Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી સરકારી કર્મીનો આપઘાતનો પ્રયાસ:પ્રવીણ પરમારની ઉઘરાણી અને ધમકીથી કંટાળી ઝેરી દવા પીધી, 40 હજારના 75 હજાર ચૂકવ્યા છતા ઉઘરાણી

    3 days ago

    જુનાગઢ જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન બેફામ બની રહ્યો છે. અક્ષયગઢ રોડ પર રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાં નોકરી કરતા વૃદ્ધે વ્યાજખોરના અસહ્ય માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને ઝેરી દવા ગળી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને કેશોદની રઘુવંશી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. વ્યાજ સહિતની તમામ રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોર દ્વારા વધુ નાણાંની પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ અપાતી હોવાથી વૃદ્ધે એક નોટ લખીને આ પગલું ભર્યું હતું. આ ઘટના અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરતા કેશોદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉજ્જૈન જવા 40 હજાર રુપિયા વ્યાજે લીધા હતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં વૃદ્ધે જાન્યુઆરી 2026માં ઉજ્જૈન ફરવા જવા માટે પૈસાની જરૂર પડતા કેશોદમાં રહેતા પ્રવિણભાઈ પરમાર પાસેથી 20 ટકાના ઊંચા વ્યાજે કટકે-કટકે કુલ રૂપિયા 40,000 લીધા હતા. આરોપી પ્રવીણ પાસે નાણાં ધીરધારનું કોઈ કાયદેસરનું લાયસન્સ નથી. ફરિયાદીએ એક મહિનાનું વ્યાજ રૂ. 10,000/- સમયસર ચૂકવી દીધું હોવા છતાં, આરોપી પ્રવીણે મૂળ રકમ અને વધુ વ્યાજ વસૂલવા માટે ફોન પર ગાળો ભાંડી, ઘરે આવીને હાથ-પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ રોજ-રોજના ત્રાસથી કંટાળીને વૃદ્ધે 16 જૂન 2026ના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ નોકરીના સ્થળે સેલફોસની ઝેરી ટીકડીઓ ગળી લીધી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના PSI એમ.ડી. મકવાણાએ ફરિયાદ નોંધીને આગળની તપાસ PSI મલુબેન ડી. મકવાણાને સોંપી છે. 'પૈસા ચૂકવી દીધા છતા ધમકી આપી' આપઘાતનો પ્રયાસ કરતા પહેલાં ફરિયાદીએ પોતાના હાથે લખેલી નોટમાં વ્યાજખોરની પોલ ખોલી છે કે, આજ રોજ મારે આપઘાત કરવાનું કારણ એ છે કે મને ફોન ઉપર વારંવાર ધમકી આપતા હતા અને મારી પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા. મારી પાસે પૈસા માગતા નથી છતાં પણ રૂપિયા 50,000ની ઉઘરાણી ધાક-ધમકી આપીને કરતા હતા. મેં એમની પાસેથી જે પૈસા લીધેલા હતા તે મેં ચૂકવી દીધેલ છે અને ઓનલાઇન કરેલ છે. 'કેશોદ પોલીસ કંઈ કરી નહી લે, આ શબ્દો પ્રવિણ પરમારના' તારીખ 6 મે, 2026ના દિવસે મેં તેમના ખાતામાં કુલ રૂપિયા 75,000 આપેલા છે અને અમારી લેતી-દેતી પૂરી થઈ ગઈ છે. છતાં મારી પાસે થી તે લોકો બળજબરીથી ઉઘરાણી કરે છે કે તારે મને રૂપિયા 50,000 દેવાના છે. મેં તેમને કીધું કે ભાઈ મેં તમને રૂપિયા આપી દીધા છે, તો તેમનો જવાબ મને મળ્યો કે તારે મને 50,000 રૂપિયા આપવાના અને તારી પાસેથી બળજબરીથી લેવાના છે. નહીંતર તને મારી નાખીશ અને કેશોદ પોલીસ કંઈ કરી નહી લે, આવા શબ્દો પ્રવીણભાઈ પરમારના છે. 'બળજબરીથી રૂપિયા 50,000ની ઉઘરાણી કરે છે' ​ફરિયાદીએ નોટમાં વધુમાં લખ્યું છે કે, તેઓ કહે છે કે અમારું કોઈ કંઈ કરી નહીં લે, અમે ગુંડાઓ છીએ. પ્રવીણભાઈ પરમારના લીધે આપણે ભળ્યું છે, તે પછી તારીખ 20 મે, 2026થી તેઓ ફોન ઉપર ધમકી આપતા હતા અને આજ દિવસ સુધી મને મારી નાખવાનું કીધેલું છે. રાત્રે 10:30 વાગ્યે ફોન આવેલો કે મારી સામે આવી એટલે તને મારી નાખીશ. ત્યારબાદ તેમના પરિવારના બેનનો ફોન આવેલા કે તમારે પૈસા દેવાના કે નહીં? મેં પૂછ્યું કે બેન તમે કોણ બોલો છો, પણ તેમણે તેમનું નામ આપેલ નથી. મારી પાસે પૈસા માગતા નથી છતાં બળજબરીથી રૂપિયા 50,000ની ઉઘરાણી કરે છે અને મેં ના પાડતા મારી નાખવાની ધમકી આપે છે. આ ધમકી દેવાનું 26 મે, 2026થી ચાલુ છે અને મને મન ફાવે તેમ બોલે છે. તેમનો નંબર 70168 ----- છે અને નામ પ્રવીણ પરમાર છે. 'પ્રવીણ પરમારના લીધે પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો' ​આ સમગ્ર મામલે ફરિયાદીના પુત્રએ વ્યાજખોર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારા પિતાજીએ જે આપઘાતનો પ્રયાસ કર્યો છે એ પ્રવીણ પરમારના ત્રાસના લીધે જ કર્યો છે. એણે મારા પિતાને ધાક-ધમકી આપી હતી. પૈસા અમે પરત કરી દીધા છે અને કુલ રૂપિયા 75,000 (પંચોતેર હજાર રૂપિયા) ચૂકવી દીધા છે. છતાં પણ તે હજી રૂપિયા 50,000 (પચાસ હજાર) ની ખંડણી માંગે છે. 'આપઘાતના પ્રયાસના આગલા દિવસે ફોન કરી ધમકી આપી હતી' આપઘાતના પ્રયાસના આગલા દિવસે સાંજના સમયે એના ફોન આવ્યા હતા અને ફોન કરીને ધાક-ધમકી આપી હતી કે તારા ટાંટિયા ભાંગી નાખીશ, તને મારી નાખશું અને તે ઘરે આવવાની ધમકી આપે છે. એ વ્યાજખોર મેઘના વિસ્તારમાં રહે છે. મારા પિતાજીને ઝેરી દવા પીધા પછી દવાખાને લાવ્યા, તોય છતાં વ્યાજખોરનો ફોન આવ્યો હતો અને ફોન પર એવું નફ્ફટાઈથી બોલ્યો કે, એ મરી જાય તો મારે શું? મારે તો મારા પૈસા જોશે. ​પુત્રએ પિતાની નોકરી અને પોતાની માંગણી અંગે વધુમાં જણાવ્યું છે કે, મારા પિતાજી ગવર્મેન્ટ જોબ કરે છે. નોકરી ઉપર હતા ત્યાં જ તેમણે આ ઝેરી ટીકડા પીધા છે. જ્યારે સામેથી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ પરમાર શું કામધંધો કરે છે, ત્યારે મેં જણાવ્યું કે એ વ્યાજ વટાવનો ધંધો કરે છે અને મેઘના વિસ્તારમાં રહે છે. ગઈકાલ સવારે 10:30 વાગ્યે પણ એનો ફોન આવ્યો હતો અને એણે કીધું હતું કે પૈસા દઈ જા નકર ઘરે આવીને તનેય ટાંટિયા ભાંગી નાખશું ને તારા પપ્પાના ટાંટિયા ભાંગી નાખશું. જ્યારે અમને પૂછવામાં આવ્યું કે તમે પોલીસ અને તંત્ર પાસે શું માંગો છો, ત્યારે અમારી પરિવારની એક જ માંગ છે કે આવા લુખ્ખા અને વ્યાજખોર તત્વો સામે કડકમાં કડક સજા થાય જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પરિવાર બરબાદ ન થાય.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સુરત મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ગરીબોના વોટ માન્ય તો તેનું ઝૂંપડું અમાન્ય કેમ?
    Next Article
    અમદાવાદ મેડિસિટીમાં 295 કરોડનું સ્પાઇન અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર બનશે:રિહેબિલિટેશન સહિતની તમામ સુવિધાઓ એક જ કેમ્પસમાં મળશે, ઓલિમ્પિક ગેમ્સના વિઝન સાથે ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment