Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્માષ્ટમી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે:રાજકોટના લોકમેળામાં દૈનિક 4 કલાક પ્રસ્તુતિ માટે કલાકારો-ગ્રુપો પાસેથી અરજીઓ મંગાવાઈ

    1 day ago

    રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આગામી 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે. ત્યારે દરરોજ સાંજના 4થી 8 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે. આ સાથે જ નામાંકિત લોક કલાકારો પણ લોકસાહિત્યનો રસથાળ પીરસશે. સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવા ઈચ્છુક કલાકારો અને સંસ્થાઓ પાસે અરજીઓ મંગાવવાનું શરૂ કરાયું છે. રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ. વી. દિહોરાએ જણાવ્યું હતું કે, લોકમેળા દરમિયાન દરરોજ સાંજે 4થી 8 કલાક દરમિયાન લોક ડાયરો, લોકનૃત્ય, રાસ, પ્રાચીન-અર્વાચીન ગરબા, સોલો, કરાઓકે ગ્રુપ, શાસ્ત્રીય નૃત્ય ગ્રુપ, સેમી કલાસીકલ, વાઘવૃંદ, યોગા ગ્રુપ તેમજ જીમનાસ્ટીક ગ્રુપ જેવા કાર્યક્રમો આપવા માગતા કલાકારો તથા ગ્રુપો પાસેથી અરજીઓ મગાવવામાં આવી છે. પસંદગી પામેલા કલાકારોને લોકમેળા દરમિયાન સ્ટેજ પર કાર્યક્રમ ફાળવવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા માગતા કલાકાર કે ગ્રુપે સંપૂર્ણ વિગતો સાથેનું નિયત નમૂનાનું અરજી ફોર્મ અને જરૂરી આધાર પુરાવા 'પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, 5/5, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ' ખાતે તારીખ 17 ઓગસ્ટના બપોરે 12 કલાક સુધીમાં જમા કરાવી દેવાનું રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. અલિયાબાળા-જામનગર રેલવે ટ્રેક પર 123 કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ રેલવે સેફ્ટી કમિશનર (પશ્ચિમ પરિમંડળ) ઈ. શ્રીનિવાસે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત અલિયાબાળા–જામનગર બ્રોડગેજ ડબલિંગ રેલખંડ પર પેસેન્જર રેલ સેવાઓના સંચાલનને સંરક્ષા મંજૂરી પ્રદાન કરી દીધી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રેલવે સુરક્ષા કમિશનર દ્વારા આ ડબલિંગ રેલખંડનું 7 ઓગસ્ટ 2026ના રોજ વિસ્તૃત વૈધાનિક સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અલિયાબાળા–જામનગર નવનિર્મિત બીજી રેલ લાઇન પર પહેલીવાર 123 કિમી/કલાકની ઝડપે ઇલેક્ટ્રિક લોકોમોટિવ (એન્જિન) અને ઓબ્ઝર્વેશન કાર સાથે સફળ સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યો, જે સુરક્ષિત અને ઝડપી રેલ સંચાલનની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ભાજપના વોર્ડ નંબર 4ના પૂર્વ મહામંત્રી કોંગ્રેસમાં જોડાયા, ભાભી ભાજપના કોર્પોરેટર રાજકોટમાં ભાજપના વોર્ડ નંબર 4ના પૂર્વ મહામંત્રી કોંગ્રેસમાં જોડાયા છે. શહેર ઠાકોર સેનાના પ્રમુખ રણછોડભાઈ ઉઘરેજા કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂતે તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા. રણછોડભાઈના ભાભી વોર્ડ નં.4ના ભાજપના કોર્પોરેટર કંકુબેન ઉધરેજા છે. આ તકે મહેશ રાજપૂતે કહ્યું કે, લોકો ભાજપનો અસલી ચહેરો જાણી ગયા છે અને પરિવર્તન ઇચ્છે છે. જ્યારે રણછોડભાઈએ જણાવ્યું કે, ટૂંક સમયમાં જ કોળી સમાજનું સંમેલન બોલાવવામાં આવશે. ભાજપ અમારા સાથે અન્યાય કરે છે. 35 વર્ષથી અમારા ચુવાડિયા સમાજનો એક પણ ધારાસભ્ય નથી. ન્યારી-2 ડેમ 90 ટકા ભરાતાં પડધરીના આ ગામોને હાઈએલર્ટ કરાયા રાજકોટના પડધરી તાલુકા પાસે આવેલા ન્યારી-2 ડેમમાં પાણીની આવક થતાં ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. હાલમાં જળાશયમાં 200 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જળસપાટી 88.2 મીટરે પહોંચી છે.ડેમ પૂર્ણ ભરાવાની તૈયારીમાં હોવાથી તથા રૂલ લેવલ જાળવવા માટે ગમે ત્યારે પાણી છોડવાની શક્યતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા હાઇ એલર્ટ મેસેજ આપવામા આવ્યો છે. આ પરિસ્થિતિને પગલે પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી અને વણપરી સહિતના ગામોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત નદીના પટ તથા કાંઠા વિસ્તારમાં કોઈએ પણ અવરજવર ન કરવા રાજકોટ જિલ્લા ફ્લડ કન્ટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    AMCના લાંચિયા ક્લાસ-1 ચીફ ફાયર ઓફિસરની હકાલપટ્ટી:અમિત ડોંગરેના ઘરેથી ₹1.10 લાખ કબજે કર્યા, 3 બેંક એકાઉન્ટ ને 1 લોકર ફ્રીઝ; 4 દિવસના રિમાન્ડ મંજૂર
    Next Article
    Why Arijit Singh Made An Exception For Awarapan 2 In The Middle Of His Music Break

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment