Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં તળાવમાં નહાવા ગયેલા 4 યુવાન ડૂબ્યા:બે યુવાનનો બચાવ અને બે ગુમ, કીચડમાં ફસાઈ ગયા હોવાની આશંકા; નર્મદા પરિક્રમા કરવા આવેલો સુરેન્દ્રનગરનો યુવક તણાયો

    6 days ago

    વડોદરા જિલ્લાના આલમગઢ ગામે ગઇકાલે(22 માર્ચ) ચાર યુવાનો તળાવમાં નહાવા જતા દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર મિત્રો તળાવમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંડા પાણીમાં જતા બે યુવાનો અમિત સુરેશ તડવી અને શૈલેષ રમણભાઈ સોલંકી ડૂબી ગયા હતા. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ બંનેની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે તળાવમાં કાદવ કીચડ હોવાથી મૃતદેહો અંદર ફસાઈ ગયા હોવાની શક્યતા છે. જેને કારણે શોધખોળમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તો અન્ય એક બનાવમાં વડોદરા જિલ્લામાં અંબાલી ગામ નજીક નર્મદા પરિક્રમા કરવા આવેલો 22 વર્ષીય યુવક નર્મદા નદીમાં નહાવા પડ્યા બાદ ડૂબ્યાની ઘટના સામે આવી છે. નર્મદા નદીના ધસમસતાં પ્રવાહમાં સુરેન્દ્રનગરનો યુવક તણાઈ જતાં લાપતા થયો હતો. ચાર મિત્રો નહાવા ગયા, બે ડૂબ્યા વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે ગઈકાલે બપોરે ચાર યુવાનો તળાવમાં નહાવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં બે યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે અમિત સુરેશ તડવી અને શૈલેષ રમણભાઈ સોલંકી ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ગઇકાલે વડોદરા ટીપી 3 ફાયર બ્રિગેડની ટીમે બંનેની શોધખોળ કરી હતી, જોકે સાંજ સુધી બંનેનો કોઈ પત્તો લાગ્યો નહોતો, જેથી આજે બીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. 24 કલાક બાદ પણ યુવક મળ્યા નથી ઘટનાને 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં બંને લાપતા યુવાનોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવમાં સતત શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ જરોદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. નર્મદા પરિક્રમા કરવા આવેલો યુવક ડૂબ્યો બીજી તરફ વડોદરા જિલ્લામાં અંબાલી ગામ નજીક નર્મદા પરિક્રમા કરવા આવેલો 22 વર્ષીય યુવક નર્મદા નદીમાં નહાવા પડ્યા બાદ ડૂબ્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, નર્મદા નદીના ધસમસતાં પ્રવાહમાં સુરેન્દ્રનગરનો યુવક તણાઈ જતાં લાપતા થયો હતો. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને નદીમાં ગુમ થયેલા યુવકને શોધવા માટે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. વડોદરા અને કરજણ ફાયર વિભાગ દ્વારા સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી રહી છે. નદી કાંઠે લોકોના ટોળા ઉમટ્યા આ બનાવને પગલે નદી કાંઠે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવક ડૂબ્યાની માહિતી મળતા જ શિનોર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી અને બચાવ કામગીરી યથાવત રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં 4 મહિલા બુટલેગરના ઘરનું ડિમોલિશન:આરોપીઓના 5 મકાન સાથે પાલિકના પ્લોટમાં 21 દબાણ તોડી પડાયા; રૂ. 1 કરોડથી વધુની જગ્યા ખુલ્લી કરાઈ
    Next Article
    બે મહિનામાં 5000 સ્ક્વેરફૂટ ગ્રાઉન્ડ 45 ફૂટનો કૂવો ખોદ્યો પણ...:સુરતના પુણાના ત્રણ વર્ષથી ગુમ તરૂણની હત્યાની કબૂલાત છતાં ડેડબોડીના અભાવે ત્રણ મિત્ર સામે અપહરણનો ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment