Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોગચાળાનો ભય:સુભાષનગરમાં 4 વર્ષથી ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

    10 hours ago

    પોરબંદરના સુભાષનગર બજારમાં સ્થાનિકો ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. સંતોષી માતાના મંદિર પાસે ગલીમાં ગંદા પાણી ફરી વળતા રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. પોરબંદરમાં સુભાષનગર વિસ્તારમાં સંતોષી માતાના મંદિર સામે શેરી આવેલ છે અને આ શેરીમાં ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યા છેલ્લા 4 વર્ષથી સતાવી રહી છે. ગટર છલકાઈ જતા ગંદા પાણી માર્ગ પર ફરી વળે છે. ગટરની સમસ્યા અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી હતી અને સફાઈ કર્મી આવીને સાફ કરી જાય છે પરંતુ ત્યારબાદ ફરી એજ સ્થિતિ જોવા મળે છે. સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, આ માસમાં અઠવાડિયામાં બે વખત ગટર છલકાઈ હતી. અહીં શેરીમાં બ્લોક ઉખડી ગયા છે અને ગટર છલકાવાથી કિચકાણ ફેલાઈ છે, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આગળથી ગટર જામ થાય છે અને પાણીનો નિકાસ અટકી જવાથી સમસ્યા સર્જાય છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ભૂગર્ભ ગટર બનાવવામાં યોગ્ય આયોજન ન થતા સહેલાઈથી ગંદા પાણીનો નિકાલ થતો ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મહાનગરપાલિકાના વિજેતાનું ફોટો સાથેનું લિસ્ટ:તમામ વોર્ડની તમામ સીટનું ચિત્ર સ્પષ્ટ, જુઓ કઈ સીટ પર કેટલા મતથી કોની થઈ જીત
    Next Article
    Stock Market Today: All You Need To Know Before Going Into Trade On April 28

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment