Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં ગુજરાતના રત્નો ઝળહળ્યા:દિવ્ય ભાસ્કર 'રત્ન એવોર્ડ્સ'માં 40થી વધુ ઉદ્યોગપતિઓ સન્માનિત; સી.આર.પાટીલના હસ્તે સન્માન અપાયું

    12 hours ago

    આપણા રાજ્યના ઉદ્યોગપતિઓએ માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર દેશની ઇકોનોમિક પ્રોગ્રેસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ જ કોન્ટ્રીબ્યુશનને નવાજવા અને સમાજમાં ઇન્સપાયરીંગ વ્યક્તિત્વને જાહેર કરવા માટે દિવ્ય ભાસ્કર દર વર્ષે રત્ન એવોર્ડ્સનું આયોજન કરે છે. આ વર્ષે પણ દિવ્ય ભાસ્કરે દિલ્હી ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે ગુજરાતના રત્નો સમાન બિઝનેસ સહસિકોને સન્માનિત કર્યા હતા. દિલ્હીના ભવ્ય માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા 40થી વધુ ઉદ્યોગપતિઓ અને સમાજસેવી વ્યક્તિત્વોને રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. બિઝનેસ, ઉદ્યોગ, સેવા, નવીનતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી આ તમામ મહાનુભાવોને દિલ્હીમાં ભારત સરકારના સેન્ટ્રલ કેબિનેટ મિનિસ્ટર સી.આર.પાટીલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સી.આર. પાટીલે હાજર ઉદ્યોગપતિઓને સંબોધતા કહ્યું કે, “આજના સમયમાં ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ દેશની અર્થવ્યવસ્થાના મુખ્ય આધાર બની રહ્યા છે. ગુજરાતના ઉદ્યોગપતિઓએ હંમેશા નવી ટેક્નોલોજી અપનાવીને વિકાસના નવા માપદંડ સ્થાપિત કર્યા છે.' ગુજરાતના આ રત્નો જેની ઉદ્યોગ સાહસિકતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ આ સન્માન આપાવ્યું. સુધીર નાણાવટી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કાયદાકીય અને શિક્ષણ ક્ષેત્રે આદર્શ નેતૃત્વ કરનાર સુધીર નાણાવટી GI 5 યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. આજે બહુમૂલ્ય 15000+ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી GIS યુનિવર્સિટીને 3.44 (પ્રથમ સાઇકલ)ના CGPA સાથે NAAC A+ ગ્રેડ એનાયત થયો છે, જે તેને સૌથી વધુધોઈન્ટ પ્રાપ્ત કરનારી ગુજરાતની એકમાત્ર પ્રાઈવેટ યુનિવર્સિટી (જનરલ કેટેગરીમાં) બનાવે છે. તેમની સેવાને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે અને તેમણે યુવા પેઢીને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું છે. યુનિવર્સિટી તરફથી ‘લિફ’ નામનું ઈન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જે ઇમ્પ્લોયમેંટ અને સ્ટાર્ટઅપ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમણે યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીયકરણ તરફ દોરી જતા સંકલનાત્મક સહયોગો જેવા કે યુ.કે., ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને દુબઈની યુનિવર્સિટીઓ સાથે મજબૂત ભાગીદારી દ્વારા વૈશ્વિક ઊંચાઈ અપાવી છે. ડૉ.અપૂર્વ વ્યાસના 30 વર્ષના અનુભવમાં 18000થી વધારે લેપ્રોસ્કોપીક સર્જરી વૈશ્વિકસ્તરે સતત બદલાતી જતી લાઇફસ્ટાઈલના કારવી નવા-નવા રોગનું થઈ છે. રોગનું મૂળ વધતું વજન છે તેમ કહેવું ખોટું નથી. ઓબેસીટિના કારણે અનેક રોગો થઈ રહ્યાં છે. મેદસ્વીતા મોટી ઉમરના લોકોમાં જ જોવા મળે છે એવું નથી હવે ટીનએજ 13-17 વર્ષના બાળકોમાં સૌથી વધુ સમસ્યા જોવા મળી રહી છે. પશ્ચિમ ભારતમાં સૌ પ્રથમ રોબોટીક બેરિયાટ્રિક સર્જરી રેડિયન્સ હોસ્પિટલમાં કરવામાં આવી છે. . ડૉ.અપૂર્વ વ્યાસના 30 વર્ષના અનુભવ અને કુલ 18000થી વધારે લેપ્રોસ્કોપીક સર્જરી કરી છે. 13 વર્ષમાં 90 કિલોથી 300 કિલો વજનવાળા દર્દીઓ પર 7000થી વધુ સ્થૂળતા સર્જરી કરી છે. તેમણે મેદસ્વિતાની સારવાર માટે રેડિયન્સ હોસ્પિટલનું ગુજરાતનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનાવ્યું છે. ધીરેન્દ્ર સોમકુંવર 16 વર્ષથી ઈન્ડક્શન ટેક્નોલોજીને વધારવાના કાર્ય સાથે સંકળાયેલા એનર્જીમાં ફેરવવાનું વિઝન ધરાવતી ગુજરાતની એકમાત્ર કંપની છે પંક્તિ ઇન્ડસ્ટ્રીઝ પ્ર લિ. જેઓ છેલ્લા 16 વર્ષથી ઈન્ડક્શન ટેક્નોલોજીના ઉપયોગને વધારવાનું કાર્ય કરતા આવ્યા છે. પ્રોડક્ટ બનાવીને વેંચવાની નહિં.પણ તેનાથી પર્યાવરણ અને ઇલેક્ટ્રિસિટી કેવી રીતે બયાવી શકાય તેવા ધ્યેય સાથે પંક્તિ ઈન્ડસ્ટ્રી પ્રા.લિ. સાથે પીરેન્દ્ર સોમકુંવર કાર્યરત છે. ધીરેન્દ્રભાઇએ જ્યારે આ ટેક્નોલોજી જોઇ ત્યારે કોમર્શિયલ માર્કેટમાં જો આ ટેક્નોલોજી આવે તો ગેસ અને લાકડાનો ઘણો ખરો વપરાશ ઓછો થશે એવા એક વિઝન સાથે ગુજરાતમાં ઇન્ડક્શન ટેક્નોલોજીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં લોકોને અવેરનેસ ન હોવાને કારણે ઘણો સંઘર્ષ રહ્યો પણ આજે તેઓ સમગ્ર ગુજરાત અને 8 દેશોમાં આ ટેક્નોલોજી સપ્લાય કરે છે. પંક્તિ ઇન્ડસ્ટ્રી પ્રા.લિ. આજે 100 કિલોવોલ્ટની કેપેસિટીવાળું એક ઇક્વિપમેન્ટ બનવવામાં સફળ રહ્યાં છે. ઓટોમેશન કરનાર આગવી IT કંપનીઓમાં સાયપ્રય ગ્રુપ'નું નામ શ્રેષ્ઠ અમેરિકમાં રિટેલ સેક્ટરનું ઓટોમેશન કરનાર આગવી IT કંપનીઓમાં સાયપ્રય ગ્રુપ'નું નામ શ્રેષ્ઠ ગણાય છે. કંપનીના સ્થાપક ઘનશ્યામ નાયક આજે વૈશ્વિક સ્તરે જાણીતા ટેક વિઝનરી લીડર છે. અમેરિકામાં રહેતા હોવા છતાં તેમણે ભારતમાં ગુજરાતને પોતાનું કર્મનું કેન્દ્ર બનાવ્યું છે. માત્ર IT સેવા પૂરતું સીમિત ન રહીને રિટલ ઈન્ડસ્ટ્રીમાં આર્ટિફશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે માટેના રિસર્ચમાં તેમનું સૌથી મોટું યોગદાન આ ક્ષેત્રમાં સર્વોચ્ચ રહેશે. સાયપ્રમ ગ્રુપે રિટેલ ઇન્ડસ્ટ્રીમાં AIનો ઉપયોગ કેવી રીતે વધુ અસરકારક બની શકે તે માટે વિશિષ્ટ સંશોધન શરૂ કર્યું છે. ગાંધીનગરમાં સ્થાપિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ આધુનિક ટેક્નોલોજીમાં તાલીમ માટે યુવાનો માટે આશીર્વાદરૂપ બની છે. AI પર આધારિત રિસર્ચ લેબની શરૂઆત કરનારા પ્રથમ ભારતીયમાં તેમનું સ્થાન છે. 2020માં યુ. એસ. બેંક તરફથી ‘બેસ્ટ અચીવર એવૉર્ડ’ તેમણે મેળવેલો છે. ‘અમારું વિઝન સપ્લાય ચેઇનમાં ઇન્ડિયાને ગ્લોબલ લીડર બનાવવાનું’ સખત મહેનત એ એકમાત્ર સિદ્ધાંત છે જે આપણને ક્યારેય નિષ્ફળ બનાવતો નથી. આપણે ભાગ્યશાળી છીએ કે આપણી આગામી પેઢી ફક્ત વારસો નથી જાળવતી, તેને વધુ આગળ વધારવા ઉત્સાહી છે. અમારું વિઝન સપ્લાય ચેઇનમાં ઇન્ડિયાને ગ્લોબલ લીડર બનાવવાનું છે. આજે ભારતભરના 5 રાજ્યોમાં 9 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, જેમાં 4 હજારથી વધારે લોકોને રોજગારી મળે છે તેમજ 120થી વધુ દેશોમાં એક્સપોર્ટ સાથે ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ એ એગ્રી-પ્રોસેસિંગમાં ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓ તરીકે ઉભરી આવી છે. કંપનીમાં આગામી પેઢીના નેતૃત્વના પ્રતિનિધિ શ્રેયાન ગુપ્તા પોતાના પિતાની સાથે કંપનીમાં જોડાયા છે અને તેઓએ યુનાઈટેડ કિંગડમની વોરવિક યુનિવર્સિટીમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેમણે હવે કંપનીના ફર્મેન્ટેશન ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ સંભાળ્યું છે, જે આ ઉચ્ચ-વૃદ્ધિવાળા સેગમેન્ટમાં નવો અભિગમ અને સ્ટ્રેટજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 6 પેટન્ટ નામ પર કરી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી માનવ જીવનમાં જેટલું હદયનું મહત્વ છે તેનાથી પણ વિશેષ મહત્વ આંબને આપવું જરૂરી બન્યું છે. આંખની દ્રષ્ટિ અઘતન ટેક્નોલોજી દ્વારા લાંબા સમય માટે ટકાવી રાખવા નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલના વિટ્રીઓ રેટીના સર્જન ડોક્ટર પાર્થ રાણાએ દેશભરમાં નામના મેળવી છે. 6 પેટન્ટ તેમના નામ પર કરી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આંખની એન્જીઓગ્રાફી કરવામાં આવે છે જે માટેનું વૈશ્વિક સ્તરે સૌથી અદ્યતન સાધન ઓપ્ટોસ કેલિફોર્નિયા RGB ભારતમાં સૌ પ્રથમ નેત્રાલયમાં લાવવામાં આવેલ છે. ગુજરાતની સૌ પ્રથમ નેત્રાલય હોસ્પિટલમાં અલ્ટ્રા વાઇડ ફિલ્ડ રેટીનલ ઇમેજીંગ સીસ્ટમ દ્વારા દર્દીની કીકી પહોળી કર્યા વગર પડદાની તપાસ કરવામાં આવે છે, જેનાથી દર્દીઓને સરળતાથી આંખના પડદાની તપાસ થાય છે અને સાથે કોઇ માણસ લઇને આવવાની જરૂર રહેતી નથી. ભારતમાં 70થી વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ પૂર્ણ કર્યા રાજેશ બ્રહ્મભટ્ટની લીડરશિપ હેઠળ કંપનીએ ભારતમાં 70થી વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ પૂર્ણ કર્યા છે અને 46 મિલિયન ચોરસ ફૂટથી વધુ વિસ્તાર વિકસાવ્યો છે. કંપનીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી રાષ્ટ્રીય સ્તરે નામના મંગવી છે. આ ઉપરાંત, સામાજિક કાર્યોમાં CEPT યુનિવર્સિટીને લેક્ચર નોલ 7,86,000 સર્વે. ફિમાં 1600 જેટલા પરિવારો માટે રિહેબિલિટેશન હાઉસિંગ અને ઉભરતા કલાકારોને વધુ પ્રોત્સાહન મળે એ માટે Abir ગ્રૂપના માધ્યમથી આર્ટક્ષેત્રે યોગદાન આપીને એક ઉત્તમ સમાજસેવી કંપનીમાં પરિવર્તિત કરી છે. ગુજરાત સ્ટેટ એવોર્ડ દ્વારા ‘બેસ્ટ એમ્પ્લોયર ઓફ ડિસએબલ્ડ પીપલ(2009)’, સહિત અઢળક નામાંકિત એવોર્ડસ એનાયત થયેલ છે. કંપની એમડી રૂપેશભાઈના પ્રયત્નો થકી BSAFAL એ સસ્ટેઈનેબલ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરીને રિન્યુએબલ એનર્જી ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે. 2032 સુધીમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં 10 લાખ વૃક્ષારોપણનું લક્ષ્ય ગ્રીન ઇકોનોમી, સામાજીક જવાબદારી નિભાવવામાં સતત અગ્રેસર એવા ચિરીપાલ ગ્રુપમાં સેકન્ડ જનરેશન ઝડપી વિઝન સાથે આગળ વધી રહી છે. યંગ જનરેશન ગ્રીન ઈકોનોમીને વેગ આપવા માટે સોલાર-રિન્યુએબલ એનર્જી પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ ઉપરાંત હવે ઈથનોલ સેગમેન્ટમાં પણ પ્રવેશ્યું છે. કંપનીનું નવું ફોક્સ ઈથેનોલ સેગમેન્ટ જેમાં ટ્રુ બાયોગ્રીન ફ્યુઅલની શરૂઆત આ વર્ષમાં થશે. જેની ઉત્પાદન ક્ષમતા 300 કિલો લિટર પ્રતિ દિવસની રહેશે. હેલ્થ, એજ્યુકેશન ઉપરાંત પર્યાવરણ મુદ્દે ચિરીપાલ ગ્રુપ દ્વારા સૌથી વધુ સીએસઆર એક્ટિવિટી કરવામાં આવી રહી છે. પર્યાવરણને બચાવવા માટે ગ્રુપે વર્ષ 2032 સુધીમાં અમદાવાદ અને આસપાસના ગામોમાં મળીને કુલ 10 લાખનું વૃક્ષારોપણનો અને ઉછેર કરવાનો છે. આ વર્ષે ગ્રીન યોદ્ધા થીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. બારેજા આસપાસના 90 ગામોના યુવાઓ માટે શાંતિ પોલિટેક્નિક સ્કૂલ શરૂ કરી છે. ભારતભરમાં રિન્યુએબલ એનર્જીના MEGA પ્રોજેક્ટ સફળ બનાવ્યા વર્ષ 2017માં ગ્રીનપીલ કંપનીની શરૂઆત અને 10 વર્ષથી પણ ઓછા સમયમાં ગુજરાત અને ભારતભરમાં રિન્યુએબલ એનર્જીના MEGA પ્રોજેક્ટ સફળ બનાવી રહ્યાં છે. 15 વર્ષથી વધારેનો ટેક્નિકલ અનુભવ ધરાવતા બે ફાઉન્ડર્સ દ્વારા શરૂ થયેલી ગ્રીનપીલ આજે 90થી વધારે લોકોને પ્રત્યક્ષ રીતે અને 250થી વધારે લોકોને પરોક્ષ રીતે રોજગારી આપી રહી છે. ગુજરાતમાં ગ્રીન એનર્જીનો IPO લઈને આવનારી કંપની ગ્રીનપીલ રિન્યુએબલ એનર્જી પ્રા.લિ. ફર્સ્ટ જનરેશન આંત્રપ્રિન્યોર મહેશ્વરી બ્રધર્સ એ માત્ર 10 વર્ષમાં ગ્રીનપીલને સોલાર એનર્જી (EPC IPP) બેટરી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારતમાં અગ્રેસર બનાવી છે. કંપની પાસે 1000 એકર્સથી પણ વધારે લેન્ડ બેંક ગુજરાતમાં છે અને તેના પર 66 KVના સોલાર પાર્ક ડેવલપ કરી થર્ડ પાર્ટી - ગ્રુપ કેપટિવ મોડેલ દ્વારા MNC, કોર્પોરેટ્સ, ઈન્ડસ્ટ્રીને ગ્રીન પાવર સપ્લાય કરે છે. જીજ્ઞેશ પટેલેની કંપની અતૂટ વિશ્વાસના જોરે ગુજરાતનું ‘પાવર પરફેક્શન’ વડોદરા સ્થિત પાર્થ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ એન્જિનિયરિંગ પ્રા. લિ. આજે ટેકનોલોજી અને અતૂટ વિશ્વાસના જોરે ગુજરાતનું 'પાવર પરફેક્શન' બન્યું છે. કંપનીના એમ.ડી. જીજ્ઞેશ પટેલે નોકરીના અનુભવ બાદ 200૫માં માત્ર ૫ વ્યક્તિઓ સાથે સર્વિસ પ્રોવાઈડર તરીકે સાહસ શરૂ કર્યું હતું, જે આજે 200થી વધુ લોકોને રોજગારી આપતી અગ્રણી કંપની બની છે. જીજ્ઞેશભાઈના કુશળ મેનેજમેન્ટ હેઠળ કંપનીએ 2009માં આધુનિક જાપાનીઝ મશીનરી સાથે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું અને ગુજરાતનું પ્રથમ 220 KV GIS સબસ્ટેશન સ્થાપવાનું ગૌરવ હાંસલ કર્યું. માત્ર ઉપકરણો જ નહીં પણ દરેક પ્રોજેક્ટનું સચોટ સોલ્યુશન આપતી આ કંપની પાસે 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી મજબૂત ટીમ છે. આગામી સમયમાં ઓડિશા અને બરોડામાં નવા યુનિટ્સ સ્થાપવાના વિઝન સાથે જીજ્ઞેશ પટેલ 'મેક ઇન ઇન્ડિયા'ના સંકલ્પને સાકાર કરી રહ્યા છે. નવોદિત ઉદ્યોગસાહસિકોને તેઓ સંદેશ આપે છે કે, પોતાના આત્મવિશ્વાસ અને ઉર્જાને ઓળખીને મક્કમતાથી કામ શરૂ કરવાથી જ સફળ બિઝનેસ સ્થાપી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    દરિયાનું પાણી પી શકાશે, લક્ષદ્વીપમાં બની રહ્યો છે પ્લાન્ટ:આ 1000 મીટર ઊંડાઈથી પાણી લાવીને પીવાલાયક બનાવશે; 24 કલાક વીજળી પણ મળશે
    Next Article
    દરેડ અને સચાણામાં SOGનો દરોડો: બે બોગસ ડોક્ટર ઝડપાયા:ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment