે આ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીની નીકળનારી 41મી રથયાત્રાને લઈ રથયાત્રાના કાર્યકર્તાઓ દ્વારા મુખ્ય માર્ગ પર 'જય જગન્નાથ'ના સ્લોગન સાથેની કેસરિયા ધ્વજા બનાવવા સહિતની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેસરિયા ધ્વજા બનાવવાની કામગીરી શરૂ ભાવનગરના આંગણે છેલ્લા 40 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન ભાવનગર રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રા પ્રતિ વર્ષની પરંપરા મુજબ 16 જુલાઈ 2026ના રોજ યોજનાર છે. હાલમાં રથયાત્રાને લઈને ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ-ભાવનગર દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના મુખ્ય માર્ગ પર 'જય જગન્નાથ'ના સ્લોગન સાથેની કેસરિયા ધ્વજા બનાવવા સહિતની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વૈશાખ સુદ ત્રીજના રોજ શાસ્ત્રોત વિધિ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીના રથનું પૂજન અર્ચન કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ઉનાળાનો એક મહિનો અમદાવાદીઓને ઓછું પાણી અપાશે, આ વિસ્તારોને અસર:નર્મદા કેનાલના પાણીમાં ઘટાડો કરી બોરવેલ ચલાવાશે, નહેરના રિપેરિંગ સમયે લેવલ વધઘટ થતાં જથ્થો ઘટશે
    Next Article
    પહેલા મિત્રતા કેળવી પછી મિત્રના ઘરમાં ઘૂસીને ચોરી કરી, CCTV:વડોદરામાં વીજ પોલ પર ચડીને તસ્કર ઘરમાં ઘૂસ્યો ને 250 UK પાઉન્ડ, રોકડા રૂપિયા, સોનાના દાગીના સહિત 4.14 લાખની મત્તાની ચોરી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment