Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:મીની વાવાઝોડાથી કેરીના પાકમાં 40 ટકા જેટલુ નુકશાન

    1 week ago

    ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ભાવનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં ગઈકાલે ગુરુવારે કમોસમી વરસાદ અને ભારે ઝંઝાવાતી પવન ફૂંકાયો હતો. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવનથી ખેતીવાડીમાં વ્યાપક નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં કેરી, કેળા અને ચીકુના પાકને ભારે નુકસાન થતા ખેડુતોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. ભાવનગર જિલ્લામાં ગઈકાલના કમોસમી વરસાદ સાથે ત્રાટકેલા મીની વાવાઝોડાથી કેરીના પાકમાં 40 ટકા જેટલું નુકશાન થયાનો અંદાજ આંકવામાં આવી રહયો છે. એકલા સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં 42 હજાર હેકટરથી વધારે ક્ષેત્રફળમાં આંબાનું વાવેતર થયેલું છે. ભાવનગર જિલ્લામાં તળાજા, મુહવા, પાલિતાણા, જેસર સહિતના તાલુકામાંથી કેરીના પાકનું મબલક ઉત્પાદન થયું હોય છે. જેમાં ખાસ કરીને તળાજા તાલુકાના સોસીયા પંથકની કેસર કેરીની વિદેશમાં પણ માંગ રહેતી હોય ત્યારે કેરીની સિઝન શરૂઆતમાં જ કમોસમી માવઠા અને વાવાઝોડાના મારથી ખેડૂતો પર વરસેલી કુદરતી આફતથી વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાંથી દર વર્ષે 4000 ટન કેરીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં કેરીના આંબાનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલું છે ત્યારે એકલા ભાવનગર જિલ્લામાંથી દર વર્ષે 4000 ટન (2 લાખ મણ) કેરીનું ઉત્પાદન થાય છે. જોકે ગઈકાલે ગુરુવારે કમોસમી વરસાદ સાથે ત્રાટકેલા મીની વાવાઝોડાથી કેરીના પાકમાં 40 ટકા જેટલું નુકશાન થતા ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો ઝુંટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાણી છે. - રામદેવસિંહ ગોહિલ, શ્રીરામ ફ્રૂટ કાું. કમિશન એજન્ટ કેરીના પાકનો ઈજારો આપવા પહેલા આફત વરસી ઉનાળો શરૂ થતા ખેડૂતો બાગાયતી પાક લેતા ખેડૂતો સારી આશા સાથે આગોતરી તૈયારીમાં જોડાયા હતા. જોકે કાલે કમોસમી વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાથી કેરીના પાકનો ઈજારો આપવા પહેલા આફત વરસી છે. મોટા પ્રમાણમાં કેરીનો પાક ખરી જતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની થવાની સાથે આર્થિક રીતે પણ મોટો ફટકો પડ્યો છે. જિલ્લામાં ડુંગળી સહિતના પાકોમાં નુકશાની બાદ ખેડૂતોને વધુ એક માર પડયો છે. - શક્તિસિંહ ગોહિલ, પૂર્વ સરપંચ જસપરા કમોસમી વરસાદ સાથે ત્રાટક્યુ વાવાઝોડું ભાલ પંથકના ગામોમાં પવન સાથે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ખેતરમાં ઘઉં, ચણા જીરુ તેમજ અન્ય ઉભેલા અને તૈયાર પાકો પવનના કારણે વેર વિખેર થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયુ છે. ભાવનગર તાલુકાના ભાલ વિસ્તારમાં રાજગઢ, મીઠાપર, વેળાવદર , કાના તળાવ, સનેસ સવાઇનગર, પાળીયાદ, દેવળીયા સહિત 15 થી 17 ગામોમાં ખેતીના ઉભા પાક વેરવિખેર થઈ ગયો છે. ખેડૂતો ઉપરાંત આ વિસ્તારના માલધારીઓએ માલઢોર માટે સંગ્રહ કરેલ શિયાળુ કડબનો લાખો મણનો જથ્થો પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માત:ભાવનગર જિલ્લામાં બે ગમખ્વાર અકસ્માતમાં ભિક્ષાવૃતિ કરતા વૃદ્ધા અને બાઈકચાલકનું મોત
    Next Article
    જિલ્લા તોલમાપ કચેરી દ્વારા કાર્યવાહી:જિલ્લામાં 458 વેપારીને ત્યાં ચેકિંગમુદ્રાંકન ફી પેટે 5.28 લાખની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment