Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ શરૂ, 4000 બાળક જોડાયા:શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવાનો પ્રયાસ

    1 day ago

    ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહ સાથે જોડવાનો છે. ભરૂચના શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ, જે.પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં ધોરણ 1થી 12 સુધીના આશરે 4,000 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધી કાઢવામાં આવ્યા છે. તેમને ફરી શિક્ષણ સાથે જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શાળા છોડી ગયેલા બાળકોની ઓળખ કરીને તેમના પરિવારનો સંપર્ક કરી પુનઃશાળાપ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યના દરેક બાળકને શિક્ષણનો અધિકાર અને સમાન તક મળે તે સુનિશ્ચિત કરવાનો છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ‘સમરસ વિદ્યા સેતુ’ દ્વારા શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી શાળામાં લાવી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને ફરી શાળામાં લાવવાના આ અભિયાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે શિક્ષકો, શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને સમગ્ર વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી. મંત્રીએ સર્વસમાવેશી શિક્ષણના લક્ષ્યને સાકાર કરવા સૌના સહિયારા પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઝઘડિયાના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'હિમાલયન ઓડિસી' પુસ્તકનું 23 ઓગસ્ટે વિમોચન થશે:150થી વધુ યાત્રાઓ અને અનુભવોનું દસ્તાવેજીકરણ
    Next Article
    ભાવનગરમાં લઠ્ઠાકાંડ વચ્ચે મોરબી હાઈવે પર દેશી દારૂની રેલમછેલ:ધ ફર્ન હોટલ પાસે કાર પલટી મારી જતાં દેશી દારૂનો જથ્થો રસ્તા પર આવી ગયો, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment