Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાતર વિતરણ માટે શરૂ કરાયેલી એપ્લિકેશનથી ખેડૂતો પરેશાન:ટેકનિકલ ખામીઓ અને સર્વર ડાઉનની સમસ્યા; 40 થી વધુ મંડળીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી જૂની પદ્ધતિની માંગ કરી

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખાતર વિતરણ માટે શરૂ કરાયેલી FSAS એપ્લિકેશનને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એપ્લિકેશનમાં ટેકનિકલ ખામીઓ અને સર્વર ડાઉનની સમસ્યાથી પરેશાન ખેડૂતો અને સેવા સહકારી મંડળીઓના આગેવાનોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમણે જૂની પી.ઓ.એસ. પદ્ધતિ ફરી શરૂ કરવાની માંગ કરી છે. કેન્દ્ર સરકારે દેશના છ જિલ્લાઓમાં ખાતર વિતરણ માટે એપ્લિકેશન આધારિત પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગુજરાતમાં નવસારી અને સાબરકાંઠા જિલ્લાનો તેમાં સમાવેશ થાય છે. હિંમતનગર તાલુકા સંયુક્ત સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી અને કમિટીના સભ્યો સહિત ખેડૂતોના પ્રતિનિધિઓ બહુમાળી ભવનના પ્રવેશદ્વારથી સૂત્રોચ્ચાર કરતા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. 40 થી વધુ મંડળીઓએ આ પાયલોટ પ્રોજેક્ટની એપ્લિકેશન બંધ કરીને જૂની વિતરણ પદ્ધતિ ફરી શરૂ કરવાની માંગ કરી હતી. ખેડૂતોને આ એપ્લિકેશન દ્વારા ખાતર મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી OTP ઝડપથી આવતો નથી, જેના કારણે બે-ત્રણ વખત પ્રયાસ કરવાથી એપ્લિકેશન 24 કલાક માટે બ્લોક થઈ જાય છે. આનાથી ખેડૂતોને એક દિવસ ખાતર મળતું નથી અને તેમનો સમય બગડે છે. એપ્લિકેશન દ્વારા પ્રક્રિયા પૂર્ણ થયા પછી QR કોડ જનરેટ થાય છે, પરંતુ ખાતર મળવામાં ત્રણ દિવસનો સમય લાગે છે. સંયુક્ત ખાતેદારો ધરાવતા ખેડૂતોને પણ સમસ્યાઓ થાય છે, કારણ કે એક ખેડૂતને ખાતર મળે તો બીજાને મળતું નથી. ખાતરનો નિર્ધારિત રેશિયો પણ ખેડૂતો માટે અન્યાયી હોવાનું જણાવાયું છે. અગાઉ POS મશીન દ્વારા ખાતર વિતરણ થતું હતું, જેમાં આધાર કાર્ડ દાખલ કર્યા પછી OTP અને ફિંગરપ્રિન્ટ દ્વારા તરત જ જોઈતું ખાતર મળી જતું હતું. નવી એપ્લિકેશનથી ખાતર તાત્કાલિક મળતું નથી અને જોઈતા પ્રમાણમાં પણ ઉપલબ્ધ થતું નથી. સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલા આ પાયલોટ પ્રોજેક્ટથી પરેશાન ખેડૂતોએ ચેતવણી આપી છે કે, જો જૂની પદ્ધતિથી ખાતર વિતરણ ફરી શરૂ કરવામાં નહીં આવે અને એપ્લિકેશન બંધ કરવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    પોક્સોના આરોપીના જામીન હાઇકોર્ટે નકાર્યા, કહ્યું-સગીરાની મરજી મહત્વ રાખતી નથી:વડોદરાના પરિણીત યુવકને સગીરા સાથે પ્રેમ સંબંધ, આરોપી બે બાળકોનો પિતા
    Next Article
    દાહોદમાં બાળમજૂરી નાબૂદી પર જાગૃતિ પરિસંવાદ યોજાયો:ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સંસ્થાઓએ બાળમજૂરી મુક્ત સમાજનો સંકલ્પ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment