Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં 40 કરોડના તોડ માટે અમદાવાદના બે ભૂમાફિયાનું કારસ્તાન:નકલી દસ્તાવેજો બનાવીને જમીન વેચી મારી, એક આરોપી તો જૂના પહાડિયા ગામ વેચનારો હોવાનો ઘટસ્ફોટ!

    एक दिन पहले

    ગાંધીનગરના અમીયાપુર ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીનને પચાવી પાડવા અથવા તો મોટો આર્થિક તોડ કરવાના ઇરાદે નકલી દસ્તાવેજો અને ખોટી પાવર ઓફ એટર્ની બનાવવાનું એક સનસનાટીભર્યું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અમીયાપુર ગામની અંદાજે 11.79થી વધુ હેક્ટરની વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની જમીન પૈકી 5.89 હેક્ટર જમીન પર કબ્જો જમાવવા માલિકો પાસેથી રૂ.40 કરોડ વસૂલવા માટે અમદાવાદના બે શખ્સોએ ગુનાહિત કાવતરૂં રચ્યું હોવાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વકીલે જમીનમાં ખોટા વાંધા ઊભા કરવાની અને જમીનને તકરારી બનાવી દેવાની ધમકી આપી હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામને ગ્રામજનોની જાણ બહાર બારોબાર વેચી મારવામાં આવ્યું હોવાની ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો. જેમાં પણ આરોપી મયુર હિરાપરા સામેલ હતો અને તેની પોલીસે ધરપકડ પણ કરી હતી.મયુર આ કેસમાં પણ આરોપી છે. 'જમીનનો પાવર ઓફ એટર્નીના આધારે વેચાણ દસ્તાવેજ થઈ ગયો' પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાંધીનગર તાલુકાના અમીયાપુર ગામે લીંબચ ફાર્મ બંગ્લા નંબર 4માં રહેતા અને ખેતીકામ કરતા 63 વર્ષીય મહેશભાઇ કેશવલાલ છનાલાલ વાળંદ (પારેખ) એ અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આજથી આશરે બે મહિના પહેલાં મહેશભાઇના નાના ભાઈ સુરેશભાઇના વેવાઈ મહેંદ્રભાઇ રામભાઇ પારેખ (રહે. ચાંદખેડા) તેમના ઘરે આવ્યા હતા. એ વખતે મહેંદ્રભાઇએ જણાવ્યું કે, ચાંદખેડામાં ન્યુ સી.જી. રોડ પર મલબેરી હેબીટેટમાં ઓફિસ ધરાવતા વકીલ વિજેંદ્રસિંહ વાઘેલાએ તેમને માહિતી આપી છે કે, અમીયાપુરવાળી જમીનનો પાવર ઓફ એટર્નીના આધારે વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે. જો આ બાબતે સેટલમેન્ટ નહિ કરો તો જમીનના 7-12ના રેકર્ડમાં આરોપીઓના નામ ચઢી જશે અને મોટો તોડ થશે. ચારેયની ખોટી સહીઓ, ખોટા ફોટા અને નકલી આધારકાર્ડનો ઉપયોગ આ બાબતની વધુ વિગત મેળવવા માટે ફરિયાદી મહેશભાઇ તેમના ભાઈ સુરેશભાઇ અને વેવાઈ મહેંદ્રભાઇ વકીલ વિજેંદ્રસિંહ વાઘેલાની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં વકીલે જમીનના ત્રણ વેચાણ દસ્તાવેજો બતાવ્યા હતા. આ દસ્તાવેજોમાં વેચાણ આપનાર તરીકે ફરિયાદીના કુલમુખત્યાર ગૌરાંગભાઇ ગીરીશભાઇ પટેલ (રહે. 72, કુલીન ટેનામેન્ટ, બેરેજ રોડ, વાસણા, અમદાવાદ) અને વેચાણ લેનાર તરીકે મયુર હસમુખભાઇ હિરપરા (રહે. 79, કર્ણાવતી બંગ્લોઝ, સ્વામીનારાયણ પાર્ક સામે, વસ્ત્રાલ, અમદાવાદ)નું નામ હતું. આ ત્રણેય દસ્તાવેજો રૂ. 100 ના સ્ટેમ્પ પેપર પર બનેલી સ્પેશીયલ પાવર ઓફ એટર્નીના આધારે કરાયા હતા. આ પાવરમાં ચારેય ભાઈઓની ખોટી સહીઓ, ખોટા ફોટા અને નકલી આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વકીલ એલ.બી. વરાડીયા સમક્ષ આ પાવર 19 જૂન 2019ના રોજ નોટરી રજીસ્ટર નં. 121/2019થી નોંધાયેલો દર્શાવાયો હતો. દસ્તાવેજોમાં દર્શાવ્યા મુજબ, પ્રથમ દસ્તાવેજમાં એક્સિસ બેંકના વિવિધ ચેકો તથા રોકડા મળી કુલ રૂ. 11,57,00,000, બીજા દસ્તાવેજમાં રૂ. 1,25,00,000અને ત્રીજા દસ્તાવેજમાં રૂ. 3,00,00,000 ચૂકવ્યા હોવાનો ઉલ્લેખ હતો. સબ-રજીસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતાં ભૂમાફિયાઓનો ભાંડો ફૂટ્યો જોકે ફરિયાદી કે તેમના ભાઈઓના ખાતામાં આવી કોઈ રકમ જમા થઈ નહોતી. વકીલ વિજેંદ્રસિંહે મોકલેલી સબ-રેજીસ્ટ્રાર કચેરીની બે પહોંચ (નંબર 12988 અને 12540 અંગે જ્યારે સબ-રજીસ્ટ્રાર કચેરીમાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આવી કોઈ જમીનનો દસ્તાવેજ ત્યાં નોંધાયો જ નથી. એટલું જ નહીં દસ્તાવેજ પર કરાયેલા ફ્રેન્કિંગ અંગે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ- 1 (વસ્ત્રાપુર) અને નૂતન નાગરીક સહકારી બેંક (નારાયણનગર, અમદાવાદ)માં તપાસ કરતા આ ફ્રેન્કિંગ પણ તદ્દન બોગસ હોવાનું સાબિત થયું હતું. જમીનમાં ખોટા વાંધા ઊભા કરવાની વકીલે ધમકી આપ્યાનો આક્ષેપ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ નકલી હોવાનું સામે આવ્યા બાદ વકીલ વિજેંદ્રસિંહ વાઘેલાએ ચાંદખેડાની ઓફિસ પર બીજી મુલાકાત દરમિયાન ફરિયાદીને સ્પષ્ટ ધમકી આપી હતી કે, મયુર હિરપરા અને ગૌરાંગ પટેલ મારા અસીલ છે. જો તમારે આ વેચાણ દસ્તાવેજ રદ્દ કરાવવો હોય તો રૂ. 40 કરોડ આપવા પડશે. જો તમે પૈસા નહીં આપો તો અમે આ જમીનનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવીને જમીનમાં ખોટા વાંધા ઊભા કરીશું અને જમીનને તકરારી બનાવી દઈશું. આખરે કિંમતી જમીન બચાવવા અને આર્થિક તોડ કરવાના આ મસમોટા ગુનાહિત કાવતરા સામે મહેશભાઇએ ગૌરાંગ ગીરીશભાઇ પટેલ અને મયુર હસમુખભાઇ હિરપરા વિરુધ નામજોગ અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ પણ વાંચો ગાંધીનગરનું આખું ગામ બારોબાર વેચાઈ ગયું! ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામ જમીનને લઈને વિવાદમાં આવ્યું છે. ગામને ગ્રામજનોની જાણ બહાર બારોબાર વેચી મારવામાં આવ્યું હોવાની ગ્રામજનોએ ગંભીર આક્ષેપ સાથે રજૂઆત કરતાં તંત્રમાં ભારે દોડધામ મચી છે. આ મામલે દહેગામ ધારાસભ્યએ પણ કલેકટરને પત્ર લખીને તપાસ કરીને કસૂરવારો સામે પગલાં ભરવાની માગ કરાઈ છે. બીજી તરફ, સબ રજિસ્ટ્રારનું કહેવું છે કે સાતબારમાં જે ખેડૂતોનાં નામ ચાલે છે તેમણે જ વેચાણ દસ્તાવેજ કર્યો છે. હવે ગ્રામજનો પોતાના હક માટે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે સ્ટેમ્પ ડ્યૂટી કલેક્ટર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ સન્માન, સંસદને સંબોધિત કરી:કહ્યું- સેશેલ્સ સાથે અમારો 256 વર્ષ જૂનો સંબંધ, 5 ભારતીયોથી તેની શરૂઆત થઈ
    Next Article
    લાલપુરમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિ ઉજવાઈ:શિવાજી નગરના બુથ 83 ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment