Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં 40 નાયબ મામલતદારોની સામૂહિક બદલી:વહીવટી તંત્રને ગતિશીલ બનાવવા કલેક્ટરનો આદેશ

    10 hours ago

    પંચમહાલ જિલ્લા કલેક્ટરે વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને પારદર્શક બનાવવાના હેતુથી એક સાથે 40 નાયબ મામલતદારોની આંતરિક બદલીના આદેશ જારી કર્યા છે. આ બદલીઓ વહીવટી કાર્યદક્ષતા વધારવા, સરકારી કામગીરીમાં પારદર્શિતા લાવવા અને પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે કરવામાં આવી છે. આ આદેશથી જિલ્લાની મહેસૂલી આલમમાં ફેરફાર જોવા મળ્યો છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા 40 નાયબ મામલતદારોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. આ બદલીઓમાં કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓ, તાલુકાની પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીઓના નાયબ મામલતદારોનો સમાવેશ થાય છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય જનતાના કામો ઝડપથી થાય અને તંત્રમાં નવી ઉર્જાનો સંચાર થાય તેવો છે. નવા અધિકારીઓ હવે કાર્યભાર સંભાળશે. આગામી દિવસોમાં આ બદલીઓને પગલે વહીવટી કામગીરીમાં કેવા સુધારા જોવા મળે છે તેના પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    ખેલે સાણંદ સીઝન 3:તેલાવ, કોડલિયા અને ગોરાજની ટીમો 24 માર્ચે પ્રતિષ્ઠિત ખિતાબ માટે ટકરાશે
    Next Article
    ટાંગલિયા શાલના 57 કારીગરોને GI પ્રમાણપત્ર મળ્યા:સુરેન્દ્રનગરની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment