Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીના જન્મ બાદ પરિણીતા પર સાસરિયાઓનો ત્રાસ:સ્ત્રીધનના ઘરેણાં ગીરવે મૂકી માતા-પુત્રીને ઘરમાંથી કાઢી મૂક્યાં, પતિ સહિત 4 સામે ગુનો

    10 hours ago

    રાજકોટમાં દીકરીનો જન્મ થતાં જ સાસરિયાઓએ રંગ બદલી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હોવાની શરમજનક ઘટના સામે આવી છે. પિયરમાંથી સ્ત્રીધન તરીકે મળેલા સોનાના દાગીના ગીરવે મૂકી દઈ, છેલ્લા 8 મહિનાથી તરછોડી દેવાયેલી પરિણીતા પર છૂટાછેડા લેવા દબાણ કરવામાં આવતું હતું. આ મામલે રાજકોટ મહિલા પોલીસ મથકે પરિણીતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ, કાકાજી સસરા, દાદાજી સસરા અને નણંદ સહિત 4 સાસરિયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. દીકરીના જન્મ બાદ સતત કાનભંભેરણી અને મારપીટ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભોગ બનનાર વંશીકાબેનના લગ્ન વર્ષ ૨૦૨૪માં પાર્થ વાઘેલા સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પરિવાર સુભાષનગર ખાતે ભાડાના મકાનમાં રહેવા ગયો હતો, જ્યાં તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદ સાસરિયાઓ સતત કાનભંભેરણી કરી પતિ-પત્ની વચ્ચે ઝઘડા કરાવતા હતા. પુત્રી છ માસની હતી ત્યારે બીમાર પડતાં તેને હોસ્પિટલ લઈ જવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઈ જઈને પતિ પાર્થે પત્નીને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. આ ઘટના બાદ કાકાજી સસરા પતિને પોતાની સાથે લઈ ગયા હતા અને પરિણીતાને માસૂમ બાળકી સાથે પિયર મોકલી દઈ તેડવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સમાધાન માટે ગયેલા પિયરિયાંઓને કાઢી મૂક્યા પરિણીતાના મામા અને સગા-સંબંધીઓ સમાધાન કરાવવા માટે દાદાજી સસરાના ઘરે ગયા હતા. દાદાજી સસરા અને કાકાજી સસરાએ "અમારે સમાધાન કરવું નથી અને તમને તેડવા પણ નથી, છૂટાછેડા જ લેવાના છે" તેમ કહી અપમાનિત કરી કાઢી મૂક્યા હતા. નણંદ પણ અવારનવાર ફોન કરીને તેમજ રૂબરૂ આવી ઉશ્કેરણી કરી છૂટાછેડા આપી દેવા પતિ પર સતત દબાણ કરતી હતી. પતિ છેલ્લા 8 મહિનાથી પત્ની કે પોતાની માસૂમ દીકરીની કોઈપણ પ્રકારની સંભાળ લેતો નહોતો. સ્ત્રીધનના સોનાના દાગીના જ્વેલર્સમાં ગીરવે મૂકી દીધા પરિણીતાએ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમના લગ્ન અને સીમંત વખતે પિયર પક્ષ તરફથી મળેલું સ્ત્રીધન સાસરિયાઓએ પડાવી લીધું હતું: આ તમામ સોનાના દાગીના સાસરિયાઓએ ભગવતીપરા વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાને ગીરવે મૂકી દીધા હતા અને પરત માંગતાં આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. 4 સાસરિયાઓ સામે પોલીસ કાર્યવાહી વંશીકાબેનની ફરિયાદના આધારે મહિલા પોલીસે નીચે મુજબના 4 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. રાજકોટ મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી તમામ સાસરિયાઓ સામે ઘરેલુ હિંસા અને સ્ત્રીધન હડપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હાર્ટ એટેકથી બેના મોત:કુવાડવા રોડ પર ગોડાઉનમાં દરોડો 1000 લિટર ગેરકાયદે બાયોડીઝલ સાથે વૃદ્ધ ઝડપાયા
    Next Article
    Ground Report | ડાંગરમાં નુકસાનીના ડાકલા | હવે શેરીઓમાં ખૂંખાર શિકારી | Prime Time | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment