Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શીતળા કુંડ મંદિરના જીર્ણોદ્ધાર માટે સ્થાનિકોએ જાતે જ રસ્તો ખોદ્યો.:જૂનાગઢમાં 4 દિવસના ઉપવાસ છતાં તંત્ર ન જાગ્યું; મહાદેવ પર ગટરનું પાણી ટપકતું રોકવા લત્તાવાસીઓએ રાત્રે ત્રિકમ-પાવડા લઈ ખોદકામ શરૂ કર્યું.

    2 days ago

    ​જૂનાગઢ શહેરના હૃદય સમાન વિસ્તારમાં આવેલ 1000 થી 1500 વર્ષ પુરાતન અને સ્વયંભૂ પ્રાગટ્ય એવા ઐતિહાસિક શીતળા કુંડ નીલકંઠ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં લાંબા સમયથી શિવલિંગ અને પાર્વતીજીની મૂર્તિ પર ગટરનું અશુદ્ધ પાણી ટપકતું હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે. પવિત્ર ધાર્મિક સ્થાન પર અશુદ્ધ પાણી પડવાના કારણે શ્રદ્ધાળુઓની આસ્થાને ભારે ઠેસ પહોંચી રહી છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકા કચેરી અને કમિશનરને 5 થી 6 વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા માત્ર પોલા આશ્વાસનો જ આપવામાં આવ્યા હતા. અંતે તંત્રની નકારાત્મકતાથી કંટાળીને સ્થાનિક લોકો છેલ્લા 4 દિવસથી મંદિર પરિસરમાં જ પ્રતીક ઉપવાસ આંદોલન પર બેઠા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે સ્થળ મુલાકાત દરમિયાન શનિવાર સુધીમાં સમસ્યાનું નિરાકરણ લાવવાનો વાયદો કર્યો હતો, પરંતુ શનિવારની રાત સુધી કોઈ કામગીરી શરૂ ન થતાં લત્તાવાસીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ​અધિકારીઓ અને સત્તાધીશોના ઉદાસીન વલણ સામે નાછૂટકે સ્થાનિક લોકોએ શનિવારે રાત્રે 9 વાગ્યા પછી જાતે જ ત્રિકમ અને પાવડા હાથમાં લઈ રસ્તો ખોદવાની અને નવી દીવાલ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પથ્થરો કોતરીને જમીન લેવલથી આશરે 30 ફૂટ નીચે ભૂગર્ભમાં બનેલા આ પ્રાચીન મંદિરના ઘુમટ અને ચબૂતરાની હાલત પણ અત્યંત જર્જરિત છે. મંદિરમાં સતત પાણી ટપકવાને કારણે અંદર પોલાણ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી કોઈ શ્રદ્ધાળુને ઈજા થાય તો તેની જવાબદારી કોની, તેવા સવાલો રહીશોએ ઉઠાવ્યા છે. સ્થાનિક લોકોએ રાત્રે જાતે જ ગટરનું પાણી વાળવા માટે ખોદકામ શરૂ કરતાં જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને રાત્રે 11 વાગ્યાની આસપાસ વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરો તાત્કાલિક સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક રહીશ નારણભાઈ જે. ઝાલા એ જણાવ્યું હતું એ આ આસ્થાનું કેન્દ્ર 1000-1500 વર્ષ જૂનું પવિત્ર સ્થાન છે. દર વર્ષે શ્રાવણ માસના ચાર સોમવારે સ્થાનિકો પોતાના જીવના જોખમે ઊંચી દીપમાળા પર ચડીને રોશની કરે છે અને સાતમ-આઠમે હજારો બહેનો અહીં માનતા પૂરી કરવા આવે છે. આવા પવિત્ર શિવલિંગ પર ગટરનું પાણી પડતું હોય તે શરમજનક બાબત છે. ધારાસભ્ય તરફથી મંદિરના રીનોવેશન માટે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. સત્તાધીશો કાલે કામ થશે, આજે કામ થશે તેવા ઉડાઉ જવાબો આપીને એકબીજા પર જવાબદારી ઢોળે છે. આટલી મોટી રકમની ગ્રાન્ટમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે, તંત્ર સ્પષ્ટતા કરે કે આ કામ થશે કે નહીં, જેથી અમે આગળના પગલાં વિચારી શકીએ. સ્થાનિક રહીશ મિહીર મહેતા એ જણાવ્યું હતું કે અમે કોર્પોરેશન અને કમિશનરને વારંવાર રજૂઆતો કરી હતી. છેલ્લે 24 તારીખે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેનને પણ જણાવ્યું હતું કે મંદિરની પાછળની બાજુથી આવતું પાણી રોકવા માટે 4 ફૂટ ઊંડું ખોદકામ કરીને આર.સી.સી. દીવાલ બનાવવી અનિવાર્ય છે. શનિવારની ડેડલાઈન હોવા છતાં આખો દિવસ તંત્ર દ્વારા લાયઝનિંગમાં બપોરે આવીશું ને સાંજે આવીશું કહી આ કામ અમારી એજન્સીમાં નથી આવતું તેવા બહાના કાઢવામાં આવ્યા. આ રોડ આખો ખોદાયેલો હોવાથી ચોમાસામાં વધુ પાણી ભરાવવાનો ભય છે. કોર્પોરેશન અને ધારાસભ્ય વચ્ચે ચાલતા આંતરિક રાજકીય યુદ્ધમાં મંદિરનો વિકાસ અટવાયો છે. જો તંત્ર દીવાલ નહીં બનાવે તો અમે સ્થાનિકો સ્વખર્ચે આર.સી.સી. દીવાલ બનાવીને મહાદેવ પર પડતું પાણી બંધ કરીશું. વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર પરાગ રાઠોડે જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર અને જૂનો પ્રશ્ન છે. મંદિર ભૂગર્ભમાં અને પથ્થરની અંદર કોતરાયેલું હોવાથી ચોક્કસ લીકેજ શોધવામાં અગાઉ ઘણી મુશ્કેલીઓ પડી હતી. આજે લાંબી શોધખોળ બાદ આખરે વોટર લીકેજનો મુખ્ય ફોલ્ટ મળી ગયો છે, જેથી હવે ગટરના પાણીને બે અલગ-અલગ લાઈનમાં ડાયવર્ટ કરવામાં આવશે. પાછળના ભાગે નવી ચેમ્બરો બનાવી, ખોદકામ કરી, નીચે પી.સી.સી. કરીને વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે. ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. અગાઉ જ્યારે અમે ચૂંટાયા ત્યારે માત્ર 8 થી 9 લાખની ગ્રાન્ટ હતી, જેને વધારવા અમે ચારેય કોર્પોરેટરો પ્રયત્નશીલ છીએ. 50 લાખની ગ્રાન્ટ કયા ટેકનિકલ કારણોસર પાસ નથી થઈ તેની તપાસ કમિશનર દ્વારા કરવામાં આવશે. આગામી પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં આ સમગ્ર રીનોવેશન અને ગટર લાઈનનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    2 dead after Mumbai office trekkers’ bus falls 50 feet into Pune’s Pabe Ghat gorge
    Next Article
    નિયમોની ઐસીતૈસી!, મોટેરામાં જાહેર રોડ પર બર્થ-ડે સેલિબ્રેશન:નંબર પ્લેટ વગરની ગાડીઓ રસ્તામાં ઊભી રાખી ટ્રાફિકજામ કર્યો; વીડિયો વાઇરલ થતાં 3 સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment