Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘાયલ પક્ષીઓની સારવાર માટેની કરૂણાસભર પહેલ:ઉત્તરાયણમાં વન વિભાગનાં 40 પક્ષી બચાવ કેન્દ્રો કાર્યરત રખાશે

    3 days ago

    ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ અબોલ પક્ષીઓની સારવાર માટેની કરૂણાસભર પહેલ થકી સમગ્ર રાજ્યમાં 10થી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન-2026નો પ્રારંભ થઈ રહ્યો છે. વડોદરા વન વિભાગ જીવો, જીવવા દો અને જીવાડોના મંત્ર સાથે દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સંસ્થાઓના સહયોગથી 40થી વધુ કેમ્પ કમ કલેક્શન સેન્ટર ઊભા કરશે. ભૂંતડીઝાપા, પંડ્યા બ્રિજ પાસે વેટરનરી હોસ્પિટલ તેમજ સયાજીબાગ નર્સરી અને રેસ્ક્યુ સેન્ટરમાં વેટરનરી ડોક્ટરની ટીમ હાજર રહેશે. સયાજીબાગ નર્સરીમાં 3 ઓપરેશન થિયેટર હશે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે, કરૂણા અભિયાનમાં 500થી વધુ સ્વંયસેવકો જોડાશે. છેલ્લાં પાંચ વર્ષમાં 6 હજારથી વધુ ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યૂ કરૂણા અભિયાનમાં વડોદરા વન વિભાગે 5 વર્ષમાં 6407 ઘાયલ પક્ષીઓની સારવાર કરી છે. જેમાંથી 5806પક્ષીઓને જીવનદાન મળ્યું છે. પક્ષીઓમાં મોટા ભાગના કબૂતર છે. જ્યારે 5થી 10 ટકામાં શિડ્યુલ બર્ડ બાજ, સમડી, ફાલ્કન અને વોટર બોર્ડ્સનો સમાવેશ થાય છે. બેથી ત્રણ શકરોબાજ પણ સેન્ટરમાં આવ્યા. દુનિયાનું સૌથી ઝડપથી ઊડતું પક્ષી શકરોબાજ છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક જામ સર્જાયો:ટ્રાફિક પોલીસની રેલીમાં અકોટા બ્રિજ બંધ, જેતલપુર બ્રિજ ઉપર ટ્રાફિક જામ
    Next Article
    દારૂડિયા ઝડપાયા:સયાજીગંજની પી.એમ.રેજન્સી હોટલમાં દારૂની મહેફિલ માણતા 8 લોકો પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment