Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 4થી વધુ વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ:ચાણસ્મા ઘટના બાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું

    4 days ago

    પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરાયા છે. ચાણસ્મા તાલુકાના ઝીલાયા ગામે બનેલી ઘટના બાદ આ નિર્ણય લેવાયો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે 23/03/2026 ના રોજ 24 કલાક માટે ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ પ્રતિબંધાત્મક આદેશો ચાણસ્માના ઝીલાયા ગામની ઘટનાના સંદર્ભમાં આવ્યા છે. આ ઘટનામાં આરોપીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ બારડે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ જાહેરાત કરી હતી. અભિજિતસિંહ બારડે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે 23/03/2026 ના રોજ વામૈયા ગામે સભા યોજવા, કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવા તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોના પ્રવેશબંધી જેવા નિર્ણયો લેવાની જાહેરાત કરી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી પોલીસ અધિક્ષકની દરખાસ્તના આધારે પ્રતિબંધાત્મક પગલાં લેવા જરૂરી બન્યા હતા. પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હિરેન ચૌહાણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 163 હેઠળ આ આદેશો જારી કર્યા છે. આ આદેશો સમગ્ર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 23/03/2026 ના 00:00 કલાકથી 24:00 કલાક સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ, કોઈપણ મંડળી, સભા કે સરઘસમાં ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. તેમજ કોઈ સભા બોલાવી કે સરઘસ કાઢી શકાશે નહીં. જોકે, સરકારી ફરજ પરના વ્યક્તિઓ, લગ્ન પ્રસંગો અને સ્મશાન યાત્રા જેવી બાબતોમાં પૂર્વ મંજૂરી સાથે આ પ્રતિબંધમાંથી છૂટછાટ મળશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આજે કોર્પોરેશનના 30 વોર્ડની આખરી મતદારયાદી પ્રસિદ્ધ થશે:નાગરિકો તાપી ભવન, તમામ વોર્ડ ઓફિસો સહિત 40 સ્થળે નામની ચકાસણી કરી શકશે, નામ ન હોય તે ઉમેરી શકશે
    Next Article
    "No One Can Stop RR If Vaibhav Sooryavanshi Fires": Ravichandran Ashwin's Big Claim Ahead Of IPL 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment