Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન:ઝાલાવાડમાં માર્ચની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ, બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ

    12 hours ago

    રાજ્યમાં ઉનાળાની શરૂઆત માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમી સાથે થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બપોર બાદ શહેરના રસ્તાઓ અને બજારો સુમસામ જોવા મળી રહ્યા છે. સવારના અગિયાર વાગ્યાથી જ રોડ પર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ સર્જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં તાપમાન 45 ડિગ્રીથી પણ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ અને ઠંડા પીણાંનો આશ્રય લઈ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. હિટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને, તંત્રએ લોકોને વધુ પાણી પીવા, સુતરાઉ અને શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળવા જણાવ્યું છે. સામાન્ય હિટવેવની અસર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    "નામ નરેન્દ્ર-કામ સરેન્ડર, મોદી જી શરમ કરો!"ના નારા લાગ્યા:સંસદમાં LPG મુદ્દે વિપક્ષનું વિરોધ પ્રદર્શન, TMC મુખ્ય ચૂંટણી કમિશનર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે
    Next Article
    Ahmedabad News | ગેસ સિલિન્ડરની અછત સર્જાતા નાના વેપારીઓ અને ફાસ્ટફૂડ વિક્રેતાઓ મુશ્કેલીમાં |News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment