Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 4 અકસ્માતમાં 4ના મોત:અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પુત્રને મળવા જતા પિતાનું એક્ટિવાની અડફેટે મોત, બાઇકની ટક્કરે મહિલાએ જીવ ગુમાવ્યો

    2 days ago

    વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં બનેલા ચાર અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કૃષ્ણા હોટેલ પાસે રિક્ષામાંથી ઉતરીને રોડ ક્રોસ કરતા વૃદ્ધને એક્ટિવા ચાલકે જોરદાર ટક્કર મારી હતી. તો પાયોનીયર કોલેજ પાસે અને તરસાલી-જાંબુવા બ્રિજ વચ્ચે પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. નેશનલ હાઈવે 48 પર વૃદ્ધનું મોત અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર કૃષ્ણા હોટલ સામે એક કરુણ ઘટના બની હતી. પંચમહાલના હાલોલ તાલુકાના બાસ્કા ગામના 70 વર્ષીય આદમભાઈ ઓડ તેમના પત્ની સાથે રિક્ષામાં પોર જઈ રહ્યા હતા. હાઈવે પર પોતાના પુત્રને મળવા માટે તેઓ રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવતા એક્ટિવા ચાલક વિવેક અશોકભાઈ પંચાલ (રહે. ફર્ટિલાઇઝરનગર) એ તેમને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા આદમભાઈનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતમાં એક્ટિવા ચાલકને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડાયો છે. આ મામલે હરણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બરોડા ડેરી પાસે હિટ એન્ડ રન શહેરના બરોડા ડેરી વિસ્તારમાં પણ અકસ્માતની એક ઘટના બની હતી. દંતેશ્વર વિસ્તારના જ્ઞાનનગરમાં રહેતા 70 વર્ષીય ભાનુબેન બારીયા રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જીને બાઈક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓને કારણે ભાનુબેનનું સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું. મકરપુરા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવાની તજવીજ શરૂ કરી છે. પાયોનીયર કોલેજ પાસે રિક્ષા ચાલકનું મોત આજવા રોડ પર પાયોનીયર કોલેજ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. અહીં એક અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા 49 વર્ષીય કમલેશસિંહ ચાવડાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ વાહનચાલક ભાગી છૂટ્યો હતો. ઘાયલ કમલેશસિંહને તુરંત પારુલ સેવાશ્રમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે કપુરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તરસાલી-જાંબુવા બ્રિજ વચ્ચે ક્લીનરનું કરુણ મોત ચોથા અકસ્માતમાં હાઈવે પર તરસાલીથી જાંબુવા બ્રિજ વચ્ચે આવેલી નિર્મલ હોટલ પાસે અકસ્માત થયો હતો. મહારાષ્ટ્રના વતની અને ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતા 40 વર્ષીય વિશાલ કદમ હોટલ પર જમવા જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કપુરાઈ પોલીસે આ મામલે પણ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીપ પર દિલ્હીમાં મોટું ઓપરેશન:ગાઝિયાબાદના ફ્લેટમાં 18 વિદ્યાર્થીઓને ગોંધી રાખ્યા હતા, અમરોલીના વિનોદ પટેલ સહિત 4 માસ્ટરમાઇન્ડની ધરપકડ
    Next Article
    Congress-led UDF rides anti-incumbency wave as Pinarayi Vijayan’s development narrative falls flat in Kerala

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment