Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ખોડલધામ મંદિર, શૈક્ષણિક-આરોગ્ય સંકુલનું નિર્માણ થશે:અંત્રોલીમાં 40 વીઘા જમીન સંપાદિત, આસો નવરાત્રિએ ભૂમિપૂજનની ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની જાહેરાત

    11 hours ago

    સુરત અને દક્ષિણ ગુજરાતમાં વસતા લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ આનંદ અને ગૌરવના સમાચાર સામે આવ્યા છે. કાગવડ બાદ હવે ડાયમંડ સિટી સુરતમાં પણ ભવ્ય ખોડલધામ મંદિર અને સેવા સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સુરત ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. સુરતમાં વસતા લાખો લેઉવા પાટીદારોની વર્ષો જૂની લાગણી અને માંગણી હતી કે અહીં પણ એક ખોડલધામ સંકુલ હોવું જોઈએ, જેને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અંત્રોલીમાં 40 વીઘાથી વધુ જમીન ફાઈનલ, નવરાત્રિમાં ભૂમિપૂજન ખોડલધામના આ ભગીરથ કાર્ય માટે અંત્રોલી વિસ્તારમાં જગ્યા પસંદ કરી લેવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા અહીં 40 વીઘા કરતાં પણ વધારે જમીનનું અધિગ્રહણ (સંપાદન) કરી લેવામાં આવ્યું છે. આ સંકુલના નિર્માણ કાર્ય અંગેની ટાઈમલાઈન આપતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી આસો નવરાત્રિની આસપાસ આ પવિત્ર ભૂમિ પર વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવશે અને નવરાત્રિ પૂર્ણ થયા બાદ સંકુલના નિર્માણનું કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવાશે. મંદિર સાથે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચની સુવિધાઓ મળશે આ સંકુલ માત્ર ધાર્મિક કેન્દ્ર નહીં, પરંતુ સામાજિક ચેતનાનું મોટું કેન્દ્ર બનશે. કાગવડ ખોડલધામ દ્વારા જે સામાજિક અને લોકસેવાના સંકલ્પો ચાલી રહ્યા છે, તે તમામ પ્રવૃત્તિઓ આ સંકુલમાં પણ શરૂ કરવામાં આવશે. આ 40 વીઘાના વિશાળ કેમ્પસમાં મા ખોડલના ભવ્ય મંદિર સાથે ઉચ્ચ શિક્ષણ માટેની શૈક્ષણિક સંસ્થાઓ, આધુનિક આરોગ્ય સુવિધાઓ તેમજ સમાજના આંતરિક પ્રશ્નોના સુખદ ઉકેલ માટે 'સમાધાન પંચ' જેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 17 વર્ષીય સગીરનો અગમ્ય કારણોસર આપઘાત:ઘરમાં ભત્રીજાને લટકતો જોઈ કાકાના પગ તળેથી જમીન સરકી ગઈ, દીકરાના મોતથી પરિવાર શોકમાં ઘરકાવ
    Next Article
    વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે:11 KV ગોકુલનગર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment