Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના ભેસ્તાનમાં રખડતા શ્વાનનો આતંક:ઘર નજીક રમતા 4 વર્ષના માસૂમ બાળક પર ગંભીર હુમલો; મોઢા પર શ્વાને એટલી હદે બચકાં ભર્યા કે ગાલનો ભાગ ફાટી ગયો

    11 hours ago

    સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના નિયંત્રણ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોવા છતાં, નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકો શ્વાનનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં ભેસ્તાન વિસ્તારના ગણેશનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઘર પાસે રમતા 4 વર્ષના બાળક પર શ્વાને જીવલેણ હુમલો કર્યો છે. મહામુસીબતે બાળકને શ્વાનથી છોડાવ્યો મળતી માહિતી મુજબ, ભેસ્તાન ગણેશનગરમાં રહેતા શ્રમિક પરિવારનો 4 વર્ષનો માસૂમ પુત્ર અંશ કુમાર ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકના ગાલના ભાગે જોરદાર બચકું ભરી લીધું હતું, જેના કારણે બાળક લોહીલુહાણ થઈ ગયું હતું. બાળકની ચીસાચીસ સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને શ્વાનથી છોડાવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 મારફતે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળકના મોઢા પર શ્વાને એટલી હદે બચકાં ભર્યા હતા કે ગાલનો ભાગ ફાટી ગયો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. બાળકના પિતા કમલ કુશવાહા અને માતા રેખા કુશવાહા આ ઘટનાથી ભારે આઘાતમાં છે. વિસ્તારમાં 10-12 શ્વાનોનો ભયંકર ત્રાસ બાળકની માતા રેખા બહેને જણાવ્યું કે, મારો દીકરો ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક શ્વાને તેને પકડી લીધો હતો. આ વિસ્તારમાં 10-12 શ્વાનોનો ભયંકર ત્રાસ છે. સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકા માત્ર રસીકરણ અને ખસીકરણના દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ જૈસે થી છે. મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના ત્રાસને ડામવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો હવે જનતા પૂછી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શામળાજી પાસે SMC ટીમે આરોપી પર ફાયરિંગ કર્યું:શામળાજી પાસે ગુજસીટોકના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસની કાર્યવાહી, હિંમતનગર સિવિલમાં ખસેડાયો
    Next Article
    વલસાડમાં કચરાના ટ્રેક્ટરે વાહનોને અડફેટે લીધા:પાલિકાએ અજાણ્યાને ટ્રેક્ટર આપતા MG રોડ પર અફરાતફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment