Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં જમીન પચાવવા ખેડૂતને ઝેર પીવડાવાયું:રિવોલ્વર બતાવી ધમકી અપાઈ; 4 આરોપીઓ સામે હત્યાના કાવતરાનો ગુનો દાખલ

    19 hours ago

    પાટણના માંડોત્રી ગામની સીમમાં જમીનનો કબજો ખાલી કરાવવા અંકિતકુમાર પટેલ નામના ખેડૂતને રિવોલ્વર બતાવી બળજબરીથી ઝેરી પ્રવાહી પીવડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. આ ચકચારી મામલે રણુંજ પોલીસે પૂર્વ આયોજિત કાવતરું રચનાર ચાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેતરમાં ઘૂસી છાતી પર રિવોલ્વર ભીડાવી ધમકી આપી બનાવની વિગત મુજબ, પાટણની પાર્થનગર સોસાયટીના રહીશ 40 વર્ષીય અંકિતકુમાર પટેલ 8 જુલાઈ, 2026ના રોજ પોતાના ખેતરે હાજર હતા. તે સમયે નાયતા ગામનો વિષ્ણુજી જોગાજી ઠાકોર અને એક અજાણ્યો શખ્સ ખેતરમાં ઘૂસી આવ્યા હતા. વિષ્ણુજીએ અંકિતકુમારની છાતી પર રિવોલ્વર મૂકી જમીન છોડી દેવાની ધમકી આપી ઝેરી દવા પીવડાવી દીધી હતી. સોપારી આપી રચાયું કાવતરું, બનાવટી દસ્તાવેજો પણ બનાવાયા પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ઊંઝાના બ્રાહ્મણવાડાના પ્રતિકકુમાર પટેલે જમીન પચાવી પાડવા વિષ્ણુજીને ભાગીયા તરીકે રાખી સોપારી આપી હતી. આ કાવતરામાં બનાવટી દસ્તાવેજો બનાવી આપનાર પાટણનો અમિતભાઈ પટેલ પણ સામેલ હતો. તમામ આરોપીઓએ મેળાપીપણું રચી ખેડૂતની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 15 દિવસની સારવાર બાદ ખેડૂતનો બચાવ, વિલંબથી નોંધાઈ ફરિયાદ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા અંકિતકુમાર 15 દિવસની સારવાર બાદ માંડ બચ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ ઘટનાના દિવસે જ જાણવા જોગ અરજી આપી દેવાઈ હતી, જે અંતર્ગત હવે રણુંજ પોલીસે BNS, GP એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરના કૈલાશ જાનીએ માઉન્ટ યુનમ સર કર્યું:20,049 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવી ગૌરવ વધાર્યું; એક કિડની હોવા છતાં મેળવી સાહસિક સિદ્ધિ
    Next Article
    પાવીજેતપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી:ઉત્સાહ અને ઉમંગ સાથે પરંપરાગત રેલીથી ગુંજ્યું શહેર, આદિવાસી સમાજના અધિકારો માટે આવેદનપત્ર અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment